ત્રણ વર્ષમાં આટલી મહિલાઓ થઈ ગુમ! રાજ્યસભામાં સરકારે રજૂ કર્યા આંકડા, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-07-31 11:22:18

રાજ્યસભામાં રજૂ કરવામાં આવતા અનેક આંકડાઓ આપણને ચોંકાવી દે તેવા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલી મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. આ આંકડો સાંભળીને અનેક લોકોની આંખો પહોળી થઈ જશે કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ મહિલાઓ તેમજ છોકરીઓ ગુમ થઈ છે. 2019થી 2021 દરમિયાન 18 વર્ષથી ઉપરની 10,61,648 જેટલી મહિલાઓ- છોકરીઓ લાપતા થઈ છે જ્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની 2,51,430 છોકરીઓ દેશભરમાંથી ગુમ થઈ છે. 


વર્ષ 2019થી 2021 દરમિયાન આટલી મહિલાઓ થઈ લાપતા  

એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો આપણે કરતા હોઈએ છીએ. પરંતુ દેશભરમાં બાળકો ગુમ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વિવિધ પોલીસ સ્ટેશનમાં બાળકો ગુમ થયા હોવાની ફરિયાદો નોંધાવામાં આવી છે. રાજ્યસભામાં આ મામલે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો અને તે આંકડો ચોંકાવનારો છે. સરકારી આંકડાઓ અનુસાર ૨૦૧૯ થી ૨૦૨૧ની વચ્ચે મધ્ય પ્રદેશમાંથી ૧,૬૦,૧૮૦ મહિલાઓ અને ૩૮,૨૩૪ છોકરીઓ લાપતા થઇ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ૧,૫૬,૯૦૫ મહિલાઓ અને ૩૬,૬૦૬ છોકરીઓ આ સમયગાળા દરમિયાન લાપતા થઇ છે. જો અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ૧,૭૮,૪૦૦ મહિલાઓ અને ૧૩,૦૩૩ છોકરીઓ લાપતા થઇ હતી. ઓડિશામાં ૭૦,૨૨૨ મહિલાઓ અને ૧૬,૬૪૯ છોકરીઓ ગુમ થઈ હતી. છત્તીસગઢમાં ૪૯,૧૧૬ મહિલાઓ અને ૧૦,૮૧૭ છોકરીઓ લાપતા થઈ છે તેવો આંકડો સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવ્યો છે. 


બાળતસ્કરી અંગેની આ રહી માહિતી 

દેશમાં મહિલાઓની તેમજ બાળકોની સુરક્ષા અંગે અનેક કાયદાઓ લાવવામાં આવ્યા છે. પરંતુ અનેક બાળકો ગુમ થયા છે અને સરકારી ચોપડે તેમના ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે બાળ તસ્કરીના ગુન્હાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બાળતસ્કરી અંગેની વાત કરીએ વર્ષ 2016થી 2022ની વચ્ચે બાળકોની તસ્કરી બિહાર, ઉત્તર પ્રદેશ તેમજ આંધ્ર પ્રદેશ ટોચ પર આવે છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .