રાહુલ ગાંધીની 'ફ્લાઈંગ કિસ' મુદ્દે સંસદમાં હોબાળો, સ્મૃતિ ઈરાની સહિતના મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:07

દેશની સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને તેમાં સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.  જો કે આ ચર્ચા કરતા બુમબરાડા વધારે છે, શાસક અને વિપક્ષના સાંસદો એકબીજા પર મણિપુર હિંસા પર ચર્ચા કરવાને બદલે અંગત આરોપ લગાવી રહ્યા છે. જેમ કે આજે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ  રાહુલ ગાંધી પર ગંભીર આરોલ લગાવ્યો છે. તેમણે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સંસદમાં તેમને 'ફ્લાઈંગ કિસ' આપી હતી. સ્મૃતિ ઈરાનીના આરોપ બાદ સંસદમાં હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર પણ આ 'ફ્લાઈંગ કિસ'નો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?


રાહુલ ગાંધી પર આ ફ્લાઈંગ કિસના આરોપ બાદ વિવાદ ઊભો થયો છે. સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ફક્ત એક મહિલા વિરોધી વ્યક્તિ જ સંસદમાં મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવું ઉદાહરણ પહેલા જોવા મળ્યું નથી. તેનાથી ખબર પડે છે કે તેઓ મહિલાઓ વિશે શું વિચારે છે, આ અભદ્ર વર્તન છે. 


સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ 


રાહુલ ગાંધીની કથિત  ફ્લાઈંગ કિસ મામલે  NDAના કેટલાક મહિલા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધીએ સંસદમાં તેમને ફ્લાઈંગ કિસ આપવાનો ઈશારો કર્યો હતો. આવા આરોપો લાગ્યા બાદ મહિલા સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજે પણ ફ્લાઈંગ કિસને લઈને કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું હતું. સાંસદ શોભા કરંદલાજે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પીકરને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે જ્યારે સ્મૃતિ ઈરાની પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તે સમયે રાહુલ ગાંધીએ તેમના અને અન્ય મહિલા સાંસદો તરફ ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો. તેમણે સ્પિકરને ફરિયાદ કરીને માંગણી કરી છે કે સીસીટીવી ફૂટેજ કઢાવો અને ત્યાર બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તેમણે માત્ર મહિલાઓનું અપમાન જ નહીં પરંતુ સદનની ગરીમાને પણ ઠેસ પહોંચાડી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.