પીએમ-સીએમના કાર્યક્રમોમાં લોકોને લાવવા-લઈ જવા એક વર્ષમાં આટલી બસોનો કર્યો ઉપયોગ! વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 16:43:47

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ સરકારને આપવો પડશે. ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં જનતાને લાવા-લઈ જવા કેટલી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત તેની પાછળ કેટલો ખર્ચ થયો. તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે એક વર્ષમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા રાજ્ય સરકારે જમા કરાવ્યા છે જ્યારે હજુ 53 કરોડ 814 લાખ 21 હજાર જેટલા રુપિયા એસટી વિભાગને ચૂકવવાના બાકી છે. 


કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા કરાય છે બસનો ઉપયોગ! 

જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય અથવા વડાપ્રધાન મોદીની કોઈ સભા કે રેલી હોય લોકોને લાવવા-લઈ જવા માટે બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુવિધાને લઈ લોકો એવું પણ કહેતા હોય છે કે ભીડ ભેગી કરવા માટે આ બસોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે વિધાનસભામાં ડો. કિરીટ પટેલે પીએમ-સીએમના કાર્યક્રમોમાં વાપરવામાં આવતી બસોને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યક્રમ માટે આમ જનતાને લાવવા લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે લાવવામાં આવી હતી? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની કેટલી રકમ ચૂકવવામાં આવી અને કેટલી રકમ ચૂકવવાની બાકી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


આટલા પૈસા ચૂકવવાના બાકી છે? 

આ પ્રશ્નના જવાબમાં જણાવવાયું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા જમા કરાવ્યા છે અને હજુ 56 કરોડ 81 લાખ 21 હજાર  895 રુપિયા જેટલી રકમ સરકારે ચૂકવવાના બાકી છે.      




ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.