રાજ્યની આટલી શાળાઓનું આવ્યું 0 ટકા પરિણામ! જાણો ક્યાં કેટલી શાળાઓનું આવ્યું ઓછું પરિણામ?


  • Published By :
  • Published Date : 2023-05-25 11:13:20

આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. એક તરફ સારા શિક્ષણની વાત કરીએ છે પરંતુ આજે જે પરિણામ આવ્યું છે તેમાં અનેક એવી શાળાઓ છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2022માં 121 જેટલી શાળાઓ હતી જેનું પરિણામ 0 ટકા નોંધાયું હતું પરંતુ આ વર્ષે 157 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. ગયા વર્ષની સરખામણીમાં 36 શાળાઓનો વધારો થયો છે. 


કેટલી શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું?

સુરત જિલ્લામાં સૌથી વધારે પરિણામ નોંધાયું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો મહાનગરોની વાત કરીએ તો રાજકોટની 13 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જૂનાગઢની  9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. સુરતની 6 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જામનગરના શાળાઓની વાત કરીએ તો 5 શાળાનું પરિણામ શૂન્ય આવ્યું છે. ગાંધીનગરની ચાર, ભાવનગરની ચાર જ્યારે વડોદરાની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.      


   

જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. દાહોદની 22 શાળાઓ, રાજકોટની 13 શાળાઓ, જૂનાગઢની 9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ, કચ્છની 8 શાળાઓ, ગીર સોમનાથની 7 શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 6 શાળા પંચમહાલની, સુરતની 6 શાળાઓ, આણંદની 5 શાળાઓ, બનાસકાંઠાની પાંચ શાળાઓ, જામનગરની 5 શાળાઓ, મહિસાગરની 5 શાળાઓ, સાબરકાંઠાની 5 શાળાઓ, વલસાડની 5 શાળાઓ, અમરેલીની 4 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. તે સિવાય ભાવનગરની ચાર શાળા, ગાંધીનગરની 4 શાળા, ખેડાની 4 શાળા, મહેસાણાની 4 શાળા, અમદાવાદ રુરલની 3 શાળા, ભરૂચની 3, બોટાદની 3 શાળાનો સમાવેશ પણ આ જ શ્રેણીમાં થાય છે.



જો પાટણની વાત કરવામાં આવે તો 3 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે, સુરેન્દ્રનગરની 3, મોરબીની 2, નવસારીની 2, પોરબંદરની 2 જ્યારે તાપીની 2 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. અરવલ્લીની 1 શાળા, ડાંગની 1 શાળા, દેવભૂમિ દ્વારકાની 1 શાળા, વડોદરાની 1 શાળા, દાદરાનગર હવેલીની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ મોખરે છે. 2022ની સરખામણીમાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે.    



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .