Ahmedabadમાં નોંધાયા Coronaના આટલા નવા કેસ, એક્ટિવ કેસમાં થયો વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 14:59:43

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસ સામે ન આવતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં 8 નવા કેસ સામે આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. મહત્વનું છે કે ગઈકાલે એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું છે. 

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

અમદાવાદમાં નોંધાયા 8 નવા કોરોનાના કેસ 

કોરોનાના નવા વેરિયન્ટને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા અનેક કેસો નોંધાઈ રહ્યા છે જેને કારણે લોકોમાં કોરોનાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. દેશમાંથી તો કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર કોરોના કેસના વધારામાં ગુજરાત ચોથા સ્થાને આવે છે. નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગુજરાતમાં વધી રહ્યા છે નવા વેરિયન્ટના કેસ 

કોરોનાના JN1 વેરિયન્ટને કારણે ભારતમાં ચિંતા વધી છે. પ્રતિદિન કોરોનાના દર્દીઓ તો નોંધાય છે પરંતુ નવા વેરિયન્ટના પણ કેસ નોંધાય છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.


ક્યાં કેટલા નોંધાયા કેસ? 

જો સમગ્ર દેશની વાત કરીએ તો 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

સુરત: દવાની કંપનીના માલિકનું શંકાસ્પદ મોત, પોસ્ટ મોર્ટમમાં પણ ખુલાસો નહીં  થયો, સેમ્પલ લીધા – Gujaratmitra Daily Newspaper

ગઈકાલે મહિલાનું થઈ ગયું હતું મોત 

મળતી માહિતી અનુસાર મંગળવારે કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારથી નોંધાયા છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાંથી અનેક લોકો બહારગામ ફરીને આવ્યા છે. શહેરમાં 42 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે કોરોનાને કારણે એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે.  


ક્રિસમસ બાદ વધી શકે છે કોરોના કેસ        

હાલ ક્રિસમસ વેકેશનને લઈ લોકો બહારગામ ગયા છે. હિલસ્ટેશન પર લોકોનું મહેરામણ ઉમટી પડ્યું છે. અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના કેસમાં આ વેકેશન બાદ વધારો આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. મહત્વનું છે કે કેરળના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.