રાજ્યની આટલી શાળાઓનું આવ્યું 0 ટકા પરિણામ! જાણો ક્યાં કેટલી શાળાઓનું આવ્યું ઓછું પરિણામ?


  • Published By :
  • Published Date : 2023-05-25 11:13:20

આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. એક તરફ સારા શિક્ષણની વાત કરીએ છે પરંતુ આજે જે પરિણામ આવ્યું છે તેમાં અનેક એવી શાળાઓ છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2022માં 121 જેટલી શાળાઓ હતી જેનું પરિણામ 0 ટકા નોંધાયું હતું પરંતુ આ વર્ષે 157 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. ગયા વર્ષની સરખામણીમાં 36 શાળાઓનો વધારો થયો છે. 


કેટલી શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું?

સુરત જિલ્લામાં સૌથી વધારે પરિણામ નોંધાયું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો મહાનગરોની વાત કરીએ તો રાજકોટની 13 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જૂનાગઢની  9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. સુરતની 6 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જામનગરના શાળાઓની વાત કરીએ તો 5 શાળાનું પરિણામ શૂન્ય આવ્યું છે. ગાંધીનગરની ચાર, ભાવનગરની ચાર જ્યારે વડોદરાની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.      


   

જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. દાહોદની 22 શાળાઓ, રાજકોટની 13 શાળાઓ, જૂનાગઢની 9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ, કચ્છની 8 શાળાઓ, ગીર સોમનાથની 7 શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 6 શાળા પંચમહાલની, સુરતની 6 શાળાઓ, આણંદની 5 શાળાઓ, બનાસકાંઠાની પાંચ શાળાઓ, જામનગરની 5 શાળાઓ, મહિસાગરની 5 શાળાઓ, સાબરકાંઠાની 5 શાળાઓ, વલસાડની 5 શાળાઓ, અમરેલીની 4 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. તે સિવાય ભાવનગરની ચાર શાળા, ગાંધીનગરની 4 શાળા, ખેડાની 4 શાળા, મહેસાણાની 4 શાળા, અમદાવાદ રુરલની 3 શાળા, ભરૂચની 3, બોટાદની 3 શાળાનો સમાવેશ પણ આ જ શ્રેણીમાં થાય છે.



જો પાટણની વાત કરવામાં આવે તો 3 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે, સુરેન્દ્રનગરની 3, મોરબીની 2, નવસારીની 2, પોરબંદરની 2 જ્યારે તાપીની 2 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. અરવલ્લીની 1 શાળા, ડાંગની 1 શાળા, દેવભૂમિ દ્વારકાની 1 શાળા, વડોદરાની 1 શાળા, દાદરાનગર હવેલીની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ મોખરે છે. 2022ની સરખામણીમાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.