રાજકોટમાં સોની પરિવારે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ, દેવામાં ડૂબી જવાથી 8 સભ્યોએ લીધો જીવન ટૂંકાવવાનો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2024-09-21 17:10:54

આપઘાત કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે.. અનેક કિસ્સાઓમાં આખો પરિવાર આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે.. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં પરિવારના 8થી 9 જેટલા સભ્યોએ ઝેરી દવા પી જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો છે. મળતી માહિતી અનુસાર શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.. 


8 વ્યક્તિઓએ સામુહિક રીતે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ

વેપાર સારો ચાલતો હોય અને અચાનક તમે દેવાદાર બની જાવ તો શું હાલત થાય? વેપારી કરોડોનું તમારૂં પેમેન્ટ ના કરે અને તમારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય તો શું કરશો? મોટા ભાગના લોકો આપઘાત કરવાનું પગલું ભરે.. ત્યારે રાજકોટથી હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે.. દેવામાં ડૂબેલા પરિવારે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો... એક કે બે વ્યક્તિઓએ નહીં પરંતુ 8થી 9 સભ્યોએ... સામૂહિક આપઘાતથી રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે..


આપઘાત પાછળ આ કારણ હોઈ શકે છે જવાબદાર

આ અંગે મળતી માહિતી અનુસાર આ સોની પરિવાર સોનાના દાગીના બનાવાનું કામ કરે છે.. મુંબઈના વેપારીઓએ તેમને ઓર્ડર આપ્યો, ઓર્ડર પ્રમાણે દાગીના બનાવી પણ આપ્યા પરંતુ અનેક મહિનાઓ વીતિ ગયા છતાંય વેપારીઓને ત્યાંથી અંદાજીત પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ના આવ્યું.. ઉપરાંત લોન પણ લીધી હતી જેને કારણે બેંકવાળા પણ આ પરિવારને હેરાન કરતા હતા..  જેને કારણે પરિવારે જીવવા કરતા આપઘાત કરવાનું પસંદ કર્યું... 



કોણે કોણે કર્યો આપઘાત કરવાનો પ્રયાસ?

જે લોકોએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો તે સભ્યોના નામ - લલિત આડેસરા (ઉંમર 72), મીનાબેન આડેસરા (ઉંમર - 64) , ચેતનભાઈ આડેસરા (ઉંમર 45), દિવ્યાબેન આડેસરા  (ઉંમર 43), જય આડેસરા  (ઉંમર 21), વિશાલ લલિતભાઈ આડેસરા  (ઉંમર 43), સંગીતા આડેસરા (ઉંમર 41) તેમજ 15 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દીધા છે અને તેમની સારવાર ચાલી રહી છે.. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .