વિશ્વમાં ભારતનો ડંકો, ચંદ્રની સપાટી પર Chandrayaan-3નું સોફ્ટ લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-08-23 19:12:27

જ્યારથી ચંદ્રયાન-3 અભિયાનની શરૂઆત થઈ હતી ત્યારથી સૌથી વધારે ઉત્સાહ ભારતીઓમાં જોવા મળ્યો હતો. ભારતનું મિશન ચંદ્રયાન-3 સફળ થયું છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3એ સોફ્ટ લેન્ડિંગ કર્યું છે અને ભારતે વિશ્વમાં ઈતિહાસ રચ્યો છે. ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવા વાળો સર્વપ્રથમ દેશ ભારત બન્યો છે. ભારતે સોફ્ટ લેન્ડિંગ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કર્યું છે. ચંદ્રની સપાટી પર લેન્ડ કરનાર દેશમાં ભારતે પોતાનું સ્થાન બનાવી દીધું છે. ચંદ્રના કોઈપણ ભાગમાં પોતાના યાનને ઉતારનાર દેશમાં ભારતનો સમાવેશ થઈ ગયો છે. ભારત આ ક્રમમાં ચોથો દેશ બની ગયો છે. અમેરિકા, સોવિયત યુનિયન, ચીન બાદ ભારતે પોતાનું સ્થાન બનાવ્યું છે. ચંદ્રયાન-3એ આજે સાંજે 6 વાગ્યાને 4 મિનિટ પર  ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેંડ કર્યું છે. આ 14 જુલાઈએ 3.35 મિનિટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ આ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર પુરી કરીને અને ભારતનો ડંકો વિશ્વમાં વગાડ્યો છે.    

આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે - પીએમ મોદી 

ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થતાં જ દરેક ભારતીઓની આંખમાં એક અલગ ચમક દેખાઈ હતી. જે ક્ષણે લેન્ડ થવાનું હતું ત્યારે બધાના ધબક્કારા વધી ગયા હતા. વિશ્વની નજર ભારત પર હતી. ત્યારે ભારતે ઈતિહાસમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે. પીએમ મોદી હાલ વિદેશના પ્રવાસે છે. આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે પીએમ મોદી વચ્યુઅલી જોડાયા હતા. સોફ્ટ લેન્ડિંગ થયા બાદ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.


 ઈસરો આવનાર સમયમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરશે

વધુમાં તેમણે કહ્યું કે ચંદ્ર સાથે જોડાયેલી કહેવતો બદલાઈ જશે. નવી પેઢી માટે કહેવતો બદલાઈ જશે. ધરતીને મા કહીએ છીએ અને ચાંદને મામા કહીએ છીએ. આપણે કહેતા કે ચંદામામા બહોત દૂર કે... ચંદામામા બસ એક ટૂર કે... આવનાર સમયમાં ઈસરો સૂર્યને લઈને પણ મિશન શરૂ કરશે તેવી વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો આદિત્ય એલ વન મિશન લોન્ચ કરશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .