ચાઈનીઝ દોરીને કારણે એક જ દિવસમાં થયા આટલા લોકોના મોત!! મકરસંક્રાંતિનો પર્વ ફેરવાયો માતમમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 10:09:27

ઉત્તરાયણ દરમિયાન વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત થઈ જતા હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. 14મી જાન્યુઆરીના રોજ એટલે કે ઉત્તરાયણના દિવસે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. એક જ દિવસમાં 3 લોકોના મોત પતંગની દોરીને કારણે થયા છે.  

સોસાયટીના ચેરમેનોનો માથાનો દુઃખાવો વધ્યો, આ રીતે ધાબા પર પતંગ ચગાવવા માટે  કરી રહ્યાં છે પ્લાનિંગ | uttarayan festival public kite notification  gujarat government


ગળા કપાઈ જવાને કારણે થાય છે મોત 

મકરસંક્રાંતિનો પર્વ લોકો ધામધૂમથી અને ઉત્સાહ સાથે મનાવતા હોય છે. પતંગ ચગાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. પતંગ ચગાવવા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરે છે. પરંતુ  આ દોરીને કારણે લોકોના જીવન પર સંકટ રહેતું હોય છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે જેને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાતો હોય છે. અનેક લોકોના મોત પણ થતા હોય છે.


અનેક પરિવારે ખોયા પરિવારના સભ્યો 

ઉત્તરાયણના દિવસે પતંગની દોરીને કારણે અનેક અકસ્માત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. પતંગની દોરીને કારણે એક જ દિવસમાં ત્રણ પરિવારે પોતાના પરિવારના સભ્યોને ખોયા છે. 


ત્રણ લોકોના થયા દોરીને કારણે મોત 

વડોદરામાં પતંગની દોરીને કારણે એક યુવકનો જીવ ગયો. ગળામાં દોરી આવી જતા અકસ્માત સર્જાયો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું. બીજી ઘટનામાં 4 વર્ષીય બાળક ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો હતો. મહેસાણાના વિસનગરના કડા દરવાજા નજીક આ ઘટના બની હતી. ચાઈનીઝ દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને જે બાદ તે માસુમ બાળક મોતને ભેટ્યો હતો. જ્યારે ત્રીજી ઘટનામાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગળામાં દોરી આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ સિવાય પણ અનેક ગંભીર અકસ્માત સર્જાયા છે. 108ની ટીમને પણ હજારોની સંખ્યામાં ઈમરજન્સી ફોન આવ્યા હતા. પક્ષીઓને પણ આને કારણે ઈજાઓ પહોંચી છે અને મોત પણ થયા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.