Gujaratમાં ફરી એક વખત નોંધાયા આટલા Coronaના કેસ, Ahmedabadમાં સૌથી વધારે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 13:11:30

કોરોના કેસ આ શબ્દ સાંભળી અનેક લોકો કહેશે આ તો હવે નોર્મલ વાત થઈ ગઈ. પ્રતિદિન કોરોનાના કેસ સામે આવે છે એમાં કંઈ ડરવાની જરૂર નથી તેવું પણ કહેશો. તો અનેક લોકો હશે કે જે આજે પણ આ શબ્દ સાંભળીને ડરતા હશે. તેમના આંખોની સામે કદાચ એ દ્રશ્યો સામે આવી જશે જે વર્ષો પહેલા તેમણે જોયા હશે. દેશમાં તેમજ વિશ્વમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે જે ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.   

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

ફરી એક વખત નોંધાયા 10થી ઉપર કેસ 

ગુજરાતમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ન માત્ર કોરોનાના પરંતુ નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક વૃદ્ધાનું મોત કોરોનાની સારવાર દરમિયાન થઈ ગયું હતું. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જે 14 કેસ નોંધાયા છે તેમાંથી અમદાવાદના 8 કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 66 આસપાસ પહોંચી ગઈ છે જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 48 એક્ટિવ કેસ છે.  

Coronavirus Testing - How to Test for Coronavirus, Types of Tests |  Narayana Health

દેશમાં પણ વધી રહ્યા છે કોરોના કેસ 

દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રતિદિન દેશમાં 500થી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં તો કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા કેસોમાં ગુજરાત ચોથા ક્રમે છે તેવી માહિતી સામે આવી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.