Abuમાં હિમવર્ષા તો Tamil Naduમાં ભારે વર્ષા! જાણો Gujaratના હવામાનનો કેવો છે મિજાજ?


  • Published By :
  • Published Date : 2023-12-20 14:32:03

ગુજરાતના અનેક શહેરોમાં શિયાળાની અસર દેખાતી શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થતો હતો પરંતુ હવે ધીરે ધીરે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે. ઠંડીનો અનુભવ શરૂ થતા બપોરના સમયે પણ લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પણ હિમવર્ષા થઈ છે જેને કારણે બરફની ચાદર નીચે માઉન્ટ આબુ ઢંકાઈ ગયું હોય તેવું લાગે છે,

Weather update: નવા વર્ષના પહેલા દિવસે રાજ્યમાં જામી ઠંડી, તાપમાનનો પારો  2થી 3 ડિગ્રી ગગડ્યો - Gujarati News | Weather update Freezing cold in the  state on the first day of the

       

નલિયાનું તાપમાન પહોંચ્યું 11.8 ડિગ્રી પર! 

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો. તમિલનાડુંમાં તો વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. એટલી ભયંકર વર્ષા થઈ રહી છે કે ત્યાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના વાતાવરણ પર પણ હિમવર્ષાની અસર દેખાઈ રહી છે. મંગળવારે નલિયાનું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન 15.5 પર પહોંચ્યું હતું. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી જ્યારે વડોદરાનું તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું. સુરતનું તાપમાન 20.8 જ્યારે વલસાડનું તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું. સુરેન્દ્રનગરનું તાપમાન 14.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. મહત્વનું છે કે શિયાળાની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."