Abuમાં હિમવર્ષા તો Tamil Naduમાં ભારે વર્ષા! જાણો Gujaratના હવામાનનો કેવો છે મિજાજ?


  • Published By :
  • Published Date : 2023-12-20 14:32:03

ગુજરાતના અનેક શહેરોમાં શિયાળાની અસર દેખાતી શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થતો હતો પરંતુ હવે ધીરે ધીરે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. ઠંડીનો અનુભવ શરૂ થતા બપોરના સમયે પણ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પણ હિમવર્ષા થઈ છે જેને કારણે બરફની ચાદર નીચે માઉન્ટ આબુ ઢંકાઈ ગયું હોય તેવું લાગે છે,

Weather update: નવા વર્ષના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, તાપમાનનો પારો  2થી 3 ડિગ્રી ગગડ્યો - Gujarati News | Weather update Freezing cold in the  state on the first day of the

       

નલિયાનું તાપમાન પહોંચ્યું 11.8 ડિગ્રી પર! 

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. તમિલનાડુંમાં તો વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. એટલી ભયંકર વર્ષા થઈ રહી છે કે ત્યાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના વાતાવરણ પર પણ હિમવર્ષાની અસર દેખાઈ રહી છે. મંગળવારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 પર પહોંચ્યું હતું. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું. સુરતનું તાપમાન 20.8 જ્યારે વલસાડનું તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગરનું તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. મહત્વનું છે કે શિયાળાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.  



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.