રાજકોટમાં સોની પરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, દેવામાં ડૂબી જવાથી 8 સભ્યોએ લીધો જીવન ટૂંકાવવાનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2024-09-21 17:10:54

આપઘાત કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે.. અનેક કિસ્સાઓમાં આખો પરિવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે.. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં પરિવારના 8થી 9 જેટલા સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. મળતી માહિતી અનુસાર શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.. 


8 વ્યક્તિઓએ સામુહિક રીતે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ

વેપાર સારો ચાલતો હોય અને અચાનક તમે દેવાદાર બની જાવ તો શું હાલત થાય? વેપારી કરોડોનું તમારૂં પેમેન્ટ ના કરે અને તમારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય તો શું કરશો? મોટા ભાગના લોકો આપઘાત કરવાનું પગલું ભરે.. ત્યારે રાજકોટથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે.. દેવામાં ડૂબેલા પરિવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો... એક કે બે વ્યક્તિઓએ નહીં પરંતુ 8થી 9 સભ્યોએ... સામૂહિક આપઘાતથી રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે..


આપઘાત પાછળ આ કારણ હોઈ શકે છે જવાબદાર

આ અંગે મળતી માહિતી અનુસાર આ સોની પરિવાર સોનાના દાગીના બનાવાનું કામ કરે છે.. મુંબઈના વેપારીઓએ તેમને ઓર્ડર આપ્યો, ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી પણ આપ્યા પરંતુ અનેક મહિનાઓ વીતિ ગયા છતાંય વેપારીઓને ત્યાંથી અંદાજીત પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ના આવ્યું.. ઉપરાંત લોન પણ લીધી હતી જેને કારણે બેંકવાળા પણ આ પરિવારને હેરાન કરતા હતા..  જેને કારણે પરિવારે જીવવા કરતા આપઘાત કરવાનું પસંદ કર્યું... 



કોણે કોણે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ?

જે લોકોએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો તે સભ્યોના નામ - લલિત આડેસરા (ઉંમર 72), મીનાબેન આડેસરા (ઉંમર - 64) , ચેતનભાઈ આડેસરા (ઉંમર 45), દિવ્યાબેન આડેસરા  (ઉંમર 43), જય આડેસરા  (ઉંમર 21), વિશાલ લલિતભાઈ આડેસરા  (ઉંમર 43), સંગીતા આડેસરા (ઉંમર 41) તેમજ 15 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દીધા છે અને તેમની સારવાર ચાલી રહી છે.. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.