BJPના વધુ એક નેતાની લપસી જીભ! Rahul Gandhiને લઈ AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું નિવેદન, કોંગ્રેસના નેતાઓ બન્યા આક્રામક!


  • Published By :
  • Published Date : 2024-04-23 16:43:23

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો, વિવાદીત નિવેદનોમાં બદલાઈ રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ પૂર્ણ નથી થયો ત્યાં બીજેપીના કિરીટ પટેલે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારે હવે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે.. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે વિવાદીત નિવેદન આપ્યું છે. બફાટ કરતા તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'.

ભૂપત ભયાણીએ આપ્યું વિવાદીત નિવેદન

ગુજરાત ચૂંટણીના માહોલમાં રંગાઈ ગયું છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અનેક જગ્યાઓ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ધાટન દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદન ચર્ચામાં રહેતા હોય છે.. થોડા સમય પહેલા કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં હતો ત્યારે હવે ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવેલો બફાટ ચર્ચામાં આવ્યો છે. 


રાહુલ ગાંધી માટે ભૂપત ભાયાણીએ વાપર્યો આ શબ્દ! 

આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ નિવેદન આપતા કહ્યું  'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય'. સમજી શકેને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે, બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી. મહત્વનું છે કે નિવેદનને કારણે વિવાદ ઉભા થાય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ વિવાદીત નિવેદન આપ્યું છે... 


નિવેદન સામે આવતા કોંગ્રેસના નેતાઓની સામે આવી પ્રતિક્રિયા

મહત્વનું છે કે આ નિવેદન બાદ કોંગ્રેસના અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે... કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. પ્રતિક્રિયા આપતા શક્તિસિંહ ગોહિલે લખ્યું गुजरात में भाजपा के ख़िलाफ़ जनता का आक्रोश है । बोंखलाई हुई बीजेपी गंदी भाषा का प्रयोग कर रही रही है । बीजेपी के नेता शीशे के घरों में है । कांग्रेस के कार्यकर्ता के संयम की परीक्षा बीजेपी ना ले । તે સિવાય કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


ધારાસભ્ય પદ પરથી થોડા સમય પહેલા આપ્યું હતું રાજીનામું

ભૂપત ભાયાણીની વાત કરીએ તો થોડા સમય પહેલા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. તેઓ આપના વિસાવદરથી ધારાસભ્ય હતા. પરંતુ તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.. ઉલ્લેખનિય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદીત નિવેદનોની સંખ્યા વધે તો નવાઈ નહીં..!   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી