મતદાનમાં દેખાઈ નિરસતા? Gujaratમાં 11 વાગ્યા સુધી થયું માત્ર 24.35 મતદાન? Jamnagar, Bharuchમાં નોંધાયું આટલા ટકા મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 12:18:47

મતદાન શરૂ થયે અંદાજીત પાંચ કલાક જેટલો સમય વીતિ ગયો છે.. ગુજરાતીઓમાં જાણે મતદાન કરવા માટેનો ઉત્સાહ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે...! 11 વાગ્યા સુધીના ડેટા જે સામે આવ્યા છે તે જોતા આવું કહી રહ્યા છીએ.. 11 વાગ્યા સુધી 24.35 મતદાન થયું છે.. ના માત્ર લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો માટે પૂટા ચૂંટણી પણ થઈ રહી છે.. લોકસભા સીટમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થયું છે... જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે..



11 વાગ્યા સુધી આ જગ્યાઓ પર થયું આટલું મતદાન

11 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 23.22 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 30.27 ટકા, પાટણમાં 23.53 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 24.82 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 27.50 ટકા મતદાન, ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 21.64 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 21.15 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 22.76 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 24.56 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 19.87 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 20.85 ટકા મતદાન, જૂનાગઢમાં 23.32 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 21.89 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 22.33 ટકા મતદાન થયું છે. આણંદમાં 26.88 ટકા મતદાન થયું છે. ખેડામાં 23.76 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 23.28 ટકા મતદાન થયું છે. દાહોદમાં 26.38 ટકા મતદાન થયું છે. વડોદરામાં 20.77 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 26.58 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 27.52 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 27.77 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 23.25 ટકા મતદાન થયું છે. વલસાડમાં 28.71 ટકા મતદાન થયું છે...    



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.