હજી સુધી ગાંધીનગર નકલી કોલ લેટર કૌભાંડમાં આટલા લોકોની થઈ ઓળખ, તપાસમાં આ લોકોના નામ સામે આવ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 13:44:23

ગુજરાતમાંથી અનેક એવા કૌભાંડ સામે આવતા હોય છે જે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરતી હોય છે. થોડા સમય પહેલા નકલી કોલલેટર બનાવી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. થોડા સમય પહેલા મયુર તડવી નામનો વ્યક્તિ આવી રીતે પકડાયો હતો. ત્યારે થોડા દિવસો પહેલા નકલી કોલ લેટર બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ગાંધીનગરમાં પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિના ઘરમાં દારૂની બોટલો છે જેને લઈ પોલીસે ઘરમાં દરોડા પાડ્યા. પરંતુ ત્યાં નકલી કોલ લેટર બનાવવામાં આવતું હતું. આ કેસમાં વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  


ઘરમાં જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે... 

ગાંધીનગરમાં પોલીસે સેક્ટર-28ના સરકારી ક્વાટર્સમાં દારૂ હોવાની માહિતી સાથે રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી દારૂની અડધી જ બોટલ મળી, પરંતુ તપાસમાં ઢગલો બંધ ફર્જી કોલ લેટર મળી ગયા મોટી વાત એ હતી કે જ્યાં રેડ પડી હતી તે  રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીનો કારકુંન હતો તે દિવસે અમે એ આખી મોડસઓપરેન્ડી સમજાવી હતી કે કઈ રીતે સરકારી કચેરીઓમાં કામ કરતાં વ્યક્તિને ખબર હોય કે કોઈ પણ લેટર કઈ રીતે બનાવે અને કેમ ચોરી કરતાં માણસને ઠગવું હાલ આ કેસમાં વધુ 10 લોકોની ઓળખ થઈ છે. મોટી વાત એ છે કે પોલીસની તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલા 23 કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના છે. 


તપાસ દરમિયાન પોલીસને મળી અડધી દારૂની બોટલ 

વાત એમ હતી કે સેક્ટર-21 પોલીસ સ્ટેશનને સેક્ટર-28માં પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરમાં દારૂ હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. ઘરમાં સર્ચ દરમિયાન દારૂની અડધી બોટલ મળી આવી. આ સાથે સરકારી નોકરીના બનાવટી કોલલેટર પણ મળ્યા હતા પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલા જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. તેના ઘરમાં તપાસમાં તિજોરીમાંથી ક્લાસ-2 અને ક્લાસ-3ના અલગ અલગ વિભાગના બનાવટી કોલલેટર મળ્યા હતા . 



કોલલેટર પ્રમાણે બદલાતા હતા ભાવ 

પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના રૂ.1 લાખથી 5 લાખ સુધી લેતો હતો. બાદમાં ઉમેદવાર નોકરીની વાત કરે તો તેમને સીધી નોકરી મળી જશે તેવું બહાનું કાઢતો. હવે વાત કરીએ આરોપીના પિતાની આરોપી ના પિતા ઉદ્યોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. તેમને ખબર જ હોય કે કયા કાગળમાં કઈ રીતે નકલી કોલ લેટર બનાવીને પૈસા કમાઈ શકાય છે.   


મયુર તડવીના કિસ્સાને કરવો પડશે યાદ 

જ્યારે આવા સમાચારો સામે આવતા હોય છે ત્યારે આપણને જુના કિસ્સાઓ યાદ આવતા હોય છે. જૂની આવી બધી ઘટનાઓ યાદ કરવી જ પડે કે કઈ રીતે મયુર તડવી નકલી psiની ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને કઈ રીતે અનેક લોકો એવું માને છે કે આ તો અમે પૈસા આપીને નોકરી લીધી છે પણ એમાં એ લોકો ઠગાઇ જાય છે એમના હાથમાં આવે છે નકલી કોલ લેટર.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.