મતદાનમાં દેખાઈ નિરસતા? Gujaratમાં 11 વાગ્યા સુધી થયું માત્ર 24.35 મતદાન? Jamnagar, Bharuchમાં નોંધાયું આટલા ટકા મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 12:18:47

મતદાન શરૂ થયે અંદાજીત પાંચ કલાક જેટલો સમય વીતિ ગયો છે.. ગુજરાતીઓમાં જાણે મતદાન કરવા માટેનો ઉત્સાહ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે...! 11 વાગ્યા સુધીના ડેટા જે સામે આવ્યા છે તે જોતા આવું કહી રહ્યા છીએ.. 11 વાગ્યા સુધી 24.35 મતદાન થયું છે.. ના માત્ર લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો માટે પૂટા ચૂંટણી પણ થઈ રહી છે.. લોકસભા સીટમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થયું છે... જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે..



11 વાગ્યા સુધી આ જગ્યાઓ પર થયું આટલું મતદાન

11 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 23.22 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 30.27 ટકા, પાટણમાં 23.53 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 24.82 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 27.50 ટકા મતદાન, ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 21.64 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 21.15 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 22.76 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 24.56 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 19.87 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 20.85 ટકા મતદાન, જૂનાગઢમાં 23.32 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 21.89 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 22.33 ટકા મતદાન થયું છે. આણંદમાં 26.88 ટકા મતદાન થયું છે. ખેડામાં 23.76 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 23.28 ટકા મતદાન થયું છે. દાહોદમાં 26.38 ટકા મતદાન થયું છે. વડોદરામાં 20.77 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 26.58 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 27.52 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 27.77 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 23.25 ટકા મતદાન થયું છે. વલસાડમાં 28.71 ટકા મતદાન થયું છે...    



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.