ત્રણ વર્ષમાં આટલી મહિલાઓ થઈ ગુમ! રાજ્યસભામાં સરકારે રજૂ કર્યા આંકડા, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-07-31 11:22:18

રાજ્યસભામાં રજૂ કરવામાં આવતા અનેક આંકડાઓ આપણને ચોંકાવી દે તેવા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલી મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. આ આંકડો સાંભળીને અનેક લોકોની આંખો પહોળી થઈ જશે કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. 2019થી 2021 દરમિયાન 18 વર્ષથી ઉપરની 10,61,648 જેટલી મહિલાઓ- છોકરીઓ લાપતા થઈ છે જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની 2,51,430 છોકરીઓ દેશભરમાંથી ગુમ થઈ છે. 


વર્ષ 2019થી 2021 દરમિયાન આટલી મહિલાઓ થઈ લાપતા  

એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો આપણે કરતા હોઈએ છીએ. પરંતુ દેશભરમાં બાળકો ગુમ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં બાળકો ગુમ થયા હોવાની ફરિયાદો નોંધાવામાં આવી છે. રાજ્યસભામાં આ મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને તે આંકડો ચોંકાવનારો છે. સરકારી આંકડાઓ અનુસાર ૨૦૧૯ થી ૨૦૨૧ની વચ્ચે મધ્ય પ્રદેશમાંથી ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ લાપતા થઇ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ આ સમયગાળા દરમિયાન લાપતા થઇ છે. જો અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ લાપતા થઇ હતી. ઓડિશામાં ૭૦,૨૨૨ મહિલાઓ અને ૧૬,૬૪૯ છોકરીઓ ગુમ થઈ હતી. છત્તીસગઢમાં ૪૯,૧૧૬ મહિલાઓ અને ૧૦,૮૧૭ છોકરીઓ લાપતા થઈ છે તેવો આંકડો સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવ્યો છે. 


બાળતસ્કરી અંગેની આ રહી માહિતી 

દેશમાં મહિલાઓની તેમજ બાળકોની સુરક્ષા અંગે અનેક કાયદાઓ લાવવામાં આવ્યા છે. પરંતુ અનેક બાળકો ગુમ થયા છે અને સરકારી ચોપડે તેમના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે બાળ તસ્કરીના ગુન્હાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બાળતસ્કરી અંગેની વાત કરીએ વર્ષ 2016થી 2022ની વચ્ચે બાળકોની તસ્કરી બિહાર, ઉત્તર પ્રદેશ તેમજ આંધ્ર પ્રદેશ ટોચ પર આવે છે.    



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.