સરકારની સ્માર્ટફોન કંપનીઓને ચેતવણી, 3 મહિનામાં 5G અપડેટ આપો નહીં તો પરિણામ ભોગવવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 14:23:38

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ અને સ્માર્ટફોન કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતમાં 5G રોલઆઉટમાં વિલંબના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે 5G સેવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે ખાસ કરીને સ્માર્ટફોન કંપનીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ 3 મહિનાની અંદર તમામ 5G સ્માર્ટફોનમાં જરૂરી 5G સોફ્ટવેર અપડેટ આપે, નહીં તો ટેલિકોમ કંપનીઓને પરિણામ ભોગવવું પડી શકે છે.


5G સોફ્ટવેર અપડેટમાં વિલંબ


તમને ઉલ્લેખનિય છે કે સ્માર્ટફોન કંપનીઓ છેલ્લા 2 વર્ષથી 5G સ્માર્ટફોનનું વેચાણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 5G સ્માર્ટફોન ગ્રાહકોને અપેક્ષા હતી કે ભારતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોવાથી, તેઓ પહેલા 5G સેવાનો ઉપયોગ કરી શકશે. પરંતુ આવું થઈ રહ્યું નથી. જ્યાં ટેલિકોમ કંપનીઓ અને સરકાર છેલ્લા એક વર્ષથી 5G લાવવાની દિશામાં કામ કરી રહી હતી. પરંતુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન 5G સ્માર્ટફોનના વેચાણ પર હતું. પરંતુ ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ આપવા પર તેમની તરફથી કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં, જ્યારે એરટેલ અને જિયો દ્વારા દેશમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં વેચાતા 5G સ્માર્ટફોનમાં 5G ચાલી રહ્યું નથી. જોકે, સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિસેમ્બર પહેલા તમામ સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર રોલ આઉટ કરવાનો દાવો કરી રહી છે.



ડિસેમ્બર સુધી તમામ સ્માર્ટફોનમાં મળી જશે 5G અપડેટ


ભારતમાં લગભગ 750 મિલિયન (75 કરોડ) મોબાઈલ ફોન યુઝર્સ છે. આમાંથી લગભગ 100 મિલિયન (10 કરોડ) યુઝર્સ પાસે 5G ફ્યુચર રેડી સ્માર્ટફોન છે. પરંતુ 350 (33 કરોડ) મિલિયનથી વધુ વપરાશકર્તાઓ માત્ર 3G અને 4G કમ્પેટિબલ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે