રાજકોટમાં સોની પરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, દેવામાં ડૂબી જવાથી 8 સભ્યોએ લીધો જીવન ટૂંકાવવાનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2024-09-21 17:10:54

આપઘાત કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે.. અનેક કિસ્સાઓમાં આખો પરિવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે.. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં પરિવારના 8થી 9 જેટલા સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. મળતી માહિતી અનુસાર શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.. 


8 વ્યક્તિઓએ સામુહિક રીતે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ

વેપાર સારો ચાલતો હોય અને અચાનક તમે દેવાદાર બની જાવ તો શું હાલત થાય? વેપારી કરોડોનું તમારૂં પેમેન્ટ ના કરે અને તમારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય તો શું કરશો? મોટા ભાગના લોકો આપઘાત કરવાનું પગલું ભરે.. ત્યારે રાજકોટથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે.. દેવામાં ડૂબેલા પરિવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો... એક કે બે વ્યક્તિઓએ નહીં પરંતુ 8થી 9 સભ્યોએ... સામૂહિક આપઘાતથી રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે..


આપઘાત પાછળ આ કારણ હોઈ શકે છે જવાબદાર

આ અંગે મળતી માહિતી અનુસાર આ સોની પરિવાર સોનાના દાગીના બનાવાનું કામ કરે છે.. મુંબઈના વેપારીઓએ તેમને ઓર્ડર આપ્યો, ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી પણ આપ્યા પરંતુ અનેક મહિનાઓ વીતિ ગયા છતાંય વેપારીઓને ત્યાંથી અંદાજીત પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ના આવ્યું.. ઉપરાંત લોન પણ લીધી હતી જેને કારણે બેંકવાળા પણ આ પરિવારને હેરાન કરતા હતા..  જેને કારણે પરિવારે જીવવા કરતા આપઘાત કરવાનું પસંદ કર્યું... 



કોણે કોણે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ?

જે લોકોએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો તે સભ્યોના નામ - લલિત આડેસરા (ઉંમર 72), મીનાબેન આડેસરા (ઉંમર - 64) , ચેતનભાઈ આડેસરા (ઉંમર 45), દિવ્યાબેન આડેસરા  (ઉંમર 43), જય આડેસરા  (ઉંમર 21), વિશાલ લલિતભાઈ આડેસરા  (ઉંમર 43), સંગીતા આડેસરા (ઉંમર 41) તેમજ 15 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દીધા છે અને તેમની સારવાર ચાલી રહી છે.. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.