સરકારની સ્માર્ટફોન કંપનીઓને ચેતવણી, 3 મહિનામાં 5G અપડેટ આપો નહીં તો પરિણામ ભોગવવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 14:23:38

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ અને સ્માર્ટફોન કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતમાં 5G રોલઆઉટમાં વિલંબના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે 5G સેવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે ખાસ કરીને સ્માર્ટફોન કંપનીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ 3 મહિનાની અંદર તમામ 5G સ્માર્ટફોનમાં જરૂરી 5G સોફ્ટવેર અપડેટ આપે, નહીં તો ટેલિકોમ કંપનીઓને પરિણામ ભોગવવું પડી શકે છે.


5G સોફ્ટવેર અપડેટમાં વિલંબ


તમને ઉલ્લેખનિય છે કે સ્માર્ટફોન કંપનીઓ છેલ્લા 2 વર્ષથી 5G સ્માર્ટફોનનું વેચાણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 5G સ્માર્ટફોન ગ્રાહકોને અપેક્ષા હતી કે ભારતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોવાથી, તેઓ પહેલા 5G સેવાનો ઉપયોગ કરી શકશે. પરંતુ આવું થઈ રહ્યું નથી. જ્યાં ટેલિકોમ કંપનીઓ અને સરકાર છેલ્લા એક વર્ષથી 5G લાવવાની દિશામાં કામ કરી રહી હતી. પરંતુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન 5G સ્માર્ટફોનના વેચાણ પર હતું. પરંતુ ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ આપવા પર તેમની તરફથી કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં, જ્યારે એરટેલ અને જિયો દ્વારા દેશમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં વેચાતા 5G સ્માર્ટફોનમાં 5G ચાલી રહ્યું નથી. જોકે, સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિસેમ્બર પહેલા તમામ સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર રોલ આઉટ કરવાનો દાવો કરી રહી છે.



ડિસેમ્બર સુધી તમામ સ્માર્ટફોનમાં મળી જશે 5G અપડેટ


ભારતમાં લગભગ 750 મિલિયન (75 કરોડ) મોબાઈલ ફોન યુઝર્સ છે. આમાંથી લગભગ 100 મિલિયન (10 કરોડ) યુઝર્સ પાસે 5G ફ્યુચર રેડી સ્માર્ટફોન છે. પરંતુ 350 (33 કરોડ) મિલિયનથી વધુ વપરાશકર્તાઓ માત્ર 3G અને 4G કમ્પેટિબલ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.