Ahmedabadની સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કચરો દેખાતા આ બ્રાન્ડેડ દુકાનોને કરાઈ સીલ!


  • Published By :
  • Published Date : 2023-11-21 15:11:35

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુ વાસ કરે છે. શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. અલગ અલગ જગ્યાઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે કે સ્વચ્છતા છે કે નહીં તેનું મોનીટરિંગ કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં અનેક એવી દુકાનો, બિલ્ડીંગો છે જ્યાં સ્વચ્છતા નથી હોતી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સોલારીસ બિઝનેસ હબમાં આવેલી અનેક દુકાનોને સ્વચ્છતા ન હોવાને કારણે સીલ કરી છે. પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.  

સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધર્યું ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે જગ્યા પર ગંદકી  દેખાય તે જગ્યા પર તો તે એકમને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, હજી સુધી અનેક દુકાનોને સીલ પણ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નારણપુરા સબ જોનલ ઓફિસ પશ્ચિમ ઝોન દ્વારા સોલારીસ બિઝનેસ હબ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે જ્યારે વિઝીટ કરી ત્યારે કચરો મોટા પ્રમાણમાં દેખાયો હતો. જે બાદ સરકારના જાહેરનામા પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેરનામાને ભંગ કરવા બદલ જીપીએમસી એક્ટ 1992 તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 નો ભંગ કરવા બાબત સોલારીસ બિઝનેસ હબ સોલારોડ ખાતે ચાર થી પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.


કઈ દુકાનોને કરાઈ સીલ?

જે દુકાનોને સીલ કરવામાં આવી છે તે કપાડની બ્રાન્ડેડ દુકાનો છે. Westside showroom , Zudio Shop, Style Up જેવી દુકાનોને સીલ કરવામાં આવી છે. આ દુકાનોને દંડ પણ ફટકારાયો છે ઉપરાંત નોટીસ પણ લગાવવામાં આવી છે. કચરાનો તાત્કાલિક નિકાલ થાય તે માટે બિઝનેસ હબના ચેરમેમને પણ નોટીસ આપવામાં આવી છે. રસ્તા પર કચરાનો ઠગલો પડ્યો હતો તેને ત્વરીત હટાવવામાં આવે અને આ બેદરકારી દાખવવામાં ન આવે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી. જો આગળથી સ્વચ્છતા નહીં જળવાય તો વધુ કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.


બ્રાન્ડેડ દુકાનોની બહાર પણ હોય છે કચરાના ઢગલા 

મહત્વનું છે કે સામાન્ય રીતે આપણે માનતા હોઈ છીએ કે મોટી દુકાન છે તો ત્યાં સફાઈ સારી રહેતી હશે. પોશ વિસ્તારમાં દુકાન છે તો દુકાન સારી હશે તેવી વાતો આપણે વિચારતા હોઈએ છીએ પરંતુ એ વાત સત્ય નથી હોતી. મોટી અને બ્રાન્ડેડ દુકાનોની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. મોટી મોટી દુકાનો બહાર પણ કચરાના ઢગલા જોવા મળતા હોય છે.        




દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.