રાજસ્થાનમાં ધારાસભ્યોના રાજીનામાંથી સોનિયા ગાંધીની વધી ચિંતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 11:45:48

રાજસ્થાનની રાજનીતિમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેંસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા ઉતાવળા થઈ રહ્યા છે. પરંતુ એક પદ એક વ્યક્તિના નિયમને કારણે અશોક ગેહલોતે પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડશે. ત્યારે અશોક ગેહલોત બાદ રાજસ્થાનની કમાન કોને સોંપવી તેને લઈ અશોક ગેહલોત અને સચિન પાયલટ જૂથ વચ્ચે જંગ જામી છે. કોંગ્રેસની હાઈ કમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવા વિચારણા કરી રહી છે ત્યારે અશોક ગેહલોતના સમર્થકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનની સરકાર કોને સોંપવી તે અંગે વિચારણા કરવા અશોક ગેહલોતના નિવાસ સ્થાને બેઠક મળી હતી. પરંતુ તે પહેલા જ અશોક ગેહલોત જૂથના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. 

Rajasthan Chief Minister Ashok Gehlot to run for Congress President:  Sources -


પાયલોટના મુખ્યમંત્રી બનાવવાની વિચારણાથી ધારાસભ્યો નારાજ  

આ બેઠકમાં મલિક્કાર્જુન ખડગે તેમજ અજય મકાન પણ ઉપસ્થિત હતા. પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા જ ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસનું હાઈ કમાન્ડ સક્રિય થયું છે. રાજીનામાને કારણે સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં પરિસ્થિતિને શાંત કરવા કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને અને અજય માકનને નિર્દેશ આપ્યો છે. ધારાસભ્યો સાથે વાત કરી આ મામલાનો ઉકલો લાવવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેઓ વાત માનવા તૈયાર નથી. ધારાસભ્યોનું કહેવું છે કે  જેમણે ભાજપ સાથે મળીને રાજસ્થાનમાં સત્તા ગબડાવવાનું ષડયંત્ર કર્યું હતું, ત્યારે હવે હાઈકમાન્ડ તેમને સત્તા સોંપવા માંગે છે. અમારી પાસેથી કોઈ સલાહ, માર્ગદર્શન લેવામાં નથી આવ્યું. 


With Gehlot in Congress chief post race, Rajasthan minister says Sachin  Pilot will be next CM - India News


હાઈકમાન્ડ સાથે વાતચીત થયા બાદ લેવાશે નિર્ણય 

મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન રાજસ્થાનની પરિસ્થિતિનું નિરિક્ષણ કરી દિલ્હી જઈ હાઈ કમાન્ડને રજૂઆત કરશે. હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બંને ચાલતા વિવાદને શાંત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. નારાજ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દે સર્વસંમતિ નહીં બને ત્યાં સુધી કોઈ ધારાસભ્ય બેઠકમાં ભાગ લેશે નહી. ત્યારે આ વિવાદનો ઉકેલ કોંગ્રેસ હાઈકમાન્ડ શું લાવે છે તે આવનારા સમયમાં ખબર પડી જશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.