રાજ્યની આટલી શાળાઓનું આવ્યું 0 ટકા પરિણામ! જાણો ક્યાં કેટલી શાળાઓનું આવ્યું ઓછું પરિણામ?


  • Published By :
  • Published Date : 2023-05-25 11:13:20

આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. એક તરફ સારા શિક્ષણની વાત કરીએ છે પરંતુ આજે જે પરિણામ આવ્યું છે તેમાં અનેક એવી શાળાઓ છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2022માં 121 જેટલી શાળાઓ હતી જેનું પરિણામ 0 ટકા નોંધાયું હતું પરંતુ આ વર્ષે 157 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. ગયા વર્ષની સરખામણીમાં 36 શાળાઓનો વધારો થયો છે. 


કેટલી શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું?

સુરત જિલ્લામાં સૌથી વધારે પરિણામ નોંધાયું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો મહાનગરોની વાત કરીએ તો રાજકોટની 13 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જૂનાગઢની  9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. સુરતની 6 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જામનગરના શાળાઓની વાત કરીએ તો 5 શાળાનું પરિણામ શૂન્ય આવ્યું છે. ગાંધીનગરની ચાર, ભાવનગરની ચાર જ્યારે વડોદરાની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.      


   

જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. દાહોદની 22 શાળાઓ, રાજકોટની 13 શાળાઓ, જૂનાગઢની 9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ, કચ્છની 8 શાળાઓ, ગીર સોમનાથની 7 શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 6 શાળા પંચમહાલની, સુરતની 6 શાળાઓ, આણંદની 5 શાળાઓ, બનાસકાંઠાની પાંચ શાળાઓ, જામનગરની 5 શાળાઓ, મહિસાગરની 5 શાળાઓ, સાબરકાંઠાની 5 શાળાઓ, વલસાડની 5 શાળાઓ, અમરેલીની 4 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. તે સિવાય ભાવનગરની ચાર શાળા, ગાંધીનગરની 4 શાળા, ખેડાની 4 શાળા, મહેસાણાની 4 શાળા, અમદાવાદ રુરલની 3 શાળા, ભરૂચની 3, બોટાદની 3 શાળાનો સમાવેશ પણ આ જ શ્રેણીમાં થાય છે.



જો પાટણની વાત કરવામાં આવે તો 3 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે, સુરેન્દ્રનગરની 3, મોરબીની 2, નવસારીની 2, પોરબંદરની 2 જ્યારે તાપીની 2 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. અરવલ્લીની 1 શાળા, ડાંગની 1 શાળા, દેવભૂમિ દ્વારકાની 1 શાળા, વડોદરાની 1 શાળા, દાદરાનગર હવેલીની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ મોખરે છે. 2022ની સરખામણીમાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.