BJPના વધુ એક નેતાની લપસી જીભ! Rahul Gandhiને લઈ AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું નિવેદન, કોંગ્રેસના નેતાઓ બન્યા આક્રામક!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:43:23

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો, વિવાદીત નિવેદનોમાં બદલાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ પૂર્ણ નથી થયો ત્યાં બીજેપીના કિરીટ પટેલે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારે હવે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે.. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે વિવાદીત નિવેદન આપ્યું છે. બફાટ કરતા તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'.

ભૂપત ભયાણીએ આપ્યું વિવાદીત નિવેદન

ગુજરાત ચૂંટણીના માહોલમાં રંગાઈ ગયું છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અનેક જગ્યાઓ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચામાં રહેતા હોય છે.. થોડા સમય પહેલા કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં હતો ત્યારે હવે ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં આવ્યો છે. 


રાહુલ ગાંધી માટે ભૂપત ભાયાણીએ વાપર્યો આ શબ્દ! 

આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપતા કહ્યું  'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી. મહત્વનું છે કે નિવેદનને કારણે વિવાદ ઉભા થાય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ વિવાદીત નિવેદન આપ્યું છે... 


નિવેદન સામે આવતા કોંગ્રેસના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા

મહત્વનું છે કે આ નિવેદન બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે... કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. પ્રતિક્રિયા આપતા શક્તિસિંહ ગોહિલે લખ્યું गुजरात में भाजपा के ख़िलाफ़ जनता का आक्रोश है । बोंखलाई हुई बीजेपी गंदी भाषा का प्रयोग कर रही रही है । बीजेपी के नेता शीशे के घरों में है । कांग्रेस के कार्यकर्ता के संयम की परीक्षा बीजेपी ना ले । તે સિવાય કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


ધારાસભ્ય પદ પરથી થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

ભૂપત ભાયાણીની વાત કરીએ તો થોડા સમય પહેલા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. તેઓ આપના વિસાવદરથી ધારાસભ્ય હતા. પરંતુ તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.. ઉલ્લેખનિય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદીત નિવેદનોની સંખ્યા વધે તો નવાઈ નહીં..!   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.