સ્મૃતિ ઈરાની ભાજપના હેલો શક્તિ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:25:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.  પીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભાજપ દ્વારા આયોજિત હેલો શક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સ્મૃતિ ઈરાની ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરશે. આ નંબર પર ફોન પર મિસ-કોલ કર્યા બાદ ભાજપની મહિલા કાર્યકરો સાથે ભાજપના નેતા સંવાદ કરશે. 

Only Thing Wrong With Smriti Irani's Appointment To Minority Affairs Is  That There Is Such A Ministry At All

અનેક નેતાઓ છે ગુજરાતની મુલાકાતે 

2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા તેમજ આપના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ભાજપ દ્વારા પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .