મતદાનમાં દેખાઈ નિરસતા? Gujaratમાં 11 વાગ્યા સુધી થયું માત્ર 24.35 મતદાન? Jamnagar, Bharuchમાં નોંધાયું આટલા ટકા મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 12:18:47

મતદાન શરૂ થયે અંદાજીત પાંચ કલાક જેટલો સમય વીતિ ગયો છે.. ગુજરાતીઓમાં જાણે મતદાન કરવા માટેનો ઉત્સાહ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે...! 11 વાગ્યા સુધીના ડેટા જે સામે આવ્યા છે તે જોતા આવું કહી રહ્યા છીએ.. 11 વાગ્યા સુધી 24.35 મતદાન થયું છે.. ના માત્ર લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો માટે પૂટા ચૂંટણી પણ થઈ રહી છે.. લોકસભા સીટમાં નોંધાયેલા મતદાનની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન થયું છે... જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં થયું છે..



11 વાગ્યા સુધી આ જગ્યાઓ પર થયું આટલું મતદાન

11 વાગ્યા સુધી કચ્છમાં અંદાજીત 23.22 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 30.27 ટકા, પાટણમાં 23.53 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 24.82 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 27.50 ટકા મતદાન, ગાંધીનગરમાં 25.67 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 21.64 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 21.15 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 22.76 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 24.56 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 19.87 ટકા મતદાન 11 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 20.85 ટકા મતદાન, જૂનાગઢમાં 23.32 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 21.89 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 22.33 ટકા મતદાન થયું છે. આણંદમાં 26.88 ટકા મતદાન થયું છે. ખેડામાં 23.76 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 23.28 ટકા મતદાન થયું છે. દાહોદમાં 26.38 ટકા મતદાન થયું છે. વડોદરામાં 20.77 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 26.58 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 27.52 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 27.77 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 23.25 ટકા મતદાન થયું છે. વલસાડમાં 28.71 ટકા મતદાન થયું છે...    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.