તો આવી રીતે લાગી ગેમ ઝોનમાં આગ? TRP Game Zoneની અંદરના CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2024-05-27 12:35:36

શનિવાર સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી.. એ આગ એટલી ભીષણ હતી કે તેમાં 28 જેટલી જિંદગી ભૂંજાઈ ગઈ.. આ ઘટના બાદ અનેક માહિતી સામે આવી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલતું હતું વગેરે વગેરે.. આગ લાગવાના કારણો અનેક હોઈ શકે છે.. પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તેના તણખલાથી આ આગ લાગી તેવો વીડિયો સામે આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોને લઈ એવી વાતો કરવામાં આવી રહી છે કે આ તે સમયનો વીડિયો છે જ્યારે સૌથી પહેલા આગ લાગી... 

શનિવાર સાંજે ગેમ ઝોનમાં લાગી હતી ભીષણ આગ

વેકેશનનો સમય હતો અને તેમાં પણ શનિવારનો દિવસ હતો એટલે મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનની મજા માણવા આવ્યા હતા.. લોકોને આકર્ષવા માટે 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી હતી.. આટલા ઓછા પૈસામાં ગેમ ઝોનની મજા મળતી હોય તો મધ્યમ વર્ગીય પરિવાર સ્વાભાવિક રીતે ત્યાં જવાનો.. પરંતુ ગેમ ઝોનમાં જઈ રહેલા વ્યક્તિને, પરિવારને ખબર નથી કે તે એક ભયંકર દુર્ઘટનાનો શિકાર થવાનો છે... શનિવાર સાંજે એકાએક ગેમ ઝોનમાં આગ લાગી અને એટલી ઝડપથી તે આગ પ્રસરી કે જોત જોતામાં તો 28 જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ.


એસઆઈટીની કરવામાં આવી રચના આ મામલે તપાસ માટે

આ ઘટના બાદ રાજકોટમાં આક્રંદ વ્યાપી ઉઠ્યો હતો.. પરિવારજનોનો કલ્પાંત આપણને હચમચાવી દે તેવો હતો. મૃતદેહોની એવી હાલત થઈ ગઈ હતી તે મૃતદેહોને શોધવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે.. આખી ઘટનાને લઈ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે તે તપાસ કરશે પરંતુ આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે આગ લાગવાની શરૂઆત અહીંયાથી થઈ હતી... 



ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી  

વેલ્ડીંગના તણખલાને કારણે આગ લાગી હતી. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. મહત્વનું છે કે આગને ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ તે આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આગ પર કાબુ ના મેળવી શકાયો. ધીરે ધીરે આગે એટલું ભયંકર રૂપ લઈ લીધું કે 28 જિંદગીને ભરખી ગઈ. મહત્વનું છે કે એવી પણ માહિતી સામે આવી છે કે અનેક લીટર પેટ્રોલ અને ડીઝલ ત્યાં હતું જેને કારણે આગે વિકરાળ રૂપ લઈ લીધું.. આ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો થઈ અને આજે સુનાવણી ચાલી રહી છે જેમાં RMCની કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી રહી છે..    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.