સરકારની સ્માર્ટફોન કંપનીઓને ચેતવણી, 3 મહિનામાં 5G અપડેટ આપો નહીં તો પરિણામ ભોગવવું પડશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 14:23:38

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ટેલિકોમ અને સ્માર્ટફોન કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતમાં 5G રોલઆઉટમાં વિલંબના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે 5G સેવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે ખાસ કરીને સ્માર્ટફોન કંપનીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ 3 મહિનાની અંદર તમામ 5G સ્માર્ટફોનમાં જરૂરી 5G સોફ્ટવેર અપડેટ આપે, નહીં તો ટેલિકોમ કંપનીઓને પરિણામ ભોગવવું પડી શકે છે.


5G સોફ્ટવેર અપડેટમાં વિલંબ


તમને ઉલ્લેખનિય છે કે સ્માર્ટફોન કંપનીઓ છેલ્લા 2 વર્ષથી 5G સ્માર્ટફોનનું વેચાણ કરી રહી છે. આવી સ્થિતિમાં, 5G સ્માર્ટફોન ગ્રાહકોને અપેક્ષા હતી કે ભારતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ હોવાથી, તેઓ પહેલા 5G સેવાનો ઉપયોગ કરી શકશે. પરંતુ આવું થઈ રહ્યું નથી. જ્યાં ટેલિકોમ કંપનીઓ અને સરકાર છેલ્લા એક વર્ષથી 5G લાવવાની દિશામાં કામ કરી રહી હતી. પરંતુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન 5G સ્માર્ટફોનના વેચાણ પર હતું. પરંતુ ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ આપવા પર તેમની તરફથી કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં, જ્યારે એરટેલ અને જિયો દ્વારા દેશમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં વેચાતા 5G સ્માર્ટફોનમાં 5G ચાલી રહ્યું નથી. જોકે, સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિસેમ્બર પહેલા તમામ સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર રોલ આઉટ કરવાનો દાવો કરી રહી છે.



ડિસેમ્બર સુધી તમામ સ્માર્ટફોનમાં મળી જશે 5G અપડેટ


ભારતમાં લગભગ 750 મિલિયન (75 કરોડ) મોબાઈલ ફોન યુઝર્સ છે. આમાંથી લગભગ 100 મિલિયન (10 કરોડ) યુઝર્સ પાસે 5G ફ્યુચર રેડી સ્માર્ટફોન છે. પરંતુ 350 (33 કરોડ) મિલિયનથી વધુ વપરાશકર્તાઓ માત્ર 3G અને 4G કમ્પેટિબલ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે