Ahmedabadની સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કચરો દેખાતા આ બ્રાન્ડેડ દુકાનોને કરાઈ સીલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-21 15:11:35

આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુ વાસ કરે છે. શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. અલગ અલગ જગ્યાઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે કે સ્વચ્છતા છે કે નહીં તેનું મોનીટરિંગ કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં અનેક એવી દુકાનો, બિલ્ડીંગો છે જ્યાં સ્વચ્છતા નથી હોતી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે સોલારીસ બિઝનેસ હબમાં આવેલી અનેક દુકાનોને સ્વચ્છતા ન હોવાને કારણે સીલ કરી છે. પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.  

સોલારીસ બિઝનેસ હબમાં સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધર્યું ચેકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે જગ્યા પર ગંદકી  દેખાય તે જગ્યા પર તો તે એકમને સીલ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, હજી સુધી અનેક દુકાનોને સીલ પણ કરવામાં આવી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ નારણપુરા સબ જોનલ ઓફિસ પશ્ચિમ ઝોન દ્વારા સોલારીસ બિઝનેસ હબ પર ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે જ્યારે વિઝીટ કરી ત્યારે કચરો મોટા પ્રમાણમાં દેખાયો હતો. જે બાદ સરકારના જાહેરનામા પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેરનામાને ભંગ કરવા બદલ જીપીએમસી એક્ટ 1992 તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 નો ભંગ કરવા બાબત સોલારીસ બિઝનેસ હબ સોલારોડ ખાતે ચાર થી પાંચ દુકાનોને સીલ કરવામાં આવી છે.


કઈ દુકાનોને કરાઈ સીલ?

જે દુકાનોને સીલ કરવામાં આવી છે તે કપાડની બ્રાન્ડેડ દુકાનો છે. Westside showroom , Zudio Shop, Style Up જેવી દુકાનોને સીલ કરવામાં આવી છે. આ દુકાનોને દંડ પણ ફટકારાયો છે ઉપરાંત નોટીસ પણ લગાવવામાં આવી છે. કચરાનો તાત્કાલિક નિકાલ થાય તે માટે બિઝનેસ હબના ચેરમેમને પણ નોટીસ આપવામાં આવી છે. રસ્તા પર કચરાનો ઠગલો પડ્યો હતો તેને ત્વરીત હટાવવામાં આવે અને આ બેદરકારી દાખવવામાં ન આવે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી. જો આગળથી સ્વચ્છતા નહીં જળવાય તો વધુ કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.


બ્રાન્ડેડ દુકાનોની બહાર પણ હોય છે કચરાના ઢગલા 

મહત્વનું છે કે સામાન્ય રીતે આપણે માનતા હોઈ છીએ કે મોટી દુકાન છે તો ત્યાં સફાઈ સારી રહેતી હશે. પોશ વિસ્તારમાં દુકાન છે તો દુકાન સારી હશે તેવી વાતો આપણે વિચારતા હોઈએ છીએ પરંતુ એ વાત સત્ય નથી હોતી. મોટી અને બ્રાન્ડેડ દુકાનોની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. મોટી મોટી દુકાનો બહાર પણ કચરાના ઢગલા જોવા મળતા હોય છે.        




ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.