હજી સુધી ગાંધીનગર નકલી કોલ લેટર કૌભાંડમાં આટલા લોકોની થઈ ઓળખ, તપાસમાં આ લોકોના નામ સામે આવ્યા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-04 13:44:23

ગુજરાતમાંથી અનેક એવા કૌભાંડ સામે આવતા હોય છે જે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરતી હોય છે. થોડા સમય પહેલા નકલી કોલલેટર બનાવી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. થોડા સમય પહેલા મયુર તડવી નામનો વ્યક્તિ આવી રીતે પકડાયો હતો. ત્યારે થોડા દિવસો પહેલા નકલી કોલ લેટર બનાવી આપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ગાંધીનગરમાં પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિના ઘરમાં દારૂની બોટલો છે જેને લઈ પોલીસે ઘરમાં દરોડા પાડ્યા. પરંતુ ત્યાં નકલી કોલ લેટર બનાવવામાં આવતું હતું. આ કેસમાં વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  


ઘરમાં જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે... 

ગાંધીનગરમાં પોલીસે સેક્ટર-28ના સરકારી ક્વાટર્સમાં દારૂ હોવાની માહિતી સાથે રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી દારૂની અડધી જ બોટલ મળી, પરંતુ તપાસમાં ઢગલો બંધ ફર્જી કોલ લેટર મળી ગયા મોટી વાત એ હતી કે જ્યાં રેડ પડી હતી તે  રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રીનો કારકુંન હતો તે દિવસે અમે એ આખી મોડસઓપરેન્ડી સમજાવી હતી કે કઈ રીતે સરકારી કચેરીઓમાં કામ કરતાં વ્યક્તિને ખબર હોય કે કોઈ પણ લેટર કઈ રીતે બનાવે અને કેમ ચોરી કરતાં માણસને ઠગવું હાલ આ કેસમાં વધુ 10 લોકોની ઓળખ થઈ છે. મોટી વાત એ છે કે પોલીસની તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલા 23 કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના છે. 


તપાસ દરમિયાન પોલીસને મળી અડધી દારૂની બોટલ 

વાત એમ હતી કે સેક્ટર-21 પોલીસ સ્ટેશનને સેક્ટર-28માં પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરમાં દારૂ હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. ઘરમાં સર્ચ દરમિયાન દારૂની અડધી બોટલ મળી આવી. આ સાથે સરકારી નોકરીના બનાવટી કોલલેટર પણ મળ્યા હતા પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલા જ રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. તેના ઘરમાં તપાસમાં તિજોરીમાંથી ક્લાસ-2 અને ક્લાસ-3ના અલગ અલગ વિભાગના બનાવટી કોલલેટર મળ્યા હતા . 



કોલલેટર પ્રમાણે બદલાતા હતા ભાવ 

પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના રૂ.1 લાખથી 5 લાખ સુધી લેતો હતો. બાદમાં ઉમેદવાર નોકરીની વાત કરે તો તેમને સીધી નોકરી મળી જશે તેવું બહાનું કાઢતો. હવે વાત કરીએ આરોપીના પિતાની આરોપી ના પિતા ઉદ્યોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. તેમને ખબર જ હોય કે કયા કાગળમાં કઈ રીતે નકલી કોલ લેટર બનાવીને પૈસા કમાઈ શકાય છે.   


મયુર તડવીના કિસ્સાને કરવો પડશે યાદ 

જ્યારે આવા સમાચારો સામે આવતા હોય છે ત્યારે આપણને જુના કિસ્સાઓ યાદ આવતા હોય છે. જૂની આવી બધી ઘટનાઓ યાદ કરવી જ પડે કે કઈ રીતે મયુર તડવી નકલી psiની ટ્રેનિંગ લઈ રહ્યો હતો અને કઈ રીતે અનેક લોકો એવું માને છે કે આ તો અમે પૈસા આપીને નોકરી લીધી છે પણ એમાં એ લોકો ઠગાઇ જાય છે એમના હાથમાં આવે છે નકલી કોલ લેટર.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.