Gujaratમાં Anti Corruptionના આટલા કેસ પેન્ડિંગ! ભષ્ટાચારના વધતા કેસને લઈ વિચારવું પડશે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?


  • Published By :
  • Published Date : 2023-12-09 14:22:05

ભ્રષ્ટાચારની વાતો અનેક વખત કરવામાં આવે છે, ભ્રષ્ટ અધિકારીઓની પણ વાતો કરવામાં આવે છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે એસીબીએ લાંચ લેતા પોલીસકર્મીને, સરકારી અધિકારીને ઝડપી પાડ્યા. અનેક કિસ્સાઓ તો એવા હોય છે જેમાં નજીવી રકમનો તોડ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, નાની માછલીઓ જાળમાં ફસાય છે પરંતુ મોટી માછલીઓ નથી પકડાતી. પરંતુ આપણે ક્યારે વિચાર કર્યો છે કે જે લોકો લાંચ આપે છે તે આપણામાંથી જ છે! લાંચ લેનારા તો તરત પકડાઈ જાય છે પરંતુ લાંચ આપનાર નથી પકડાતા. આ એક ગંભીર મુદ્દો છે. જો આપણે જ લાંચ નહીં આપીએ તો તે લોકો ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકશે!   

ક્યારેય વિચાર કર્યો છે કે લાંચ આપનાર ક્યારેય નથી પકડાતા!

સામાન્ય રીતે આપણે ત્યાં અનેક લોકો માને છે કે પૈસા આપી દઈશું એટલે કામ થઈ જશે. એવું પણ માનતા હોય છે કે પૈસાથી સિસ્ટમ ખરીદી શકાય છે! જ્યારે આપણે કોઈ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે એજન્ટ રાખવો પડે છે. આપણા મનમાં એવા વિચારો આવે છે કે જ્યાં સુધી પૈસા નહીં આપીએ ત્યાં સુધી આપણું કામ નહીં પતે. લાંચ લેતા અધિકારીઓ, પોલીસકર્મીઓને પકડવા માટે એસીબી પ્લાન તૈયાર કરે છે આ ઓપરેશનમાં અનેક અધિકારીઓ, પોલીસ કર્મીઓ પકડાયા છે પરંતુ ક્યારે આપણને વિચાર આવ્યો કે તેમને લાંચ આપનાર નથી પકડાતા! લાંચ લેનાર તો તરત પકડાઈ જાય છે પરંતુ આપનારાઓ ક્યારેય નથી પકડાતા. 

ખાતો નથી પણ ખાવા દઉ છું? સંવેદનશીલ સરકારમાં ભ્રષ્ટાચારનો આધુનિક વિકાસ!  શહેરી વિકાસ, મહેસૂલ, પંચાયત અને ગૃહ વિભાગ તો અવ્વલ નંબરે - GSTV

ભ્રષ્ટાચારના આટલા કેસ નોંધાયા પરંતુ કેટલા વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી!

આપણું કામ કઢાવવા માટે આપણે પૈસા આપી દઈએ છીએ પરંતુ એવું નથી વિચારતા કે આપણે આપણા સમાજને કઈ દિશામાં લઈ જઈએ છીએ. જો કોઈ નૈતિક્તાથી કામ કરે છે તો તેને આપણે મુર્ખ ગણીએ છીએ , તે માણસ પ્રેક્ટિકલ નથી તેવી વાતો કરીએ છીએ. પરંતુ આવું કરવાથી આપણે સમાજમાં રહેલા યુવાનોને એવો બોધપાઠ આપીએ છીએ કે સિસ્ટમ આવી જ રીતે ચાલે છે! 3 વર્ષમાં ભ્રષ્ટાચારના 548 કેસ નોંધાયા, 442 અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાયા, 53 પાસે આવક કરતાં વધુ સંપત્તિ છે તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શનના 95 ટકા કેસ પેન્ડિંગ છે, માત્ર 39 ટકા લોકોને જ સજા થઈ છે. 

સમાજના લોકોએ ભ્રષ્ટાચારીઓને માથા પર ચઢાવ્યા!

જો આપણે પણ ભ્રષ્ટાચારમાં ભાગ ભજવીએ છીએ તો આપણને દેશ પ્રેમ કરવાનો અધિકારિ નથી! સમસ્યા એ છે કે આપણે પ્રશ્ન પૂછવાનું છોડી દીધું છે. કોઈ આપણને કહે છે કે તે સીએમઓ અધિકારી છે તો આપણે માની લઈએ છીએ. જો કોઈ કહે છે કે તે ધારાસભ્યનો પીએ છે તો પણ આપણે માની લઈએ છીએ. ભ્રષ્ટાચારમાં આપણે પણ ક્યાંક ભાગ ભજવી રહ્યા છીએ. તોડબાજોને આપણે માથા પર બેસાડી દીધા છે!   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.