પીએમ-સીએમના કાર્યક્રમોમાં લોકોને લાવવા-લઈ જવા એક વર્ષમાં આટલી બસોનો કર્યો ઉપયોગ! વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-17 16:43:47

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ સરકારને આપવો પડશે. ડો. કિરીટ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં જનતાને લાવા-લઈ જવા કેટલી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો ઉપરાંત તેની પાછળ કેટલો ખર્ચ થયો. તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે એક વર્ષમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા રાજ્ય સરકારે જમા કરાવ્યા છે જ્યારે હજુ 53 કરોડ 814 લાખ 21 હજાર જેટલા રુપિયા એસટી વિભાગને ચૂકવવાના બાકી છે. 


કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા કરાય છે બસનો ઉપયોગ! 

જ્યારે પણ સરકારી કાર્યક્રમો હોય અથવા વડાપ્રધાન મોદીની કોઈ સભા કે રેલી હોય લોકોને લાવવા-લઈ જવા માટે બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુવિધાને લઈ લોકો એવું પણ કહેતા હોય છે કે ભીડ ભેગી કરવા માટે આ બસોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે વિધાનસભામાં ડો. કિરીટ પટેલે પીએમ-સીએમના કાર્યક્રમોમાં વાપરવામાં આવતી બસોને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના રાજ્યમાં કાર્યક્રમ માટે આમ જનતાને લાવવા લઈ જવા માટે કુલ કેટલી બસો ભાડે લાવવામાં આવી હતી? એસટી બસને કેટલું ભાડું આપવામાં આવ્યું છે અને ભાડાની કેટલી રકમ ચૂકવવામાં આવી અને કેટલી રકમ ચૂકવવાની બાકી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 


આટલા પૈસા ચૂકવવાના બાકી છે? 

આ પ્રશ્નના જવાબમાં જણાવવાયું કે છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોમાં કુલ 34 હજાર 614 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 56 કરોડ 1 લાખ 22 હજાર 120 રુપિયા જમા કરાવ્યા છે અને હજુ 56 કરોડ 81 લાખ 21 હજાર  895 રુપિયા જેટલી રકમ સરકારે ચૂકવવાના બાકી છે.      




વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.