Ahmedabadમાં નોંધાયા Coronaના આટલા નવા કેસ, એક્ટિવ કેસમાં થયો વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 14:59:43

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસ સામે ન આવતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં 8 નવા કેસ સામે આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. મહત્વનું છે કે ગઈકાલે એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું છે. 

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

અમદાવાદમાં નોંધાયા 8 નવા કોરોનાના કેસ 

કોરોનાના નવા વેરિયન્ટને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા અનેક કેસો નોંધાઈ રહ્યા છે જેને કારણે લોકોમાં કોરોનાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. દેશમાંથી તો કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર કોરોના કેસના વધારામાં ગુજરાત ચોથા સ્થાને આવે છે. નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગુજરાતમાં વધી રહ્યા છે નવા વેરિયન્ટના કેસ 

કોરોનાના JN1 વેરિયન્ટને કારણે ભારતમાં ચિંતા વધી છે. પ્રતિદિન કોરોનાના દર્દીઓ તો નોંધાય છે પરંતુ નવા વેરિયન્ટના પણ કેસ નોંધાય છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.


ક્યાં કેટલા નોંધાયા કેસ? 

જો સમગ્ર દેશની વાત કરીએ તો 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

સુરત: દવાની કંપનીના માલિકનું શંકાસ્પદ મોત, પોસ્ટ મોર્ટમમાં પણ ખુલાસો નહીં  થયો, સેમ્પલ લીધા – Gujaratmitra Daily Newspaper

ગઈકાલે મહિલાનું થઈ ગયું હતું મોત 

મળતી માહિતી અનુસાર મંગળવારે કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારથી નોંધાયા છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાંથી અનેક લોકો બહારગામ ફરીને આવ્યા છે. શહેરમાં 42 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે કોરોનાને કારણે એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે.  


ક્રિસમસ બાદ વધી શકે છે કોરોના કેસ        

હાલ ક્રિસમસ વેકેશનને લઈ લોકો બહારગામ ગયા છે. હિલસ્ટેશન પર લોકોનું મહેરામણ ઉમટી પડ્યું છે. અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના કેસમાં આ વેકેશન બાદ વધારો આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. મહત્વનું છે કે કેરળના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.