સરકારની સ્માર્ટફોન કંપનીઓને ચેતવણી, 3 મહિનામાં 5G અપડેટ આપો નહીં તો પરિણામ ભોગવવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 14:23:38

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ અને સ્માર્ટફોન કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતમાં 5G રોલઆઉટમાં વિલંબના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે 5G સેવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે ખાસ કરીને સ્માર્ટફોન કંપનીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ 3 મહિનાની અંદર તમામ 5G સ્માર્ટફોનમાં જરૂરી 5G સોફ્ટવેર અપડેટ આપે, નહીં તો ટેલિકોમ કંપનીઓને પરિણામ ભોગવવું પડી શકે છે.


5G સોફ્ટવેર અપડેટમાં વિલંબ


તમને ઉલ્લેખનિય છે કે સ્માર્ટફોન કંપનીઓ છેલ્લા 2 વર્ષથી 5G સ્માર્ટફોનનું વેચાણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 5G સ્માર્ટફોન ગ્રાહકોને અપેક્ષા હતી કે ભારતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોવાથી, તેઓ પહેલા 5G સેવાનો ઉપયોગ કરી શકશે. પરંતુ આવું થઈ રહ્યું નથી. જ્યાં ટેલિકોમ કંપનીઓ અને સરકાર છેલ્લા એક વર્ષથી 5G લાવવાની દિશામાં કામ કરી રહી હતી. પરંતુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન 5G સ્માર્ટફોનના વેચાણ પર હતું. પરંતુ ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ આપવા પર તેમની તરફથી કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં, જ્યારે એરટેલ અને જિયો દ્વારા દેશમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં વેચાતા 5G સ્માર્ટફોનમાં 5G ચાલી રહ્યું નથી. જોકે, સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિસેમ્બર પહેલા તમામ સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર રોલ આઉટ કરવાનો દાવો કરી રહી છે.



ડિસેમ્બર સુધી તમામ સ્માર્ટફોનમાં મળી જશે 5G અપડેટ


ભારતમાં લગભગ 750 મિલિયન (75 કરોડ) મોબાઈલ ફોન યુઝર્સ છે. આમાંથી લગભગ 100 મિલિયન (10 કરોડ) યુઝર્સ પાસે 5G ફ્યુચર રેડી સ્માર્ટફોન છે. પરંતુ 350 (33 કરોડ) મિલિયનથી વધુ વપરાશકર્તાઓ માત્ર 3G અને 4G કમ્પેટિબલ છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.