Gujaratમાં ફરી એક વખત નોંધાયા આટલા Coronaના કેસ, Ahmedabadમાં સૌથી વધારે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 13:11:30

કોરોના કેસ આ શબ્દ સાંભળી અનેક લોકો કહેશે આ તો હવે નોર્મલ વાત થઈ ગઈ. પ્રતિદિન કોરોનાના કેસ સામે આવે છે એમાં કંઈ ડરવાની જરૂર નથી તેવું પણ કહેશો. તો અનેક લોકો હશે કે જે આજે પણ આ શબ્દ સાંભળીને ડરતા હશે. તેમના આંખોની સામે કદાચ એ દ્રશ્યો સામે આવી જશે જે વર્ષો પહેલા તેમણે જોયા હશે. દેશમાં તેમજ વિશ્વમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે જે ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.   

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

ફરી એક વખત નોંધાયા 10થી ઉપર કેસ 

ગુજરાતમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ન માત્ર કોરોનાના પરંતુ નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક વૃદ્ધાનું મોત કોરોનાની સારવાર દરમિયાન થઈ ગયું હતું. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જે 14 કેસ નોંધાયા છે તેમાંથી અમદાવાદના 8 કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 66 આસપાસ પહોંચી ગઈ છે જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 48 એક્ટિવ કેસ છે.  

Coronavirus Testing - How to Test for Coronavirus, Types of Tests |  Narayana Health

દેશમાં પણ વધી રહ્યા છે કોરોના કેસ 

દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રતિદિન દેશમાં 500થી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં તો કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા કેસોમાં ગુજરાત ચોથા ક્રમે છે તેવી માહિતી સામે આવી છે.  



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .