અમદાવાદમાં ગઈકાલે બની હતી સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના, કાટમાળ નીચે ફસાઈ જતા ગયો એક વ્યક્તિનો જીવ, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-01 15:17:54

વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યું છે. એક તરફ વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ દુર્ઘટના થવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનેક એવા સમાચારો સામે આવ્યા છે જ્યાં સ્લેબ તૂટી પડવાને કારણે અથવા તો બિલ્ડીંગની છત અથવા તો બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થવાને કારણે લોકો મુશ્કેલીમાં મૂકાતા હોય છે. ત્યારે ગઈકાલે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર એક બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કલાકો સુધી ચાલી હતી.મળતી માહિતી અનુસાર એક શ્રમિકનું મોત પણ થયું છે.

મણિનગરમાં બિલ્ડીંગનો ભાગ થયો હતો ધરાશાયી 

ચોમાસા દરમિયાન અનેક વખત દિવાલ ધરાશાયી થવાના અથવા તો બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ. થોડા સમય પહેલા અમદાવાદના મણિનગરમાં બિલ્ડિંગની છતનો એક હિસ્સો પડી ગયો હતો. તે ઘટનામાં અનેક લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તે સિવાય પણ અનેક જગ્યાઓથી આવા સમાચાર સામે આવ્યા હતા. 



કાટમાળ દૂર કરી બહાર કાઢવામાં આવ્યો મૃતદેહ 

ત્યારે ગઈકાલે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ ગઈકાલે સાંજના સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા પનાચે નામની રહેણાક બાંધકામ સાઈટ પર કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. બાંધકામ દરમિયાન કાટમાળ તૂટી પડતા સુપરવાઈઝર યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આખી રાત રેસ્ક્યુની કામગીરી ચાલી હતી અને કાટમાળ દૂર કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કાટમાળમાંથી બે શ્રમિકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 



શ્રમિકોની સુરક્ષા અંગે વિચારવું અગત્યનું   

મહત્વનું છે કે અનેક વખત આવી ઘટનાઓ બની છે, એની પર ચર્ચા પણ કરવામાં આવી છે પરંતુ આવી દુઘટનાઓ ન થાય, દુર્ઘટના થતા કેવી રીતે અટકાવાઈ શકાય તે અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. સેફ્ટી વગર અનેક વખત શ્રમિકોને ઉપર મોકલવામાં આવે છે. વધતી આવી ઘટનાઓને જોતા શ્રમિકોની સુરક્ષા અંગે પણ કોઈ પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.      



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?