ચાઈનીઝ દોરીને કારણે એક જ દિવસમાં થયા આટલા લોકોના મોત!! મકરસંક્રાંતિનો પર્વ ફેરવાયો માતમમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 10:09:27

ઉત્તરાયણ દરમિયાન વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. 14મી જાન્યુઆરીના રોજ એટલે કે ઉત્તરાયણના દિવસે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. એક જ દિવસમાં 3 લોકોના મોત પતંગની દોરીને કારણે થયા છે.  

સોસાયટીના ચેરમેનોનો માથાનો દુઃખાવો વધ્યો, આ રીતે ધાબા પર પતંગ ચગાવવા માટે  કરી રહ્યાં છે પ્લાનિંગ | uttarayan festival public kite notification  gujarat government


ગળા કપાઈ જવાને કારણે થાય છે મોત 

મકરસંક્રાંતિનો પર્વ લોકો ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવતા હોય છે. પતંગ ચગાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. પતંગ ચગાવવા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. પરંતુ  આ દોરીને કારણે લોકોના જીવન પર સંકટ રહેતું હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે જેને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાતો હોય છે. અનેક લોકોના મોત પણ થતા હોય છે.


અનેક પરિવારે ખોયા પરિવારના સભ્યો 

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. પતંગની દોરીને કારણે એક જ દિવસમાં ત્રણ પરિવારે પોતાના પરિવારના સભ્યોને ખોયા છે. 


ત્રણ લોકોના થયા દોરીને કારણે મોત 

વડોદરામાં પતંગની દોરીને કારણે એક યુવકનો જીવ ગયો. ગળામાં દોરી આવી જતા અકસ્માત સર્જાયો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. બીજી ઘટનામાં 4 વર્ષીય બાળક ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હતો. મહેસાણાના વિસનગરના કડા દરવાજા નજીક આ ઘટના બની હતી. ચાઈનીઝ દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને જે બાદ તે માસુમ બાળક મોતને ભેટ્યો હતો. જ્યારે ત્રીજી ઘટનામાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગળામાં દોરી આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ સિવાય પણ અનેક ગંભીર અકસ્માત સર્જાયા છે. 108ની ટીમને પણ હજારોની સંખ્યામાં ઈમરજન્સી ફોન આવ્યા હતા. પક્ષીઓને પણ આને કારણે ઈજાઓ પહોંચી છે અને મોત પણ થયા છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.