સોનિયા ગાંધી બની શકે છે રાજ્યસભા સાંસદ, કોંગ્રેસના આ નેતાઓનું નામ પણ ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-02-13 17:31:14

કોંગ્રેસના અગ્રણી નેતાઓએ લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણી અને રાજ્યસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારોના નામ પર સોમવારે ચર્ચા કરી હતી. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને ખજાનચી અજય માકનનું નામ સૌથી ટોચ પર છે. પાર્ટી સુત્રોનું કહેવું છે કે રાજસ્થાન કે હિમાચલ પ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટીએ બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્ય સભાની એક-એક સીટ મળશે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.


સોનિયા ગાંધી પહેલી વખતે જશે રાજ્યસભામાં

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે છે તો તેમના સંસદીય કાર્યકાળમાં પહેલી વખત હશે કે તે ઉપલા ગૃહ (રાજ્ય સભા)માં જશે. સોનિયા ગાંધી વર્ષ 1999થી લોકસભાના સાંસદ રહ્યા છે. કોંગ્રેસે 15 રાજ્યોની 56 સીટ માટે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. નામાંકન પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે, અને 27 ફેબ્રુઆરીએ પરિણાણ જાહેર થશે. 


આ નેતાઓને પણ મળશે તક

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીના ખજાનચી અજય માકનને રાજ્યસભામાં જવાની તક મળી શકે છે. અજય માકનની સાથે રાજ્યસભાના સભ્ય નાસિર હુસૈનને પણ ફરીથી ઉમેદવાર બનાવી શકાય છે. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.