Sonia Gandhiએ રાજ્યસભા માટે ભર્યું ઉમેદવારી ફોર્મ, Congressએ રાજ્યસભા માટે બીજા ઉમેદવારોના નામ કર્યા ડિકરેલ...


  • Published By :
  • Published Date : 2024-02-14 12:49:32

રાજ્યસભા માટે કોંગ્રેસે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી રાજ્યસભા માટે આજે નામાંકન કરી રહ્યા છે. સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુરથી ઉમેદવારી ભરવાના છે. નામાંકન માટે સોનિયા ગાંધી સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે.  સોનિયા ગાંધી સહિત ચાર બીજા ઉમેદવારોના નામની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશશી અભિષેક મનુ સંઘી તેમજ મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હંડોરના નામની જાહેરાત કરવામાં આવી છે.   


આ નામનોની કરાઈ જાહેરાત!

રાજ્યસભા ચૂંટણી માટે એક તરફ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનવા માટે સોનિયા ગાંધીએ ઉમેદવારોના ફોર્મ ભર્યું છે. જયપુરથી સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકન ફોર્મ ભર્યું છે. બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદસિંહને પણ પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. બિહારથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીના નામની જાહેરાત કરવામાં આવી છે. તો મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હોંડારવોના નામની જાહેરાત કરવામાં આવી છે.       



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.