Gujaratમાં ફરી એક વખત નોંધાયા આટલા Coronaના કેસ, Ahmedabadમાં સૌથી વધારે... જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-29 13:11:30

કોરોના કેસ આ શબ્દ સાંભળી અનેક લોકો કહેશે આ તો હવે નોર્મલ વાત થઈ ગઈ. પ્રતિદિન કોરોનાના કેસ સામે આવે છે એમાં કંઈ ડરવાની જરૂર નથી તેવું પણ કહેશો. તો અનેક લોકો હશે કે જે આજે પણ આ શબ્દ સાંભળીને ડરતા હશે. તેમના આંખોની સામે કદાચ એ દ્રશ્યો સામે આવી જશે જે વર્ષો પહેલા તેમણે જોયા હશે. દેશમાં તેમજ વિશ્વમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે જે ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.   

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

ફરી એક વખત નોંધાયા 10થી ઉપર કેસ 

ગુજરાતમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ન માત્ર કોરોનાના પરંતુ નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક વૃદ્ધાનું મોત કોરોનાની સારવાર દરમિયાન થઈ ગયું હતું. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાયા છે. જે 14 કેસ નોંધાયા છે તેમાંથી અમદાવાદના 8 કેસ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 66 આસપાસ પહોંચી ગઈ છે જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 48 એક્ટિવ કેસ છે.  

Coronavirus Testing - How to Test for Coronavirus, Types of Tests |  Narayana Health

દેશમાં પણ વધી રહ્યા છે કોરોના કેસ 

દેશમાં ફરી એક વખત કોરોના માથું ઉચકી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રતિદિન દેશમાં 500થી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં તો કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા કેસોમાં ગુજરાત ચોથા ક્રમે છે તેવી માહિતી સામે આવી છે.  



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.