રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળતાં 'સીતા' ખુશ, આ એક બાબતે PM મોદીને કરી અપીલ


  • Published By :
  • Published Date : 2024-01-03 20:19:08

રામાનંદ સાગરની રામાયણમાં સીતાના પાત્રને અમર બનાવનાર દીપિકા ચિખલિયા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા જઈ રહ્યા છે. દીપિકાએ  રામ પ્રત્યેના તેમના પ્રેમ અને આ દિવસ માટે તેની તૈયારીઓ વિશે જાણકારી આપી હતી. 22 જાન્યુઆરીને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં દીપિકા કહે છે, 'મારા માટે આ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આવનારી પેઢીઓ માટે આનું ઘણું મહત્વ હશે કારણ કે રામજી 500 વર્ષ પછી અયોધ્યા પાછા આવી રહ્યા છે.


આમંત્રણ મળતા ખુશી વ્યક્ત કરી


દીપિકા ચિખલિયાએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે લોકો મારા વિશે જાણે છે કે હું રામમયી રહી છું. મને પણ રામજીમાં અપાર શ્રદ્ધા છે. મેં મારા જીવનમાં સીતાની ભૂમિકા પણ ભજવી છે. તે મારા માટે ખરેખર ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. બલ્કે, આ તમામ ભારતીયો માટે એટલો ગૌરવપૂર્ણ સમય હશે કે આપણે આવનારી પેઢીઓને કહીશું કે આપણે તેના સાક્ષી છીએ. આમંત્રણ મળવા પર પ્રતિક્રિયા આપતા દીપિકા કહે છે, 'હું આ આમંત્રણ માટે બિલકુલ તૈયાર નહોતી. મને તેની અપેક્ષા પણ નહોતી. જ્યારે મને RSS કાર્યાલયમાંથી ફોન આવ્યો તો તેઓએ કહ્યું કે તમે અમારા માટે સીતાજી છો, આખી દુનિયા તમને આ નામથી ઓળખે છે. તમારા માટે ત્યાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, કૃપા કરીને અમારું આમંત્રણ સ્વીકારવા વિનંતી. જો કે એ વખતે હું એટલી ખુશ હતી કે મારા મોંમાંથી એ નીકળ્યું કે તમે પણ મને સીતા માનો છો. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી.


રામજીને માતા સીતા પાસે રાખો


જોકે, દીપિકાને એ વાતનું દુઃખ છે કે રામની સાથે સીતાજીની કોઈ મૂર્તિ નથી. પોતાની વ્યથા વ્યક્ત કરતાં દીપિકા કહે છે, 'મને હંમેશા લાગતું હતું કે રામજીની બાજુમાં સીતાજીની પ્રતિમા હશે. જો કે, અહીં એવું નથી, જેનો મને અફસોસ છે. હું આપણા વડાપ્રધાનને અયોધ્યામાં રામની સાથે સીતાજીની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરૂં છું. તેમને ક્યાંક જગ્યા આપો. કોઈ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં રામ અને સીતાજી બિરાજમાન થઈ શકે. મારી તેમને વિનંતી છે કે રામજીને એકલા ન રાખો. હું માનું છું કે તેમનું બાળપણનું સ્વરૂપ અયોધ્યામાં છે. તે ખૂબ જ સુંદર સ્વરૂપ છે, પ્રભાવશાળી છે. જો સીતા માને પણ રામજીની સાથે રાખવામાં આવે તો માત્ર મને જ નહીં પરંતુ તમામ મહિલાઓને ખૂબ આનંદ થશે.'


અરુણ ગોવિલ રહેશે ઉપસ્થિત


રામ મંદિરના અભિષેક માટે અરુણ ગોવિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અરુણ ગોવિલે 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. 80-90ના દાયકામાં લોકો અરુણ ગોવિલને ભગવાન રામ તરીકે પૂજવા લાગ્યા હતા. આજે પણ તે જ્યાં પણ જાય છે ત્યાં ચાહકો તેના ચરણોમાં નમન કરે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.