ગુજરાતના 33 જીલ્લાની આટલી સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે ! કોંગ્રેસે કર્યો આક્ષેપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-01 16:54:27

સારૂં શિક્ષણ મેળવવાનો હક દરેક વિદ્યાર્થીને હોય છે. સારૂં શિક્ષણ મેળવી પોતાના જીવનમાં આગળ વધવાનો અધિકાર દરેક સ્ટુડન્ટને છે. પરંતુ ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. શહેરની અનેક સરકારી શાળાઓ એવી હોય છે જેની હાલત જોઈ આપણને દયા આવતી હોય છે. શહેરમાં જો સરકારી શાળાની આવી હાલત હોય તો પછી અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાઓની હાલત શું હશે તેનું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. 

Congress spokesperson Manish Doshi has accused the BJP of luring recruited  youth when elections come.


33 જિલ્લાની 1657 સરકારી શાળા એવી છે જેમાં એક માત્ર શિક્ષક છે! 

શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તે વાતની રજૂઆત અનેક વખત કરવામાં આવતી હોય છે. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત અનેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ સરકાર તો સરકાર છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. ગુજરાતમાં કેટલી શાળાઓ છે અને તેમાં શિક્ષકો છે તે વાતની જાણકારી મનીષ દોશી દ્વારા આપવામાં આવી હતી અને આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોવાની વાત તેમણે કરી હતી, તેવો આરોપ તેમણે લગાવ્યો હતો. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા તેમજ પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધારે ચાલી રહી છે. 


 

શહેરની શાળાઓમાં પણ એવી જ પરિસ્થિતિ છે 

ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ બીજી તરફ ગુજરાતમાં ૧૬૫૭ સરકારી શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે ? તેમનું ભણતર કેવું હશે ? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે. ૧૬૫૭ માંથી સૌથી વધુ ૧૩૬૩ શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. 



આ  જિલ્લાઓ એવા છે જ્યાં શાળાઓ એક શિક્ષકના ભરોસે ચાલે છે 

ન માત્ર ગામડાઓની શાળાની હાલત કફોડી છે પરંતુ શહેરની શાળાઓમાં પણ આવી જ પરિસ્થિતિ છે. બાકીની ૨૯૪ શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. રાજ્યની ૩૩ જીલ્લામાંથી સાત જીલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે જેમાં કચ્છમાં ૨૧૩, અમદાવાદમાં ૯૮, રાજકોટમાં ૮૩, બનાસકાંઠમાં ૮૧, તાપીમાં ૮૦, મહિસાગરમાં ૭૭ અને દેવભૂમિ દ્વારકામાં ૭૩ શાળાઓ છે. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. આ છે ભાજપ સરકારની શિક્ષણ અંગેની વ્યવસ્થાનો ચિતાર…!

ચૈતર વસાવાએ પણ શિક્ષણની પરિસ્થિતિ અંગે કર્યું છે ટ્વિટ 

શિક્ષણનું સ્તર સતત ઘટતું જઈ રહ્યું છે અને મોંઘી ફી આપવા છતાંય બાળકોને સારૂં શિક્ષણ મળતું નથી તેવા આક્ષેપો ન માત્ર કોંગ્રેસ દ્વારા પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યા છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ફોટો શેર કર્યો છે જેમાં એક કાર્ટુન જેવું મૂકવામાં આવ્યું છે. એ કાર્ટુનમાં ટીચર છે, વાલી છે અને બાળક છે. ટીચર વાલીને કહી રહ્યા છે કે યુનિફોર્મ, શૂઝ, પુસ્તકો એવી તમામ વસ્તુઓ અમારી શાળાથી લેવી પડશે. તો સામે પિતા સવાલ કરે છે કે શિક્ષણ! તો સામે શિક્ષક જવાબ આપે છે કે તેના માટે તમારે બીજે ટ્યુશન લેવું પડશે. 


શિક્ષકો બેકાર છે અને શાળાઓમાં છે શિક્ષકોની ઘટ!

મહત્વનું છે કે શિક્ષણ એક એવો ગંભીર મુદ્દો છે જેની પર ડિબેટ થવી જોઈએ. જો બાળકોના ભવિષ્ય અંગે હમણાં નહીં વિચારવામાં આવે તો દેશના ભાવિનું ભાવિ ખતરામાં છે. સારૂં શિક્ષણ મેળવવું દરેક બાળકનો અધિકાર છે તે અધિકાર કોઈ તેની પાસેથી છીનવી ન શકે. મહત્વનું છે કે એક તરફ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, શાળાઓની કામગીરી તેમજ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. ત્યારે ઘણા વર્ષોથી અટકેલી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તેવી માગ ભાવિ શિક્ષકો કરી રહ્યા છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.