Ahmedabadની સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કચરો દેખાતા આ બ્રાન્ડેડ દુકાનોને કરાઈ સીલ!


  • Published By :
  • Published Date : 2023-11-21 15:11:35

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુ વાસ કરે છે. શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. અલગ અલગ જગ્યાઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે કે સ્વચ્છતા છે કે નહીં તેનું મોનીટરિંગ કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં અનેક એવી દુકાનો, બિલ્ડીંગો છે જ્યાં સ્વચ્છતા નથી હોતી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સોલારીસ બિઝનેસ હબમાં આવેલી અનેક દુકાનોને સ્વચ્છતા ન હોવાને કારણે સીલ કરી છે. પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.  

સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધર્યું ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે જગ્યા પર ગંદકી  દેખાય તે જગ્યા પર તો તે એકમને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, હજી સુધી અનેક દુકાનોને સીલ પણ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નારણપુરા સબ જોનલ ઓફિસ પશ્ચિમ ઝોન દ્વારા સોલારીસ બિઝનેસ હબ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે જ્યારે વિઝીટ કરી ત્યારે કચરો મોટા પ્રમાણમાં દેખાયો હતો. જે બાદ સરકારના જાહેરનામા પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેરનામાને ભંગ કરવા બદલ જીપીએમસી એક્ટ 1992 તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 નો ભંગ કરવા બાબત સોલારીસ બિઝનેસ હબ સોલારોડ ખાતે ચાર થી પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.


કઈ દુકાનોને કરાઈ સીલ?

જે દુકાનોને સીલ કરવામાં આવી છે તે કપાડની બ્રાન્ડેડ દુકાનો છે. Westside showroom , Zudio Shop, Style Up જેવી દુકાનોને સીલ કરવામાં આવી છે. આ દુકાનોને દંડ પણ ફટકારાયો છે ઉપરાંત નોટીસ પણ લગાવવામાં આવી છે. કચરાનો તાત્કાલિક નિકાલ થાય તે માટે બિઝનેસ હબના ચેરમેમને પણ નોટીસ આપવામાં આવી છે. રસ્તા પર કચરાનો ઠગલો પડ્યો હતો તેને ત્વરીત હટાવવામાં આવે અને આ બેદરકારી દાખવવામાં ન આવે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી. જો આગળથી સ્વચ્છતા નહીં જળવાય તો વધુ કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.


બ્રાન્ડેડ દુકાનોની બહાર પણ હોય છે કચરાના ઢગલા 

મહત્વનું છે કે સામાન્ય રીતે આપણે માનતા હોઈ છીએ કે મોટી દુકાન છે તો ત્યાં સફાઈ સારી રહેતી હશે. પોશ વિસ્તારમાં દુકાન છે તો દુકાન સારી હશે તેવી વાતો આપણે વિચારતા હોઈએ છીએ પરંતુ એ વાત સત્ય નથી હોતી. મોટી અને બ્રાન્ડેડ દુકાનોની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. મોટી મોટી દુકાનો બહાર પણ કચરાના ઢગલા જોવા મળતા હોય છે.        




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.