રાજ્યની આટલી શાળાઓનું આવ્યું 0 ટકા પરિણામ! જાણો ક્યાં કેટલી શાળાઓનું આવ્યું ઓછું પરિણામ?


  • Published By :
  • Published Date : 2023-05-25 11:13:20

આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. 64.62 ટકા પરિણામ આવ્યું છે. એક તરફ સારા શિક્ષણની વાત કરીએ છે પરંતુ આજે જે પરિણામ આવ્યું છે તેમાં અનેક એવી શાળાઓ છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2022માં 121 જેટલી શાળાઓ હતી જેનું પરિણામ 0 ટકા નોંધાયું હતું પરંતુ આ વર્ષે 157 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. ગયા વર્ષની સરખામણીમાં 36 શાળાઓનો વધારો થયો છે. 


કેટલી શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું?

સુરત જિલ્લામાં સૌથી વધારે પરિણામ નોંધાયું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. જો મહાનગરોની વાત કરીએ તો રાજકોટની 13 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જૂનાગઢની  9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. સુરતની 6 શાળાઓ એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. જામનગરના શાળાઓની વાત કરીએ તો 5 શાળાનું પરિણામ શૂન્ય આવ્યું છે. ગાંધીનગરની ચાર, ભાવનગરની ચાર જ્યારે વડોદરાની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.      


   

જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે. દાહોદની 22 શાળાઓ, રાજકોટની 13 શાળાઓ, જૂનાગઢની 9 શાળાઓ, અમદાવાદ શહેરની 8 શાળાઓ, કચ્છની 8 શાળાઓ, ગીર સોમનાથની 7 શાળાઓનું પરિણામ 0 ટકા નોંધાયું છે. 6 શાળા પંચમહાલની, સુરતની 6 શાળાઓ, આણંદની 5 શાળાઓ, બનાસકાંઠાની પાંચ શાળાઓ, જામનગરની 5 શાળાઓ, મહિસાગરની 5 શાળાઓ, સાબરકાંઠાની 5 શાળાઓ, વલસાડની 5 શાળાઓ, અમરેલીની 4 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. તે સિવાય ભાવનગરની ચાર શાળા, ગાંધીનગરની 4 શાળા, ખેડાની 4 શાળા, મહેસાણાની 4 શાળા, અમદાવાદ રુરલની 3 શાળા, ભરૂચની 3, બોટાદની 3 શાળાનો સમાવેશ પણ આ જ શ્રેણીમાં થાય છે.



જો પાટણની વાત કરવામાં આવે તો 3 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે, સુરેન્દ્રનગરની 3, મોરબીની 2, નવસારીની 2, પોરબંદરની 2 જ્યારે તાપીની 2 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા નોંધાયું છે. અરવલ્લીની 1 શાળા, ડાંગની 1 શાળા, દેવભૂમિ દ્વારકાની 1 શાળા, વડોદરાની 1 શાળા, દાદરાનગર હવેલીની એક શાળા એવી છે જેનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં દાહોદ મોખરે છે. 2022ની સરખામણીમાં શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.