BJPના વધુ એક નેતાની લપસી જીભ! Rahul Gandhiને લઈ AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું નિવેદન, કોંગ્રેસના નેતાઓ બન્યા આક્રામક!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-23 16:43:23

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો, વિવાદીત નિવેદનોમાં બદલાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ પૂર્ણ નથી થયો ત્યાં બીજેપીના કિરીટ પટેલે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારે હવે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે.. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે વિવાદીત નિવેદન આપ્યું છે. બફાટ કરતા તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'.

ભૂપત ભયાણીએ આપ્યું વિવાદીત નિવેદન

ગુજરાત ચૂંટણીના માહોલમાં રંગાઈ ગયું છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અનેક જગ્યાઓ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચામાં રહેતા હોય છે.. થોડા સમય પહેલા કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં હતો ત્યારે હવે ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં આવ્યો છે. 


રાહુલ ગાંધી માટે ભૂપત ભાયાણીએ વાપર્યો આ શબ્દ! 

આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપતા કહ્યું  'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી. મહત્વનું છે કે નિવેદનને કારણે વિવાદ ઉભા થાય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ વિવાદીત નિવેદન આપ્યું છે... 


નિવેદન સામે આવતા કોંગ્રેસના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા

મહત્વનું છે કે આ નિવેદન બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે... કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. પ્રતિક્રિયા આપતા શક્તિસિંહ ગોહિલે લખ્યું गुजरात में भाजपा के ख़िलाफ़ जनता का आक्रोश है । बोंखलाई हुई बीजेपी गंदी भाषा का प्रयोग कर रही रही है । बीजेपी के नेता शीशे के घरों में है । कांग्रेस के कार्यकर्ता के संयम की परीक्षा बीजेपी ना ले । તે સિવાય કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


ધારાસભ્ય પદ પરથી થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

ભૂપત ભાયાણીની વાત કરીએ તો થોડા સમય પહેલા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. તેઓ આપના વિસાવદરથી ધારાસભ્ય હતા. પરંતુ તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.. ઉલ્લેખનિય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદીત નિવેદનોની સંખ્યા વધે તો નવાઈ નહીં..!   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.