Loksabha Election પહેલા BJP-Congressનાં નેતાઓની સોશિયલ મીડિયા વોર! ' ટનાટન ' પર રાજનીતિ! અંતરાત્મા બાદ નેતાઓની અંદરના કવિ જાગ્યા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 13:05:42

નેતાના અંદરના અંતરાત્મા જાગતા તો આપણે બધાએ જોયા છે પણ આ ચૂંટણીમાં કંઈક નવું થઇ રહ્યું છે. નેતાઓના અંદરના કવિઓ જાગી રહ્યા છે. ટનાટન સરકારની વાતો ફરી એક વાર ઉઠી છે. પરેશ ધાનાણીએ શરૂઆત કરી તો એમની પાછળ હેમાંગ રાવલે કવિતા લખી. પછી વળતા જવાબમાં ભાજપના યજ્ઞેશ દવેએ પણ કવિતા લખી અને આ કવિતાઓ સાંભળીને સવાલ થાય કે આ ચૂંટણી છે કે કવિ સંમેલન? 


ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જામ્યું સોશિયલ મીડિયા વોર!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજનીતિ ગરમાશે, પાર્ટીઓ શાબ્દિક પ્રહાર કરશે. પરંતુ થોડા સમયથી એક નવો ટ્રેન્ડ રાજનીતિમાં જોવા મળી રહ્યો છે જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓ શાબ્દિક પ્રહાર કરશે, ટિકા ટિપ્પણી કરશે. લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. આ વોરની શરૂઆત કરી છે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ. સોશિયલ મીડિયા પર નેતાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. ભાજપના ભરતી મેળા અને ભાજપમા આંતરિક વિરોધને પગલે કોંગ્રેસ ગેલમાં આવી ગયું છે. 

કોણે શું કરી ટ્વિટ? 

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ મુકવામાં આવી છે... . ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટનો જવાબ ભાજપે આપ્યો. ધાનાણીના ટ્વીટનો જવાબ યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયા પર આપ્યો. પૂર્વ ધારાસભ્ય ધાનાણીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે લોકસભા 2024 હાલ "કમલમ"માં કકળાટ, જ્યારે "કોંગ્રેસ" ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું.!ધાનાણીના ટ્વીટ બાદ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેષ દવેએ ધાનાણીને જવાબ આપતા એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું કે,

કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ "ના" પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન


પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી


રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન "ના "


અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન "ના"


અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન "ના"


આણંદથી ભરત સોલંકીની ટનાટન "ના"


પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન "ના"


અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટનાટન "ના"


અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન "ના"

પરેશ ધાનાણીએ ભાજપ પર નિશાન સાધ્યું તો...

જેના પછી હેમાંગ રાવલ જે  કોંગ્રેસના નેતાએ પણ એક મોટી કવિતા લખી ભાજપના ટનાટન પર! એના પછી બધાને લાગ્યું કે બસ હવે આ વોર ખતમ થશે ત્યાં ધાનાણીએ ફરી ભાજપ પર નિશાન તાક્યું ને બીજી પોસ્ટમાં લખ્યું કે "હા પાડીને, હેઠા બેસાડયા"


ભીખુસીંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડૂકના ઢોલ પીટી નાખ્યા, રુપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો.!


#2004નુ_પુનરાવર્તન_પાક્કુ



એક તરફ કોંગ્રેસના નેતા કહે છે કે 2004નું પુનરાવર્તન તો ભાજપના નેતા કહે છે અબકી બાર 400 પાર… 


યજ્ઞેશ દવેએ લખ્યું કે... 

હમણાં જ ફરી યજ્ઞેશ દવેએ એક પોસ્ટ કરી જેમાં લખ્યું કે ના બચ્યા ધારાસભ્ય બાર,

નથી મળી રહ્યા સાંસદ ઉમેદવાર,


મોટા માથાઓ પાડી ગયા રાડ,

ડિપોઝિટ બચશે કેમની યાર,


કેમ કે…

અબકી બાર 400 પાર…



તો હવે આ તો જનતા નક્કી કરશે કે 400 પાર કે 2004 પણ અત્યારે  તો જનતાએ આ કવિતાઓ સાંભળીને મનોરંજન લેવાનું છે કારણકે લાગે છે હજુ એક બે નેતાઓના અંદરના કવિ જાગશે! 



આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....