પીએમ-સીએમના કાર્યક્રમોમાં લોકોને લાવવા-લઈ જવા એક વર્ષમાં આટલી બસોનો કર્યો ઉપયોગ! વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-17 16:43:47

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ સરકારને આપવો પડશે. ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં જનતાને લાવા-લઈ જવા કેટલી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત તેની પાછળ કેટલો ખર્ચ થયો. તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે એક વર્ષમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા રાજ્ય સરકારે જમા કરાવ્યા છે જ્યારે હજુ 53 કરોડ 814 લાખ 21 હજાર જેટલા રુપિયા એસટી વિભાગને ચૂકવવાના બાકી છે. 


કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા કરાય છે બસનો ઉપયોગ! 

જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય અથવા વડાપ્રધાન મોદીની કોઈ સભા કે રેલી હોય લોકોને લાવવા-લઈ જવા માટે બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુવિધાને લઈ લોકો એવું પણ કહેતા હોય છે કે ભીડ ભેગી કરવા માટે આ બસોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે વિધાનસભામાં ડો. કિરીટ પટેલે પીએમ-સીએમના કાર્યક્રમોમાં વાપરવામાં આવતી બસોને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યક્રમ માટે આમ જનતાને લાવવા લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે લાવવામાં આવી હતી? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની કેટલી રકમ ચૂકવવામાં આવી અને કેટલી રકમ ચૂકવવાની બાકી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


આટલા પૈસા ચૂકવવાના બાકી છે? 

આ પ્રશ્નના જવાબમાં જણાવવાયું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા જમા કરાવ્યા છે અને હજુ 56 કરોડ 81 લાખ 21 હજાર  895 રુપિયા જેટલી રકમ સરકારે ચૂકવવાના બાકી છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.