અમદાવાદમાં ગઈકાલે બની હતી સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના, કાટમાળ નીચે ફસાઈ જતા ગયો એક વ્યક્તિનો જીવ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-01 15:17:54

વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યું છે. એક તરફ વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ દુર્ઘટના થવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવા સમાચારો સામે આવ્યા છે જ્યાં સ્લેબ તૂટી પડવાને કારણે અથવા તો બિલ્ડીંગની છત અથવા તો બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થવાને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કલાકો સુધી ચાલી હતી.મળતી માહિતી અનુસાર એક શ્રમિકનું મોત પણ થયું છે.

મણિનગરમાં બિલ્ડીંગનો ભાગ થયો હતો ધરાશાયી 

ચોમાસા દરમિયાન અનેક વખત દિવાલ ધરાશાયી થવાના અથવા તો બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ. થોડા સમય પહેલા અમદાવાદના મણિનગરમાં બિલ્ડિંગની છતનો એક હિસ્સો પડી ગયો હતો. તે ઘટનામાં અનેક લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તે સિવાય પણ અનેક જગ્યાઓથી આવા સમાચાર સામે આવ્યા હતા. 



કાટમાળ દૂર કરી બહાર કાઢવામાં આવ્યો મૃતદેહ 

ત્યારે ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ ગઈકાલે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. બાંધકામ દરમિયાન કાટમાળ તૂટી પડતા સુપરવાઈઝર યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આખી રાત રેસ્ક્યુની કામગીરી ચાલી હતી અને કાટમાળ દૂર કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કાટમાળમાંથી બે શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 



શ્રમિકોની સુરક્ષા અંગે વિચારવું અગત્યનું   

મહત્વનું છે કે અનેક વખત આવી ઘટનાઓ બની છે, એની પર ચર્ચા પણ કરવામાં આવી છે પરંતુ આવી દુઘટનાઓ ન થાય, દુર્ઘટના થતા કેવી રીતે અટકાવાઈ શકાય તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. સેફ્ટી વગર અનેક વખત શ્રમિકોને ઉપર મોકલવામાં આવે છે. વધતી આવી ઘટનાઓને જોતા શ્રમિકોની સુરક્ષા અંગે પણ કોઈ પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.