ત્રણ વર્ષમાં આટલી મહિલાઓ થઈ ગુમ! રાજ્યસભામાં સરકારે રજૂ કર્યા આંકડા, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-07-31 11:22:18

રાજ્યસભામાં રજૂ કરવામાં આવતા અનેક આંકડાઓ આપણને ચોંકાવી દે તેવા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલી મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. આ આંકડો સાંભળીને અનેક લોકોની આંખો પહોળી થઈ જશે કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. 2019થી 2021 દરમિયાન 18 વર્ષથી ઉપરની 10,61,648 જેટલી મહિલાઓ- છોકરીઓ લાપતા થઈ છે જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની 2,51,430 છોકરીઓ દેશભરમાંથી ગુમ થઈ છે. 


વર્ષ 2019થી 2021 દરમિયાન આટલી મહિલાઓ થઈ લાપતા  

એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો આપણે કરતા હોઈએ છીએ. પરંતુ દેશભરમાં બાળકો ગુમ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં બાળકો ગુમ થયા હોવાની ફરિયાદો નોંધાવામાં આવી છે. રાજ્યસભામાં આ મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને તે આંકડો ચોંકાવનારો છે. સરકારી આંકડાઓ અનુસાર ૨૦૧૯ થી ૨૦૨૧ની વચ્ચે મધ્ય પ્રદેશમાંથી ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ લાપતા થઇ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ આ સમયગાળા દરમિયાન લાપતા થઇ છે. જો અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ લાપતા થઇ હતી. ઓડિશામાં ૭૦,૨૨૨ મહિલાઓ અને ૧૬,૬૪૯ છોકરીઓ ગુમ થઈ હતી. છત્તીસગઢમાં ૪૯,૧૧૬ મહિલાઓ અને ૧૦,૮૧૭ છોકરીઓ લાપતા થઈ છે તેવો આંકડો સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવ્યો છે. 


બાળતસ્કરી અંગેની આ રહી માહિતી 

દેશમાં મહિલાઓની તેમજ બાળકોની સુરક્ષા અંગે અનેક કાયદાઓ લાવવામાં આવ્યા છે. પરંતુ અનેક બાળકો ગુમ થયા છે અને સરકારી ચોપડે તેમના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે બાળ તસ્કરીના ગુન્હાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બાળતસ્કરી અંગેની વાત કરીએ વર્ષ 2016થી 2022ની વચ્ચે બાળકોની તસ્કરી બિહાર, ઉત્તર પ્રદેશ તેમજ આંધ્ર પ્રદેશ ટોચ પર આવે છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.