Ahmedabadમાં નોંધાયા Coronaના આટલા નવા કેસ, એક્ટિવ કેસમાં થયો વધારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 14:59:43

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસ સામે ન આવતા હતા પરંતુ હવે પ્રતિદિન કોરોના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે શહેરમાં 8 નવા કેસ સામે આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ સામેલ છે. મહત્વનું છે કે ગઈકાલે એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું છે. 

ગુજરાત કોરોના મહામારીને પહોંચી વળવા માટે કેટલું તૈયાર? - BBC ગુજરાતી

અમદાવાદમાં નોંધાયા 8 નવા કોરોનાના કેસ 

કોરોનાના નવા વેરિયન્ટને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાના નવા અનેક કેસો નોંધાઈ રહ્યા છે જેને કારણે લોકોમાં કોરોનાને લઈ ડર વ્યાપી ઉઠ્યો છે. દેશમાંથી તો કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર કોરોના કેસના વધારામાં ગુજરાત ચોથા સ્થાને આવે છે. નવા વેરિયન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.


ગુજરાતમાં વધી રહ્યા છે નવા વેરિયન્ટના કેસ 

કોરોનાના JN1 વેરિયન્ટને કારણે ભારતમાં ચિંતા વધી છે. પ્રતિદિન કોરોનાના દર્દીઓ તો નોંધાય છે પરંતુ નવા વેરિયન્ટના પણ કેસ નોંધાય છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવાર (26મી) સુધી દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે, જેમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે. 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.


ક્યાં કેટલા નોંધાયા કેસ? 

જો સમગ્ર દેશની વાત કરીએ તો 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

સુરત: દવાની કંપનીના માલિકનું શંકાસ્પદ મોત, પોસ્ટ મોર્ટમમાં પણ ખુલાસો નહીં  થયો, સેમ્પલ લીધા – Gujaratmitra Daily Newspaper

ગઈકાલે મહિલાનું થઈ ગયું હતું મોત 

મળતી માહિતી અનુસાર મંગળવારે કોરોનાના 8 નવા કેસ નોંધાયા છે. નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારથી નોંધાયા છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે તેમાંથી અનેક લોકો બહારગામ ફરીને આવ્યા છે. શહેરમાં 42 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થતા ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે કોરોનાને કારણે એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે.  


ક્રિસમસ બાદ વધી શકે છે કોરોના કેસ        

હાલ ક્રિસમસ વેકેશનને લઈ લોકો બહારગામ ગયા છે. હિલસ્ટેશન પર લોકોનું મહેરામણ ઉમટી પડ્યું છે. અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કોરોના કેસમાં આ વેકેશન બાદ વધારો આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. મહત્વનું છે કે કેરળના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.