અમદાવાદમાં ગઈકાલે બની હતી સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના, કાટમાળ નીચે ફસાઈ જતા ગયો એક વ્યક્તિનો જીવ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-01 15:17:54

વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યું છે. એક તરફ વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ દુર્ઘટના થવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવા સમાચારો સામે આવ્યા છે જ્યાં સ્લેબ તૂટી પડવાને કારણે અથવા તો બિલ્ડીંગની છત અથવા તો બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થવાને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કલાકો સુધી ચાલી હતી.મળતી માહિતી અનુસાર એક શ્રમિકનું મોત પણ થયું છે.

મણિનગરમાં બિલ્ડીંગનો ભાગ થયો હતો ધરાશાયી 

ચોમાસા દરમિયાન અનેક વખત દિવાલ ધરાશાયી થવાના અથવા તો બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ. થોડા સમય પહેલા અમદાવાદના મણિનગરમાં બિલ્ડિંગની છતનો એક હિસ્સો પડી ગયો હતો. તે ઘટનામાં અનેક લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તે સિવાય પણ અનેક જગ્યાઓથી આવા સમાચાર સામે આવ્યા હતા. 



કાટમાળ દૂર કરી બહાર કાઢવામાં આવ્યો મૃતદેહ 

ત્યારે ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ ગઈકાલે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. બાંધકામ દરમિયાન કાટમાળ તૂટી પડતા સુપરવાઈઝર યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આખી રાત રેસ્ક્યુની કામગીરી ચાલી હતી અને કાટમાળ દૂર કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કાટમાળમાંથી બે શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 



શ્રમિકોની સુરક્ષા અંગે વિચારવું અગત્યનું   

મહત્વનું છે કે અનેક વખત આવી ઘટનાઓ બની છે, એની પર ચર્ચા પણ કરવામાં આવી છે પરંતુ આવી દુઘટનાઓ ન થાય, દુર્ઘટના થતા કેવી રીતે અટકાવાઈ શકાય તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. સેફ્ટી વગર અનેક વખત શ્રમિકોને ઉપર મોકલવામાં આવે છે. વધતી આવી ઘટનાઓને જોતા શ્રમિકોની સુરક્ષા અંગે પણ કોઈ પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.