મતદાનમાં દેખાઈ નિરસતા? Gujaratમાં 11 વાગ્યા સુધી થયું માત્ર 24.35 મતદાન? Jamnagar, Bharuchમાં નોંધાયું આટલા ટકા મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 12:18:47

મતદાન શરૂ થયે અંદાજીત પાંચ કલાક જેટલો સમય વીતિ ગયો છે.. ગુજરાતીઓમાં જાણે મતદાન કરવા માટેનો ઉત્સાહ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે...! 11 વાગ્યા સુધીના ડેટા જે સામે આવ્યા છે તે જોતા આવું કહી રહ્યા છીએ.. 11 વાગ્યા સુધી 24.35 મતદાન થયું છે.. ના માત્ર લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો માટે પૂટા ચૂંટણી પણ થઈ રહી છે.. લોકસભા સીટમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થયું છે... જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે..



11 વાગ્યા સુધી આ જગ્યાઓ પર થયું આટલું મતદાન

11 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 23.22 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 30.27 ટકા, પાટણમાં 23.53 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 24.82 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 27.50 ટકા મતદાન, ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 21.64 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 21.15 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 22.76 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 24.56 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 19.87 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 20.85 ટકા મતદાન, જૂનાગઢમાં 23.32 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 21.89 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 22.33 ટકા મતદાન થયું છે. આણંદમાં 26.88 ટકા મતદાન થયું છે. ખેડામાં 23.76 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 23.28 ટકા મતદાન થયું છે. દાહોદમાં 26.38 ટકા મતદાન થયું છે. વડોદરામાં 20.77 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 26.58 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 27.52 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 27.77 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 23.25 ટકા મતદાન થયું છે. વલસાડમાં 28.71 ટકા મતદાન થયું છે...    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.