Gujaratમાં Anti Corruptionના આટલા કેસ પેન્ડિંગ! ભષ્ટાચારના વધતા કેસને લઈ વિચારવું પડશે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?


  • Published By :
  • Published Date : 2023-12-09 14:22:05

ભ્રષ્ટાચારની વાતો અનેક વખત કરવામાં આવે છે, ભ્રષ્ટ અધિકારીઓની પણ વાતો કરવામાં આવે છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે એસીબીએ લાંચ લેતા પોલીસકર્મીને, સરકારી અધિકારીને ઝડપી પાડ્યા. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં નજીવી રકમનો તોડ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, નાની માછલીઓ જાળમાં ફસાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. પરંતુ આપણે ક્યારે વિચાર કર્યો છે કે જે લોકો લાંચ આપે છે તે આપણામાંથી જ છે! લાંચ લેનારા તો તરત પકડાઈ જાય છે પરંતુ લાંચ આપનાર નથી પકડાતા. આ એક ગંભીર મુદ્દો છે. જો આપણે જ લાંચ નહીં આપીએ તો તે લોકો ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકશે!   

ક્યારેય વિચાર કર્યો છે કે લાંચ આપનાર ક્યારેય નથી પકડાતા!

સામાન્ય રીતે આપણે ત્યાં અનેક લોકો માને છે કે પૈસા આપી દઈશું એટલે કામ થઈ જશે. એવું પણ માનતા હોય છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે! જ્યારે આપણે કોઈ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે એજન્ટ રાખવો પડે છે. આપણા મનમાં એવા વિચારો આવે છે કે જ્યાં સુધી પૈસા નહીં આપીએ ત્યાં સુધી આપણું કામ નહીં પતે. લાંચ લેતા અધિકારીઓ, પોલીસકર્મીઓને પકડવા માટે એસીબી પ્લાન તૈયાર કરે છે આ ઓપરેશનમાં અનેક અધિકારીઓ, પોલીસ કર્મીઓ પકડાયા છે પરંતુ ક્યારે આપણને વિચાર આવ્યો કે તેમને લાંચ આપનાર નથી પકડાતા! લાંચ લેનાર તો તરત પકડાઈ જાય છે પરંતુ આપનારાઓ ક્યારેય નથી પકડાતા. 

ખાતો નથી પણ ખાવા દઉ છું? સંવેદનશીલ સરકારમાં ભ્રષ્ટાચારનો આધુનિક વિકાસ!  શહેરી વિકાસ, મહેસૂલ, પંચાયત અને ગૃહ વિભાગ તો અવ્વલ નંબરે - GSTV

ભ્રષ્ટાચારના આટલા કેસ નોંધાયા પરંતુ કેટલા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!

આપણું કામ કઢાવવા માટે આપણે પૈસા આપી દઈએ છીએ પરંતુ એવું નથી વિચારતા કે આપણે આપણા સમાજને કઈ દિશામાં લઈ જઈએ છીએ. જો કોઈ નૈતિક્તાથી કામ કરે છે તો તેને આપણે મુર્ખ ગણીએ છીએ , તે માણસ પ્રેક્ટિકલ નથી તેવી વાતો કરીએ છીએ. પરંતુ આવું કરવાથી આપણે સમાજમાં રહેલા યુવાનોને એવો બોધપાઠ આપીએ છીએ કે સિસ્ટમ આવી જ રીતે ચાલે છે! 3 વર્ષમાં ભ્રષ્ટાચારના 548 કેસ નોંધાયા, 442 અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાયા, 53 પાસે આવક કરતાં વધુ સંપત્તિ છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શનના 95 ટકા કેસ પેન્ડિંગ છે, માત્ર 39 ટકા લોકોને જ સજા થઈ છે. 

સમાજના લોકોએ ભ્રષ્ટાચારીઓને માથા પર ચઢાવ્યા!

જો આપણે પણ ભ્રષ્ટાચારમાં ભાગ ભજવીએ છીએ તો આપણને દેશ પ્રેમ કરવાનો અધિકારિ નથી! સમસ્યા એ છે કે આપણે પ્રશ્ન પૂછવાનું છોડી દીધું છે. કોઈ આપણને કહે છે કે તે સીએમઓ અધિકારી છે તો આપણે માની લઈએ છીએ. જો કોઈ કહે છે કે તે ધારાસભ્યનો પીએ છે તો પણ આપણે માની લઈએ છીએ. ભ્રષ્ટાચારમાં આપણે પણ ક્યાંક ભાગ ભજવી રહ્યા છીએ. તોડબાજોને આપણે માથા પર બેસાડી દીધા છે!   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.