Gujaratમાં ફરી એક વખત નોંધાયા આટલા Coronaના કેસ, Ahmedabadમાં સૌથી વધારે... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 13:11:30

કોરોના કેસ આ શબ્દ સાંભળી અનેક લોકો કહેશે આ તો હવે નોર્મલ વાત થઈ ગઈ. પ્રતિદિન કોરોનાના કેસ સામે આવે છે એમાં કંઈ ડરવાની જરૂર નથી તેવું પણ કહેશો. તો અનેક લોકો હશે કે જે આજે પણ આ શબ્દ સાંભળીને ડરતા હશે. તેમના આંખોની સામે કદાચ એ દ્રશ્યો સામે આવી જશે જે વર્ષો પહેલા તેમણે જોયા હશે. દેશમાં તેમજ વિશ્વમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે જે ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.   

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

ફરી એક વખત નોંધાયા 10થી ઉપર કેસ 

ગુજરાતમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ન માત્ર કોરોનાના પરંતુ નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક વૃદ્ધાનું મોત કોરોનાની સારવાર દરમિયાન થઈ ગયું હતું. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જે 14 કેસ નોંધાયા છે તેમાંથી અમદાવાદના 8 કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 66 આસપાસ પહોંચી ગઈ છે જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 48 એક્ટિવ કેસ છે.  

Coronavirus Testing - How to Test for Coronavirus, Types of Tests |  Narayana Health

દેશમાં પણ વધી રહ્યા છે કોરોના કેસ 

દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રતિદિન દેશમાં 500થી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં તો કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા કેસોમાં ગુજરાત ચોથા ક્રમે છે તેવી માહિતી સામે આવી છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.