રાજસ્થાનમાં ધારાસભ્યોના રાજીનામાંથી સોનિયા ગાંધીની વધી ચિંતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 11:45:48

રાજસ્થાનની રાજનીતિમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેંસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા ઉતાવળા થઈ રહ્યા છે. પરંતુ એક પદ એક વ્યક્તિના નિયમને કારણે અશોક ગેહલોતે પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે. ત્યારે અશોક ગેહલોત બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી તેને લઈ અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ વચ્ચે જંગ જામી છે. કોંગ્રેસની હાઈ કમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવા વિચારણા કરી રહી છે ત્યારે અશોક ગેહલોતના સમર્થકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનની સરકાર કોને સોંપવી તે અંગે વિચારણા કરવા અશોક ગેહલોતના નિવાસ સ્થાને બેઠક મળી હતી. પરંતુ તે પહેલા જ અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. 

Rajasthan Chief Minister Ashok Gehlot to run for Congress President:  Sources -


પાયલોટના મુખ્યમંત્રી બનાવવાની વિચારણાથી ધારાસભ્યો નારાજ  

આ બેઠકમાં મલિક્કાર્જુન ખડગે તેમજ અજય મકાન પણ ઉપસ્થિત હતા. પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા જ ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસનું હાઈ કમાન્ડ સક્રિય થયું છે. રાજીનામાને કારણે સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં પરિસ્થિતિને શાંત કરવા કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને અને અજય માકનને નિર્દેશ આપ્યો છે. ધારાસભ્યો સાથે વાત કરી આ મામલાનો ઉકલો લાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેઓ વાત માનવા તૈયાર નથી. ધારાસભ્યોનું કહેવું છે કે  જેમણે ભાજપ સાથે મળીને રાજસ્થાનમાં સત્તા ગબડાવવાનું ષડયંત્ર કર્યું હતું, ત્યારે હવે હાઈકમાન્ડ તેમને સત્તા સોંપવા માંગે છે. અમારી પાસેથી કોઈ સલાહ, માર્ગદર્શન લેવામાં નથી આવ્યું. 


With Gehlot in Congress chief post race, Rajasthan minister says Sachin  Pilot will be next CM - India News


હાઈકમાન્ડ સાથે વાતચીત થયા બાદ લેવાશે નિર્ણય 

મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન રાજસ્થાનની પરિસ્થિતિનું નિરિક્ષણ કરી દિલ્હી જઈ હાઈ કમાન્ડને રજૂઆત કરશે. હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બંને ચાલતા વિવાદને શાંત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. નારાજ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દે સર્વસંમતિ નહીં બને ત્યાં સુધી કોઈ ધારાસભ્ય બેઠકમાં ભાગ લેશે નહી. ત્યારે આ વિવાદનો ઉકેલ કોંગ્રેસ હાઈકમાન્ડ શું લાવે છે તે આવનારા સમયમાં ખબર પડી જશે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.