વિશ્વમાં ભારતનો ડંકો, ચંદ્રની સપાટી પર Chandrayaan-3નું સોફ્ટ લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-08-23 19:12:27

જ્યારથી ચંદ્રયાન-3 અભિયાનની શરૂઆત થઈ હતી ત્યારથી સૌથી વધારે ઉત્સાહ ભારતીઓમાં જોવા મળ્યો હતો. ભારતનું મિશન ચંદ્રયાન-3 સફળ થયું છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે અને ભારતે વિશ્વમાં ઈતિહાસ રચ્યો છે. ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવા વાળો સર્વપ્રથમ દેશ ભારત બન્યો છે. ભારતે સોફ્ટ લેન્ડિંગ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કર્યું છે. ચંદ્રની સપાટી પર લેન્ડ કરનાર દેશમાં ભારતે પોતાનું સ્થાન બનાવી દીધું છે. ચંદ્રના કોઈપણ ભાગમાં પોતાના યાનને ઉતારનાર દેશમાં ભારતનો સમાવેશ થઈ ગયો છે. ભારત આ ક્રમમાં ચોથો દેશ બની ગયો છે. અમેરિકા, સોવિયત યુનિયન, ચીન બાદ ભારતે પોતાનું સ્થાન બનાવ્યું છે. ચંદ્રયાન-3એ આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર  ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કર્યું છે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને અને ભારતનો ડંકો વિશ્વમાં વગાડ્યો છે.    

આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે - પીએમ મોદી 

ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થતાં જ દરેક ભારતીઓની આંખમાં એક અલગ ચમક દેખાઈ હતી. જે ક્ષણે લેન્ડ થવાનું હતું ત્યારે બધાના ધબક્કારા વધી ગયા હતા. વિશ્વની નજર ભારત પર હતી. ત્યારે ભારતે ઈતિહાસમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે. પીએમ મોદી હાલ વિદેશના પ્રવાસે છે. આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે પીએમ મોદી વચ્યુઅલી જોડાયા હતા. સોફ્ટ લેન્ડિંગ થયા બાદ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.


 ઈસરો આવનાર સમયમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરશે

વધુમાં તેમણે કહ્યું કે ચંદ્ર સાથે જોડાયેલી કહેવતો બદલાઈ જશે. નવી પેઢી માટે કહેવતો બદલાઈ જશે. ધરતીને મા કહીએ છીએ અને ચાંદને મામા કહીએ છીએ. આપણે કહેતા કે ચંદામામા બહોત દૂર કે... ચંદામામા બસ એક ટૂર કે... આવનાર સમયમાં ઈસરો સૂર્યને લઈને પણ મિશન શરૂ કરશે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો આદિત્ય એલ વન મિશન લોન્ચ કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.