તો આવી રીતે લાગી ગેમ ઝોનમાં આગ? TRP Game Zoneની અંદરના CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2024-05-27 12:35:36

શનિવાર સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી.. એ આગ એટલી ભીષણ હતી કે તેમાં 28 જેટલી જિંદગી ભૂંજાઈ ગઈ.. આ ઘટના બાદ અનેક માહિતી સામે આવી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલતું હતું વગેરે વગેરે.. આગ લાગવાના કારણો અનેક હોઈ શકે છે.. પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તેના તણખલાથી આ આગ લાગી તેવો વીડિયો સામે આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોને લઈ એવી વાતો કરવામાં આવી રહી છે કે આ તે સમયનો વીડિયો છે જ્યારે સૌથી પહેલા આગ લાગી... 

શનિવાર સાંજે ગેમ ઝોનમાં લાગી હતી ભીષણ આગ

વેકેશનનો સમય હતો અને તેમાં પણ શનિવારનો દિવસ હતો એટલે મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનની મજા માણવા આવ્યા હતા.. લોકોને આકર્ષવા માટે 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી હતી.. આટલા ઓછા પૈસામાં ગેમ ઝોનની મજા મળતી હોય તો મધ્યમ વર્ગીય પરિવાર સ્વાભાવિક રીતે ત્યાં જવાનો.. પરંતુ ગેમ ઝોનમાં જઈ રહેલા વ્યક્તિને, પરિવારને ખબર નથી કે તે એક ભયંકર દુર્ઘટનાનો શિકાર થવાનો છે... શનિવાર સાંજે એકાએક ગેમ ઝોનમાં આગ લાગી અને એટલી ઝડપથી તે આગ પ્રસરી કે જોત જોતામાં તો 28 જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ.


એસઆઈટીની કરવામાં આવી રચના આ મામલે તપાસ માટે

આ ઘટના બાદ રાજકોટમાં આક્રંદ વ્યાપી ઉઠ્યો હતો.. પરિવારજનોનો કલ્પાંત આપણને હચમચાવી દે તેવો હતો. મૃતદેહોની એવી હાલત થઈ ગઈ હતી તે મૃતદેહોને શોધવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે.. આખી ઘટનાને લઈ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે તે તપાસ કરશે પરંતુ આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે આગ લાગવાની શરૂઆત અહીંયાથી થઈ હતી... 



ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી  

વેલ્ડીંગના તણખલાને કારણે આગ લાગી હતી. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. મહત્વનું છે કે આગને ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ તે આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આગ પર કાબુ ના મેળવી શકાયો. ધીરે ધીરે આગે એટલું ભયંકર રૂપ લઈ લીધું કે 28 જિંદગીને ભરખી ગઈ. મહત્વનું છે કે એવી પણ માહિતી સામે આવી છે કે અનેક લીટર પેટ્રોલ અને ડીઝલ ત્યાં હતું જેને કારણે આગે વિકરાળ રૂપ લઈ લીધું.. આ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો થઈ અને આજે સુનાવણી ચાલી રહી છે જેમાં RMCની કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી રહી છે..    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.