રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળતાં 'સીતા' ખુશ, આ એક બાબતે PM મોદીને કરી અપીલ


  • Published By :
  • Published Date : 2024-01-03 20:19:08

રામાનંદ સાગરની રામાયણમાં સીતાના પાત્રને અમર બનાવનાર દીપિકા ચિખલિયા અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા જઈ રહ્યા છે. દીપિકાએ  રામ પ્રત્યેના તેમના પ્રેમ અને આ દિવસ માટે તેની તૈયારીઓ વિશે જાણકારી આપી હતી. 22 જાન્યુઆરીને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં દીપિકા કહે છે, 'મારા માટે આ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આવનારી પેઢીઓ માટે આનું ઘણું મહત્વ હશે કારણ કે રામજી 500 વર્ષ પછી અયોધ્યા પાછા આવી રહ્યા છે.


આમંત્રણ મળતા ખુશી વ્યક્ત કરી


દીપિકા ચિખલિયાએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે લોકો મારા વિશે જાણે છે કે હું રામમયી રહી છું. મને પણ રામજીમાં અપાર શ્રદ્ધા છે. મેં મારા જીવનમાં સીતાની ભૂમિકા પણ ભજવી છે. તે મારા માટે ખરેખર ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. બલ્કે, આ તમામ ભારતીયો માટે એટલો ગૌરવપૂર્ણ સમય હશે કે આપણે આવનારી પેઢીઓને કહીશું કે આપણે તેના સાક્ષી છીએ. આમંત્રણ મળવા પર પ્રતિક્રિયા આપતા દીપિકા કહે છે, 'હું આ આમંત્રણ માટે બિલકુલ તૈયાર નહોતી. મને તેની અપેક્ષા પણ નહોતી. જ્યારે મને RSS કાર્યાલયમાંથી ફોન આવ્યો તો તેઓએ કહ્યું કે તમે અમારા માટે સીતાજી છો, આખી દુનિયા તમને આ નામથી ઓળખે છે. તમારા માટે ત્યાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, કૃપા કરીને અમારું આમંત્રણ સ્વીકારવા વિનંતી. જો કે એ વખતે હું એટલી ખુશ હતી કે મારા મોંમાંથી એ નીકળ્યું કે તમે પણ મને સીતા માનો છો. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી.


રામજીને માતા સીતા પાસે રાખો


જોકે, દીપિકાને એ વાતનું દુઃખ છે કે રામની સાથે સીતાજીની કોઈ મૂર્તિ નથી. પોતાની વ્યથા વ્યક્ત કરતાં દીપિકા કહે છે, 'મને હંમેશા લાગતું હતું કે રામજીની બાજુમાં સીતાજીની પ્રતિમા હશે. જો કે, અહીં એવું નથી, જેનો મને અફસોસ છે. હું આપણા વડાપ્રધાનને અયોધ્યામાં રામની સાથે સીતાજીની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરૂં છું. તેમને ક્યાંક જગ્યા આપો. કોઈ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં રામ અને સીતાજી બિરાજમાન થઈ શકે. મારી તેમને વિનંતી છે કે રામજીને એકલા ન રાખો. હું માનું છું કે તેમનું બાળપણનું સ્વરૂપ અયોધ્યામાં છે. તે ખૂબ જ સુંદર સ્વરૂપ છે, પ્રભાવશાળી છે. જો સીતા માને પણ રામજીની સાથે રાખવામાં આવે તો માત્ર મને જ નહીં પરંતુ તમામ મહિલાઓને ખૂબ આનંદ થશે.'


અરુણ ગોવિલ રહેશે ઉપસ્થિત


રામ મંદિરના અભિષેક માટે અરુણ ગોવિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અરુણ ગોવિલે 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. 80-90ના દાયકામાં લોકો અરુણ ગોવિલને ભગવાન રામ તરીકે પૂજવા લાગ્યા હતા. આજે પણ તે જ્યાં પણ જાય છે ત્યાં ચાહકો તેના ચરણોમાં નમન કરે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.