Sonia Gandhiએ રાજ્યસભા માટે ભર્યું ઉમેદવારી ફોર્મ, Congressએ રાજ્યસભા માટે બીજા ઉમેદવારોના નામ કર્યા ડિકરેલ...


  • Published By :
  • Published Date : 2024-02-14 12:49:32

રાજ્યસભા માટે કોંગ્રેસે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી રાજ્યસભા માટે આજે નામાંકન કરી રહ્યા છે. સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુરથી ઉમેદવારી ભરવાના છે. નામાંકન માટે સોનિયા ગાંધી સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે.  સોનિયા ગાંધી સહિત ચાર બીજા ઉમેદવારોના નામની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશશી અભિષેક મનુ સંઘી તેમજ મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હંડોરના નામની જાહેરાત કરવામાં આવી છે.   


આ નામનોની કરાઈ જાહેરાત!

રાજ્યસભા ચૂંટણી માટે એક તરફ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનવા માટે સોનિયા ગાંધીએ ઉમેદવારોના ફોર્મ ભર્યું છે. જયપુરથી સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકન ફોર્મ ભર્યું છે. બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદસિંહને પણ પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. બિહારથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીના નામની જાહેરાત કરવામાં આવી છે. તો મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હોંડારવોના નામની જાહેરાત કરવામાં આવી છે.       



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.