રાહુલ ગાંધીની 'ફ્લાઈંગ કિસ' મુદ્દે સંસદમાં હોબાળો, સ્મૃતિ ઈરાની સહિતના મહિલા સાંસદોએ સ્પીકરને કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-08-09 19:05:07

દેશની સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને તેમાં સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.  જો કે આ ચર્ચા કરતા બુમબરાડા વધારે છે, શાસક અને વિપક્ષના સાંસદો એકબીજા પર મણિપુર હિંસા પર ચર્ચા કરવાને બદલે અંગત આરોપ લગાવી રહ્યા છે. જેમ કે આજે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ  રાહુલ ગાંધી પર ગંભીર આરોલ લગાવ્યો છે. તેમણે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ સંસદમાં તેમને 'ફ્લાઈંગ કિસ' આપી હતી. સ્મૃતિ ઈરાનીના આરોપ બાદ સંસદમાં હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર પણ આ 'ફ્લાઈંગ કિસ'નો વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. 


સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું?


રાહુલ ગાંધી પર આ ફ્લાઈંગ કિસના આરોપ બાદ વિવાદ ઊભો થયો છે. સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કહ્યું કે ફક્ત એક મહિલા વિરોધી વ્યક્તિ જ સંસદમાં મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવું ઉદાહરણ પહેલા જોવા મળ્યું નથી. તેનાથી ખબર પડે છે કે તેઓ મહિલાઓ વિશે શું વિચારે છે, આ અભદ્ર વર્તન છે. 


સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ 


રાહુલ ગાંધીની કથિત  ફ્લાઈંગ કિસ મામલે  NDAના કેટલાક મહિલા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધીએ સંસદમાં તેમને ફ્લાઈંગ કિસ આપવાનો ઈશારો કર્યો હતો. આવા આરોપો લાગ્યા બાદ મહિલા સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય કૃષિ મંત્રી શોભા કરંદલાજે પણ ફ્લાઈંગ કિસને લઈને કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું હતું. સાંસદ શોભા કરંદલાજે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પીકરને કરેલી ફરિયાદમાં લખ્યું છે કે જ્યારે સ્મૃતિ ઈરાની પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તે સમયે રાહુલ ગાંધીએ તેમના અને અન્ય મહિલા સાંસદો તરફ ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો. તેમણે સ્પિકરને ફરિયાદ કરીને માંગણી કરી છે કે સીસીટીવી ફૂટેજ કઢાવો અને ત્યાર બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તેમણે માત્ર મહિલાઓનું અપમાન જ નહીં પરંતુ સદનની ગરીમાને પણ ઠેસ પહોંચાડી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .