Sonia Gandhiએ રાજ્યસભા માટે ભર્યું ઉમેદવારી ફોર્મ, Congressએ રાજ્યસભા માટે બીજા ઉમેદવારોના નામ કર્યા ડિકરેલ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-14 12:49:32

રાજ્યસભા માટે કોંગ્રેસે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી રાજ્યસભા માટે આજે નામાંકન કરી રહ્યા છે. સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુરથી ઉમેદવારી ભરવાના છે. નામાંકન માટે સોનિયા ગાંધી સાથે મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે.  સોનિયા ગાંધી સહિત ચાર બીજા ઉમેદવારોના નામની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશશી અભિષેક મનુ સંઘી તેમજ મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હંડોરના નામની જાહેરાત કરવામાં આવી છે.   


આ નામનોની કરાઈ જાહેરાત!

રાજ્યસભા ચૂંટણી માટે એક તરફ ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનવા માટે સોનિયા ગાંધીએ ઉમેદવારોના ફોર્મ ભર્યું છે. જયપુરથી સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ તરીકે નામાંકન ફોર્મ ભર્યું છે. બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદસિંહને પણ પાર્ટીએ મોટી જવાબદારી આપી છે. બિહારથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીના નામની જાહેરાત કરવામાં આવી છે. તો મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હોંડારવોના નામની જાહેરાત કરવામાં આવી છે.       



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો