તો આવી રીતે લાગી ગેમ ઝોનમાં આગ? TRP Game Zoneની અંદરના CCTV ફૂટેજ સામે આવ્યા, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By :
  • Published Date : 2024-05-27 12:35:36

શનિવાર સાંજે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી.. એ આગ એટલી ભીષણ હતી કે તેમાં 28 જેટલી જિંદગી ભૂંજાઈ ગઈ.. આ ઘટના બાદ અનેક માહિતી સામે આવી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ચાલતું હતું વગેરે વગેરે.. આગ લાગવાના કારણો અનેક હોઈ શકે છે.. પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તેના તણખલાથી આ આગ લાગી તેવો વીડિયો સામે આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોને લઈ એવી વાતો કરવામાં આવી રહી છે કે આ તે સમયનો વીડિયો છે જ્યારે સૌથી પહેલા આગ લાગી... 

શનિવાર સાંજે ગેમ ઝોનમાં લાગી હતી ભીષણ આગ

વેકેશનનો સમય હતો અને તેમાં પણ શનિવારનો દિવસ હતો એટલે મોટી સંખ્યામાં લોકો ગેમ ઝોનની મજા માણવા આવ્યા હતા.. લોકોને આકર્ષવા માટે 99 રૂપિયાની ટિકીટ રાખવામાં આવી હતી.. આટલા ઓછા પૈસામાં ગેમ ઝોનની મજા મળતી હોય તો મધ્યમ વર્ગીય પરિવાર સ્વાભાવિક રીતે ત્યાં જવાનો.. પરંતુ ગેમ ઝોનમાં જઈ રહેલા વ્યક્તિને, પરિવારને ખબર નથી કે તે એક ભયંકર દુર્ઘટનાનો શિકાર થવાનો છે... શનિવાર સાંજે એકાએક ગેમ ઝોનમાં આગ લાગી અને એટલી ઝડપથી તે આગ પ્રસરી કે જોત જોતામાં તો 28 જિંદગીઓ તેમાં હોમાઈ ગઈ.


એસઆઈટીની કરવામાં આવી રચના આ મામલે તપાસ માટે

આ ઘટના બાદ રાજકોટમાં આક્રંદ વ્યાપી ઉઠ્યો હતો.. પરિવારજનોનો કલ્પાંત આપણને હચમચાવી દે તેવો હતો. મૃતદેહોની એવી હાલત થઈ ગઈ હતી તે મૃતદેહોને શોધવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડી રહ્યો છે.. આખી ઘટનાને લઈ સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે તે તપાસ કરશે પરંતુ આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે આગ લાગવાની શરૂઆત અહીંયાથી થઈ હતી... 



ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી  

વેલ્ડીંગના તણખલાને કારણે આગ લાગી હતી. ટીઆરપી ગેમ ઝોનની અંદર લાગેલા સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે. મહત્વનું છે કે આગને ઓલવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ તે આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આગ પર કાબુ ના મેળવી શકાયો. ધીરે ધીરે આગે એટલું ભયંકર રૂપ લઈ લીધું કે 28 જિંદગીને ભરખી ગઈ. મહત્વનું છે કે એવી પણ માહિતી સામે આવી છે કે અનેક લીટર પેટ્રોલ અને ડીઝલ ત્યાં હતું જેને કારણે આગે વિકરાળ રૂપ લઈ લીધું.. આ મામલે હાઈકોર્ટમાં સુઓમોટો થઈ અને આજે સુનાવણી ચાલી રહી છે જેમાં RMCની કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી રહી છે..    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"