BJPના વધુ એક નેતાની લપસી જીભ! Rahul Gandhiને લઈ AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું નિવેદન, કોંગ્રેસના નેતાઓ બન્યા આક્રામક!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:43:23

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો, વિવાદીત નિવેદનોમાં બદલાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ પૂર્ણ નથી થયો ત્યાં બીજેપીના કિરીટ પટેલે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારે હવે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે.. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે વિવાદીત નિવેદન આપ્યું છે. બફાટ કરતા તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'.

ભૂપત ભયાણીએ આપ્યું વિવાદીત નિવેદન

ગુજરાત ચૂંટણીના માહોલમાં રંગાઈ ગયું છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અનેક જગ્યાઓ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચામાં રહેતા હોય છે.. થોડા સમય પહેલા કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં હતો ત્યારે હવે ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં આવ્યો છે. 


રાહુલ ગાંધી માટે ભૂપત ભાયાણીએ વાપર્યો આ શબ્દ! 

આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપતા કહ્યું  'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી. મહત્વનું છે કે નિવેદનને કારણે વિવાદ ઉભા થાય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ વિવાદીત નિવેદન આપ્યું છે... 


નિવેદન સામે આવતા કોંગ્રેસના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા

મહત્વનું છે કે આ નિવેદન બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે... કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. પ્રતિક્રિયા આપતા શક્તિસિંહ ગોહિલે લખ્યું गुजरात में भाजपा के ख़िलाफ़ जनता का आक्रोश है । बोंखलाई हुई बीजेपी गंदी भाषा का प्रयोग कर रही रही है । बीजेपी के नेता शीशे के घरों में है । कांग्रेस के कार्यकर्ता के संयम की परीक्षा बीजेपी ना ले । તે સિવાય કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


ધારાસભ્ય પદ પરથી થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

ભૂપત ભાયાણીની વાત કરીએ તો થોડા સમય પહેલા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. તેઓ આપના વિસાવદરથી ધારાસભ્ય હતા. પરંતુ તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.. ઉલ્લેખનિય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદીત નિવેદનોની સંખ્યા વધે તો નવાઈ નહીં..!   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.