Sonia Gandhiએ રાજ્યસભા માટે ભર્યું ઉમેદવારી ફોર્મ, Congressએ રાજ્યસભા માટે બીજા ઉમેદવારોના નામ કર્યા ડિકરેલ...


  • Published By :
  • Published Date : 2024-02-14 12:49:32

રાજ્યસભા માટે કોંગ્રેસે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી રાજ્યસભા માટે આજે નામાંકન કરી રહ્યા છે. સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુરથી ઉમેદવારી ભરવાના છે. નામાંકન માટે સોનિયા ગાંધી સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે.  સોનિયા ગાંધી સહિત ચાર બીજા ઉમેદવારોના નામની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશશી અભિષેક મનુ સંઘી તેમજ મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હંડોરના નામની જાહેરાત કરવામાં આવી છે.   


આ નામનોની કરાઈ જાહેરાત!

રાજ્યસભા ચૂંટણી માટે એક તરફ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનવા માટે સોનિયા ગાંધીએ ઉમેદવારોના ફોર્મ ભર્યું છે. જયપુરથી સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકન ફોર્મ ભર્યું છે. બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદસિંહને પણ પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. બિહારથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીના નામની જાહેરાત કરવામાં આવી છે. તો મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હોંડારવોના નામની જાહેરાત કરવામાં આવી છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.