હજી સુધી ગાંધીનગર નકલી કોલ લેટર કૌભાંડમાં આટલા લોકોની થઈ ઓળખ, તપાસમાં આ લોકોના નામ સામે આવ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 13:44:23

ગુજરાતમાંથી અનેક એવા કૌભાંડ સામે આવતા હોય છે જે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરતી હોય છે. થોડા સમય પહેલા નકલી કોલલેટર બનાવી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. થોડા સમય પહેલા મયુર તડવી નામનો વ્યક્તિ આવી રીતે પકડાયો હતો. ત્યારે થોડા દિવસો પહેલા નકલી કોલ લેટર બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ગાંધીનગરમાં પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિના ઘરમાં દારૂની બોટલો છે જેને લઈ પોલીસે ઘરમાં દરોડા પાડ્યા. પરંતુ ત્યાં નકલી કોલ લેટર બનાવવામાં આવતું હતું. આ કેસમાં વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  


ઘરમાં જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે... 

ગાંધીનગરમાં પોલીસે સેક્ટર-28ના સરકારી ક્વાટર્સમાં દારૂ હોવાની માહિતી સાથે રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી દારૂની અડધી જ બોટલ મળી, પરંતુ તપાસમાં ઢગલો બંધ ફર્જી કોલ લેટર મળી ગયા મોટી વાત એ હતી કે જ્યાં રેડ પડી હતી તે  રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીનો કારકુંન હતો તે દિવસે અમે એ આખી મોડસઓપરેન્ડી સમજાવી હતી કે કઈ રીતે સરકારી કચેરીઓમાં કામ કરતાં વ્યક્તિને ખબર હોય કે કોઈ પણ લેટર કઈ રીતે બનાવે અને કેમ ચોરી કરતાં માણસને ઠગવું હાલ આ કેસમાં વધુ 10 લોકોની ઓળખ થઈ છે. મોટી વાત એ છે કે પોલીસની તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલા 23 કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના છે. 


તપાસ દરમિયાન પોલીસને મળી અડધી દારૂની બોટલ 

વાત એમ હતી કે સેક્ટર-21 પોલીસ સ્ટેશનને સેક્ટર-28માં પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરમાં દારૂ હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. ઘરમાં સર્ચ દરમિયાન દારૂની અડધી બોટલ મળી આવી. આ સાથે સરકારી નોકરીના બનાવટી કોલલેટર પણ મળ્યા હતા પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલા જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. તેના ઘરમાં તપાસમાં તિજોરીમાંથી ક્લાસ-2 અને ક્લાસ-3ના અલગ અલગ વિભાગના બનાવટી કોલલેટર મળ્યા હતા . 



કોલલેટર પ્રમાણે બદલાતા હતા ભાવ 

પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના રૂ.1 લાખથી 5 લાખ સુધી લેતો હતો. બાદમાં ઉમેદવાર નોકરીની વાત કરે તો તેમને સીધી નોકરી મળી જશે તેવું બહાનું કાઢતો. હવે વાત કરીએ આરોપીના પિતાની આરોપી ના પિતા ઉદ્યોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. તેમને ખબર જ હોય કે કયા કાગળમાં કઈ રીતે નકલી કોલ લેટર બનાવીને પૈસા કમાઈ શકાય છે.   


મયુર તડવીના કિસ્સાને કરવો પડશે યાદ 

જ્યારે આવા સમાચારો સામે આવતા હોય છે ત્યારે આપણને જુના કિસ્સાઓ યાદ આવતા હોય છે. જૂની આવી બધી ઘટનાઓ યાદ કરવી જ પડે કે કઈ રીતે મયુર તડવી નકલી psiની ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને કઈ રીતે અનેક લોકો એવું માને છે કે આ તો અમે પૈસા આપીને નોકરી લીધી છે પણ એમાં એ લોકો ઠગાઇ જાય છે એમના હાથમાં આવે છે નકલી કોલ લેટર.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.