સ્મૃતિ ઈરાની ભાજપના હેલો શક્તિ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:25:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.  પીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભાજપ દ્વારા આયોજિત હેલો શક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. સ્મૃતિ ઈરાની ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરશે. આ નંબર પર ફોન પર મિસ-કોલ કર્યા બાદ ભાજપની મહિલા કાર્યકરો સાથે ભાજપના નેતા સંવાદ કરશે. 

Only Thing Wrong With Smriti Irani's Appointment To Minority Affairs Is  That There Is Such A Ministry At All

અનેક નેતાઓ છે ગુજરાતની મુલાકાતે 

2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા તેમજ આપના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ફરી એક વખત અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ભાજપ દ્વારા પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.