Gujaratમાં Anti Corruptionના આટલા કેસ પેન્ડિંગ! ભષ્ટાચારના વધતા કેસને લઈ વિચારવું પડશે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?


  • Published By :
  • Published Date : 2023-12-09 14:22:05

ભ્રષ્ટાચારની વાતો અનેક વખત કરવામાં આવે છે, ભ્રષ્ટ અધિકારીઓની પણ વાતો કરવામાં આવે છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે એસીબીએ લાંચ લેતા પોલીસકર્મીને, સરકારી અધિકારીને ઝડપી પાડ્યા. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં નજીવી રકમનો તોડ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, નાની માછલીઓ જાળમાં ફસાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. પરંતુ આપણે ક્યારે વિચાર કર્યો છે કે જે લોકો લાંચ આપે છે તે આપણામાંથી જ છે! લાંચ લેનારા તો તરત પકડાઈ જાય છે પરંતુ લાંચ આપનાર નથી પકડાતા. આ એક ગંભીર મુદ્દો છે. જો આપણે જ લાંચ નહીં આપીએ તો તે લોકો ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકશે!   

ક્યારેય વિચાર કર્યો છે કે લાંચ આપનાર ક્યારેય નથી પકડાતા!

સામાન્ય રીતે આપણે ત્યાં અનેક લોકો માને છે કે પૈસા આપી દઈશું એટલે કામ થઈ જશે. એવું પણ માનતા હોય છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે! જ્યારે આપણે કોઈ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે એજન્ટ રાખવો પડે છે. આપણા મનમાં એવા વિચારો આવે છે કે જ્યાં સુધી પૈસા નહીં આપીએ ત્યાં સુધી આપણું કામ નહીં પતે. લાંચ લેતા અધિકારીઓ, પોલીસકર્મીઓને પકડવા માટે એસીબી પ્લાન તૈયાર કરે છે આ ઓપરેશનમાં અનેક અધિકારીઓ, પોલીસ કર્મીઓ પકડાયા છે પરંતુ ક્યારે આપણને વિચાર આવ્યો કે તેમને લાંચ આપનાર નથી પકડાતા! લાંચ લેનાર તો તરત પકડાઈ જાય છે પરંતુ આપનારાઓ ક્યારેય નથી પકડાતા. 

ખાતો નથી પણ ખાવા દઉ છું? સંવેદનશીલ સરકારમાં ભ્રષ્ટાચારનો આધુનિક વિકાસ!  શહેરી વિકાસ, મહેસૂલ, પંચાયત અને ગૃહ વિભાગ તો અવ્વલ નંબરે - GSTV

ભ્રષ્ટાચારના આટલા કેસ નોંધાયા પરંતુ કેટલા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!

આપણું કામ કઢાવવા માટે આપણે પૈસા આપી દઈએ છીએ પરંતુ એવું નથી વિચારતા કે આપણે આપણા સમાજને કઈ દિશામાં લઈ જઈએ છીએ. જો કોઈ નૈતિક્તાથી કામ કરે છે તો તેને આપણે મુર્ખ ગણીએ છીએ , તે માણસ પ્રેક્ટિકલ નથી તેવી વાતો કરીએ છીએ. પરંતુ આવું કરવાથી આપણે સમાજમાં રહેલા યુવાનોને એવો બોધપાઠ આપીએ છીએ કે સિસ્ટમ આવી જ રીતે ચાલે છે! 3 વર્ષમાં ભ્રષ્ટાચારના 548 કેસ નોંધાયા, 442 અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાયા, 53 પાસે આવક કરતાં વધુ સંપત્તિ છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શનના 95 ટકા કેસ પેન્ડિંગ છે, માત્ર 39 ટકા લોકોને જ સજા થઈ છે. 

સમાજના લોકોએ ભ્રષ્ટાચારીઓને માથા પર ચઢાવ્યા!

જો આપણે પણ ભ્રષ્ટાચારમાં ભાગ ભજવીએ છીએ તો આપણને દેશ પ્રેમ કરવાનો અધિકારિ નથી! સમસ્યા એ છે કે આપણે પ્રશ્ન પૂછવાનું છોડી દીધું છે. કોઈ આપણને કહે છે કે તે સીએમઓ અધિકારી છે તો આપણે માની લઈએ છીએ. જો કોઈ કહે છે કે તે ધારાસભ્યનો પીએ છે તો પણ આપણે માની લઈએ છીએ. ભ્રષ્ટાચારમાં આપણે પણ ક્યાંક ભાગ ભજવી રહ્યા છીએ. તોડબાજોને આપણે માથા પર બેસાડી દીધા છે!   



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.