અમદાવાદમાં ગઈકાલે બની હતી સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના, કાટમાળ નીચે ફસાઈ જતા ગયો એક વ્યક્તિનો જીવ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-01 15:17:54

વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યું છે. એક તરફ વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ દુર્ઘટના થવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવા સમાચારો સામે આવ્યા છે જ્યાં સ્લેબ તૂટી પડવાને કારણે અથવા તો બિલ્ડીંગની છત અથવા તો બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થવાને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કલાકો સુધી ચાલી હતી.મળતી માહિતી અનુસાર એક શ્રમિકનું મોત પણ થયું છે.

મણિનગરમાં બિલ્ડીંગનો ભાગ થયો હતો ધરાશાયી 

ચોમાસા દરમિયાન અનેક વખત દિવાલ ધરાશાયી થવાના અથવા તો બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ. થોડા સમય પહેલા અમદાવાદના મણિનગરમાં બિલ્ડિંગની છતનો એક હિસ્સો પડી ગયો હતો. તે ઘટનામાં અનેક લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તે સિવાય પણ અનેક જગ્યાઓથી આવા સમાચાર સામે આવ્યા હતા. 



કાટમાળ દૂર કરી બહાર કાઢવામાં આવ્યો મૃતદેહ 

ત્યારે ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ ગઈકાલે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. બાંધકામ દરમિયાન કાટમાળ તૂટી પડતા સુપરવાઈઝર યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આખી રાત રેસ્ક્યુની કામગીરી ચાલી હતી અને કાટમાળ દૂર કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કાટમાળમાંથી બે શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 



શ્રમિકોની સુરક્ષા અંગે વિચારવું અગત્યનું   

મહત્વનું છે કે અનેક વખત આવી ઘટનાઓ બની છે, એની પર ચર્ચા પણ કરવામાં આવી છે પરંતુ આવી દુઘટનાઓ ન થાય, દુર્ઘટના થતા કેવી રીતે અટકાવાઈ શકાય તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. સેફ્ટી વગર અનેક વખત શ્રમિકોને ઉપર મોકલવામાં આવે છે. વધતી આવી ઘટનાઓને જોતા શ્રમિકોની સુરક્ષા અંગે પણ કોઈ પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.