સ્મૃતિ ઈરાની ભાજપના હેલો શક્તિ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:25:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.  પીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભાજપ દ્વારા આયોજિત હેલો શક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સ્મૃતિ ઈરાની ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરશે. આ નંબર પર ફોન પર મિસ-કોલ કર્યા બાદ ભાજપની મહિલા કાર્યકરો સાથે ભાજપના નેતા સંવાદ કરશે. 

Only Thing Wrong With Smriti Irani's Appointment To Minority Affairs Is  That There Is Such A Ministry At All

અનેક નેતાઓ છે ગુજરાતની મુલાકાતે 

2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા તેમજ આપના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ભાજપ દ્વારા પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .