ટેલેન્ટ હબ બનતું સોશિયલ મીડિયા! નાના બાળકોના એવા વીડિયો જે જોઈ તમારૂં દિલ ખુશ થઈ જશે...


  • Published By :
  • Published Date : 2023-07-29 13:28:08

સોશિયલ મીડિયાના જેટલા ગેરફાયદા છે તેટલા જ તેના ફાયદા પણ છે. અનેક એવા વીડિયો આપણે દિવસભરમાં જોતા હોઈએ છીએ જેને જોઈ આપણે દિલથી ખુશ થઈએ છીએ. લોકોમાં રહેલી ટેલેન્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયા સમક્ષ આવતી હોય છે. ત્યારે એક નાના ટેણિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બાળક ગજબની તીરઅંદાજી કરતો દેખાઈ રહ્યો છે. આપણામાંથી એવા અનેક લોકો હશે જે નિશાના પર તિર લગાવવાની વાત તો દૂર રહી પરંતુ તેને સરખી રીતે પકડી પણ નહીં શકીયે. ત્યારે રૂદ્ર નામનો 12-13 વર્ષનો દીકરો હાથથી નહીં પરંતુ પગથી તીરઅંદાજી કરતો દેખાઈ રહ્યો છે.   

જો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવામાં આવે તો.... 

કહેવાય છે કે દરેકમાં હિડન ટેલેન્ટ રહેલો હોય છે. જો તેને સારૂ પ્લેટફોર્મ અને દીશા મળી જાય તો તે કઈ પણ કરી શકે છે, કોઈ પગ મુકામ હાંસલ કરી શકે છે. સોશિયલ મીડિયા આવું જ પ્લેટફોર્મ છે. જો તમે તેનો સારી રીતે, પોઝીટિવ રીતે ઉપયોગ કરો છો તમારી અંદર રહેલી પ્રતિભા દુનિયા સુધી પહોંચે છે. પરંતુ આપણમાંથી અનેક લોકો આનો ઉપયોગ નેગેટિવ ઉપયોગ કરતા હોય છે. જો સારી રીતે આવા પ્લેટફોર્મનો સદ્દુપયોગ કરવામાં આવે તો આવા પ્લેટફોર્મ વરદાનરૂપ સાબિત થઈ શકે છે. 


રૂદ્ર હાથથી નહીં પગથી લગાવે છે નિશાન 

ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળક હાથથી નહીં પરંતુ પગથી તીરઅંદાજી કરતો દેખાય છે. લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે અનેક લોકોએ બાળકની અંદર રહેલી પ્રતિભાને બિરદાવી છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે રૂદ્ર પહેલા યોગા મેટ પર ઉભો થાય છે. પોતાના પગમાં ધનુષ અને તીરને પકડે છે. પછી યોગા કરતા કરતા પોતાના હાથો પર ઉભો થઈ જાય છે અને પગથી નિશાન સાધે છે. સામે રાખેલા બલુન પર તે નિશાન સાધે છે અને તેનો નિશાન એકદમ એક્ઝેટ લાગે છે. વીડિયો વાયરલ થતાં કોઈએ રૂદ્રને કલિયુગના અર્જુન તરીકે સંબોધ્યો, તો કોઈએ લખ્યું કે આગળ વધો બેટા, નેશનલ લેવલ પર રમો. વગેરે વગેરે...    

શાળામાં ભણતી વિદ્યાર્થીનીનો પણ વીડિયો થયો વાયરલ 

તે સિવાય એક બાળકીનો વીડિયો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માતૃભાષામાં ગીત ગાઈ રહી છે. આ વીડિયો દાહોદની પ્રાથમિક શાળાનો છે. ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનો અવાજ સાંભળી તમારૂં દિલ પણ ખુશ થઈ જશે. મહત્વનું છે કે નાના બાળકોમાં એવી એવી કળાઓ છૂપાયેલી હોય છે જો તેને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે પોતાની કાબિલિયત સાબિત કરી શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.