Sonia Gandhiએ રાયબરેલીની જનતા માટે લખ્યો ઈમોશનલ પત્ર, પત્રમાં શા માટે તે લોકસભા ચૂંટણી નથી લડવાના તેનું કારણ બતાવ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-15 15:30:49

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભાથી ચૂંટણી લડવાના છે. ગઈકાલે તેમણે રાજ્ય સભાના ઉમેદવાર માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સોનિયા ગાંધી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમની સાથે રાહુલ ગાંધી, અશોક ગેહલોત સહિતના નેતાઓ હાજર હતા. આ પહેલી વાર બનશે જ્યારે લોકસભા ચૂંટણીની બદલીમાં સોનિયા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે. સોનિયા ગાંધી રાયબરેલી સીટ પરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાજ્યસભાના ઉમેદવાર બન્યા બાદ સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતા માટે એક ભાવુક પત્ર લખ્યો છે. 

Sonia files nomination for Rajya Sabha polls from Rajasthan - The Hindu

રાજ્યસભાના ઉમેદવાર તરીકે સોનિયા ગાંધીએ ભર્યું ફોર્મ 

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે.ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી યોજાય તેની પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાનથી રાજ્યસભા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે. આગામી લોકસભા સોનિયા ગાંધી નહીં લડે. 


રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ લખી ભાવુક પોસ્ટ 

રાયબરેલીથી સોનિયા ગાંધી લોકસભા ગયા હતા ત્યારે આ વખતે તેઓ રાજ્યસભા માટે ચૂંટણી લડવાના છે. રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાનો આભાર માન્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે હવે તબિયત અને વધતી ઉંમરને કારણે લોકસભા નહીં લડૂ. આ નિર્ણય પછી મને સીધી રીતે તમારી સેવા કરવાનો મોકો નહીં મળે, પણ તે વસ્તુ નક્કી છે કે મારૂં મન-પ્રાણ હંમેશા તમારી સાથે રહેશે..

પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું કે... 

પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે "દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે. તે રાયબરેલીમાં આવીને તમને મળીને પૂર્ણ થાય છે. આ બંધન ખૂબ જૂનું છે અને મને મારા સાસરિયાઓ તરફથી સારા નસીબ તરીકે મળ્યું છે. અમારા પરિવારના સંબંધોના મૂળ રાયબરેલી સાથે છે. આઝાદી પછીની પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીને અહીંથી જીતાડીને દિલ્હી મોકલ્યા હતા.તેમના પછી તમે મારા સાસુ ઈન્દિરા ગાંધીને તમારા પોતાના બનાવ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી, આ શ્રેણી જીવનના ઉતાર-ચઢાવ અને મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈને પ્રેમ અને ઉત્સાહ સાથે ચાલુ રહી છે અને તેમાં આપણો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે."



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.