Sonia Gandhiએ રાયબરેલીની જનતા માટે લખ્યો ઈમોશનલ પત્ર, પત્રમાં શા માટે તે લોકસભા ચૂંટણી નથી લડવાના તેનું કારણ બતાવ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-15 15:30:49

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભાથી ચૂંટણી લડવાના છે. ગઈકાલે તેમણે રાજ્ય સભાના ઉમેદવાર માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સોનિયા ગાંધી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમની સાથે રાહુલ ગાંધી, અશોક ગેહલોત સહિતના નેતાઓ હાજર હતા. આ પહેલી વાર બનશે જ્યારે લોકસભા ચૂંટણીની બદલીમાં સોનિયા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે. સોનિયા ગાંધી રાયબરેલી સીટ પરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાજ્યસભાના ઉમેદવાર બન્યા બાદ સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતા માટે એક ભાવુક પત્ર લખ્યો છે. 

Sonia files nomination for Rajya Sabha polls from Rajasthan - The Hindu

રાજ્યસભાના ઉમેદવાર તરીકે સોનિયા ગાંધીએ ભર્યું ફોર્મ 

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે.ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી યોજાય તેની પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાનથી રાજ્યસભા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે. આગામી લોકસભા સોનિયા ગાંધી નહીં લડે. 


રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ લખી ભાવુક પોસ્ટ 

રાયબરેલીથી સોનિયા ગાંધી લોકસભા ગયા હતા ત્યારે આ વખતે તેઓ રાજ્યસભા માટે ચૂંટણી લડવાના છે. રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાનો આભાર માન્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે હવે તબિયત અને વધતી ઉંમરને કારણે લોકસભા નહીં લડૂ. આ નિર્ણય પછી મને સીધી રીતે તમારી સેવા કરવાનો મોકો નહીં મળે, પણ તે વસ્તુ નક્કી છે કે મારૂં મન-પ્રાણ હંમેશા તમારી સાથે રહેશે..

પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું કે... 

પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે "દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે. તે રાયબરેલીમાં આવીને તમને મળીને પૂર્ણ થાય છે. આ બંધન ખૂબ જૂનું છે અને મને મારા સાસરિયાઓ તરફથી સારા નસીબ તરીકે મળ્યું છે. અમારા પરિવારના સંબંધોના મૂળ રાયબરેલી સાથે છે. આઝાદી પછીની પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીને અહીંથી જીતાડીને દિલ્હી મોકલ્યા હતા.તેમના પછી તમે મારા સાસુ ઈન્દિરા ગાંધીને તમારા પોતાના બનાવ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી, આ શ્રેણી જીવનના ઉતાર-ચઢાવ અને મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈને પ્રેમ અને ઉત્સાહ સાથે ચાલુ રહી છે અને તેમાં આપણો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે."



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.