તો આવી રીતે લાગી ગેમ ઝોનમાં આગ? TRP Game Zoneની અંદરના CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2024-05-27 12:35:36

શનિવાર સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી.. એ આગ એટલી ભીષણ હતી કે તેમાં 28 જેટલી જિંદગી ભૂંજાઈ ગઈ.. આ ઘટના બાદ અનેક માહિતી સામે આવી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલતું હતું વગેરે વગેરે.. આગ લાગવાના કારણો અનેક હોઈ શકે છે.. પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તેના તણખલાથી આ આગ લાગી તેવો વીડિયો સામે આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોને લઈ એવી વાતો કરવામાં આવી રહી છે કે આ તે સમયનો વીડિયો છે જ્યારે સૌથી પહેલા આગ લાગી... 

શનિવાર સાંજે ગેમ ઝોનમાં લાગી હતી ભીષણ આગ

વેકેશનનો સમય હતો અને તેમાં પણ શનિવારનો દિવસ હતો એટલે મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનની મજા માણવા આવ્યા હતા.. લોકોને આકર્ષવા માટે 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી હતી.. આટલા ઓછા પૈસામાં ગેમ ઝોનની મજા મળતી હોય તો મધ્યમ વર્ગીય પરિવાર સ્વાભાવિક રીતે ત્યાં જવાનો.. પરંતુ ગેમ ઝોનમાં જઈ રહેલા વ્યક્તિને, પરિવારને ખબર નથી કે તે એક ભયંકર દુર્ઘટનાનો શિકાર થવાનો છે... શનિવાર સાંજે એકાએક ગેમ ઝોનમાં આગ લાગી અને એટલી ઝડપથી તે આગ પ્રસરી કે જોત જોતામાં તો 28 જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ.


એસઆઈટીની કરવામાં આવી રચના આ મામલે તપાસ માટે

આ ઘટના બાદ રાજકોટમાં આક્રંદ વ્યાપી ઉઠ્યો હતો.. પરિવારજનોનો કલ્પાંત આપણને હચમચાવી દે તેવો હતો. મૃતદેહોની એવી હાલત થઈ ગઈ હતી તે મૃતદેહોને શોધવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે.. આખી ઘટનાને લઈ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે તે તપાસ કરશે પરંતુ આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે આગ લાગવાની શરૂઆત અહીંયાથી થઈ હતી... 



ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી  

વેલ્ડીંગના તણખલાને કારણે આગ લાગી હતી. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. મહત્વનું છે કે આગને ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ તે આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આગ પર કાબુ ના મેળવી શકાયો. ધીરે ધીરે આગે એટલું ભયંકર રૂપ લઈ લીધું કે 28 જિંદગીને ભરખી ગઈ. મહત્વનું છે કે એવી પણ માહિતી સામે આવી છે કે અનેક લીટર પેટ્રોલ અને ડીઝલ ત્યાં હતું જેને કારણે આગે વિકરાળ રૂપ લઈ લીધું.. આ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો થઈ અને આજે સુનાવણી ચાલી રહી છે જેમાં RMCની કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી રહી છે..    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.