Ahmedabadની સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કચરો દેખાતા આ બ્રાન્ડેડ દુકાનોને કરાઈ સીલ!


  • Published By :
  • Published Date : 2023-11-21 15:11:35

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુ વાસ કરે છે. શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. અલગ અલગ જગ્યાઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે કે સ્વચ્છતા છે કે નહીં તેનું મોનીટરિંગ કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં અનેક એવી દુકાનો, બિલ્ડીંગો છે જ્યાં સ્વચ્છતા નથી હોતી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સોલારીસ બિઝનેસ હબમાં આવેલી અનેક દુકાનોને સ્વચ્છતા ન હોવાને કારણે સીલ કરી છે. પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.  

સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધર્યું ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે જગ્યા પર ગંદકી  દેખાય તે જગ્યા પર તો તે એકમને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, હજી સુધી અનેક દુકાનોને સીલ પણ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નારણપુરા સબ જોનલ ઓફિસ પશ્ચિમ ઝોન દ્વારા સોલારીસ બિઝનેસ હબ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે જ્યારે વિઝીટ કરી ત્યારે કચરો મોટા પ્રમાણમાં દેખાયો હતો. જે બાદ સરકારના જાહેરનામા પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેરનામાને ભંગ કરવા બદલ જીપીએમસી એક્ટ 1992 તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 નો ભંગ કરવા બાબત સોલારીસ બિઝનેસ હબ સોલારોડ ખાતે ચાર થી પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.


કઈ દુકાનોને કરાઈ સીલ?

જે દુકાનોને સીલ કરવામાં આવી છે તે કપાડની બ્રાન્ડેડ દુકાનો છે. Westside showroom , Zudio Shop, Style Up જેવી દુકાનોને સીલ કરવામાં આવી છે. આ દુકાનોને દંડ પણ ફટકારાયો છે ઉપરાંત નોટીસ પણ લગાવવામાં આવી છે. કચરાનો તાત્કાલિક નિકાલ થાય તે માટે બિઝનેસ હબના ચેરમેમને પણ નોટીસ આપવામાં આવી છે. રસ્તા પર કચરાનો ઠગલો પડ્યો હતો તેને ત્વરીત હટાવવામાં આવે અને આ બેદરકારી દાખવવામાં ન આવે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી. જો આગળથી સ્વચ્છતા નહીં જળવાય તો વધુ કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.


બ્રાન્ડેડ દુકાનોની બહાર પણ હોય છે કચરાના ઢગલા 

મહત્વનું છે કે સામાન્ય રીતે આપણે માનતા હોઈ છીએ કે મોટી દુકાન છે તો ત્યાં સફાઈ સારી રહેતી હશે. પોશ વિસ્તારમાં દુકાન છે તો દુકાન સારી હશે તેવી વાતો આપણે વિચારતા હોઈએ છીએ પરંતુ એ વાત સત્ય નથી હોતી. મોટી અને બ્રાન્ડેડ દુકાનોની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. મોટી મોટી દુકાનો બહાર પણ કચરાના ઢગલા જોવા મળતા હોય છે.        




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.