કચ્છમાં SOG અને LCBનું સફળ ઓપરેશન, રૂ. 2.10 કરોડના ડ્ર્ગ્સ સાથે 5 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-07-13 21:15:05

ગુજરાતમાં નશાનો વેપાર ચિંતાજનક હદે વધી રહ્યો છે. ડ્ર્ગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતના શહેરોમાં ડ્રગ્સની તસ્કરી કરવામાં આવે છે. કચ્છના ભુજના માધાપર પાસે SOG અને LCBના સંયુક્ત ઓપરેશનમાં  રૂ. 2.10 કરોડનું ડ્ર્ગ્સ ઝડપાયું હતું. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 5 લોકોને ઝડપી પડ્યા છે. ભુજના માધાપર પાસે ગઈ કાલે સાંજે થયેલ નળ વાળા સર્કલ પાસે પશ્ચિમ કચ્છ SOG અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં 420 ગ્રામ હેરોઇન ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


બાતમીના આધારે કાર્યવાહી


ભુજના માધાપર નજીક આવેલ નળ સર્કલ પાસે બુધવારની સાંજે પોલીસ ને બાતમી મળી હતી કે પંજાબના 5 શખ્સો ડ્રગ્સના વેચાણ અર્થે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જવાનો સિવિલ ડ્રેસમાં પેટ્રોલીંગ શરૂ કરી હતી. જે દરમિયાન સંદિગ્ધ કાર નીકળતા તેને અટકાવી હતી પરંતુ તે ઉભી ના રહેતા કાર અને તેના ટાયર ઉપર પાંચ રાઉન્ડ ફાયર કરીને કાર અટકાવી 5 પંજાબીને પકડી પાડયા હતા. સમગ્ર કાર્યવાહીમાં 25 થી વધુ પોલીસ કર્મચારીઓએ આ કામગીરી સફળ પાર પાડી હતી.પોલીસે શરૂ કરેલી વધુ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓએ પંજાબના તરનતારન જિલ્લાના ગેંગસ્ટર કુલદીપસિંઘ અને પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. ત્યારબાદ દિલ્હીથી ભુજ આવવા મટે નીકળ્યા હતા. આ પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓનો ચોરી, લૂંટફાટ, તેમજ આર્મ્સ એકટ હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.