Abuમાં હિમવર્ષા તો Tamil Naduમાં ભારે વર્ષા! જાણો Gujaratના હવામાનનો કેવો છે મિજાજ?


  • Published By :
  • Published Date : 2023-12-20 14:32:03

ગુજરાતના અનેક શહેરોમાં શિયાળાની અસર દેખાતી શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થતો હતો પરંતુ હવે ધીરે ધીરે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. ઠંડીનો અનુભવ શરૂ થતા બપોરના સમયે પણ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પણ હિમવર્ષા થઈ છે જેને કારણે બરફની ચાદર નીચે માઉન્ટ આબુ ઢંકાઈ ગયું હોય તેવું લાગે છે,

Weather update: નવા વર્ષના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, તાપમાનનો પારો  2થી 3 ડિગ્રી ગગડ્યો - Gujarati News | Weather update Freezing cold in the  state on the first day of the

       

નલિયાનું તાપમાન પહોંચ્યું 11.8 ડિગ્રી પર! 

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. તમિલનાડુંમાં તો વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. એટલી ભયંકર વર્ષા થઈ રહી છે કે ત્યાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના વાતાવરણ પર પણ હિમવર્ષાની અસર દેખાઈ રહી છે. મંગળવારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 પર પહોંચ્યું હતું. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું. સુરતનું તાપમાન 20.8 જ્યારે વલસાડનું તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગરનું તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. મહત્વનું છે કે શિયાળાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.