Sonia Gandhiએ રાયબરેલીની જનતા માટે લખ્યો ઈમોશનલ પત્ર, પત્રમાં શા માટે તે લોકસભા ચૂંટણી નથી લડવાના તેનું કારણ બતાવ્યું!


  • Published By :
  • Published Date : 2024-02-15 15:30:49

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભાથી ચૂંટણી લડવાના છે. ગઈકાલે તેમણે રાજ્ય સભાના ઉમેદવાર માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સોનિયા ગાંધી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે મોટી સંખ્યામાં તેમની સાથે રાહુલ ગાંધી, અશોક ગેહલોત સહિતના નેતાઓ હાજર હતા. આ પહેલી વાર બનશે જ્યારે લોકસભા ચૂંટણીની બદલીમાં સોનિયા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે. સોનિયા ગાંધી રાયબરેલી સીટ પરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. રાજ્યસભાના ઉમેદવાર બન્યા બાદ સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતા માટે એક ભાવુક પત્ર લખ્યો છે. 

Sonia files nomination for Rajya Sabha polls from Rajasthan - The Hindu

રાજ્યસભાના ઉમેદવાર તરીકે સોનિયા ગાંધીએ ભર્યું ફોર્મ 

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે.ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી યોજાય તેની પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટી દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજસ્થાનથી રાજ્યસભા માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે. આગામી લોકસભા સોનિયા ગાંધી નહીં લડે. 


રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ લખી ભાવુક પોસ્ટ 

રાયબરેલીથી સોનિયા ગાંધી લોકસભા ગયા હતા ત્યારે આ વખતે તેઓ રાજ્યસભા માટે ચૂંટણી લડવાના છે. રાયબરેલીની જનતા માટે સોનિયા ગાંધીએ એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાનો આભાર માન્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે હવે તબિયત અને વધતી ઉંમરને કારણે લોકસભા નહીં લડૂ. આ નિર્ણય પછી મને સીધી રીતે તમારી સેવા કરવાનો મોકો નહીં મળે, પણ તે વસ્તુ નક્કી છે કે મારૂં મન-પ્રાણ હંમેશા તમારી સાથે રહેશે..

પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું કે... 

પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે "દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે. તે રાયબરેલીમાં આવીને તમને મળીને પૂર્ણ થાય છે. આ બંધન ખૂબ જૂનું છે અને મને મારા સાસરિયાઓ તરફથી સારા નસીબ તરીકે મળ્યું છે. અમારા પરિવારના સંબંધોના મૂળ રાયબરેલી સાથે છે. આઝાદી પછીની પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીને અહીંથી જીતાડીને દિલ્હી મોકલ્યા હતા.તેમના પછી તમે મારા સાસુ ઈન્દિરા ગાંધીને તમારા પોતાના બનાવ્યા. ત્યારથી લઈને અત્યાર સુધી, આ શ્રેણી જીવનના ઉતાર-ચઢાવ અને મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈને પ્રેમ અને ઉત્સાહ સાથે ચાલુ રહી છે અને તેમાં આપણો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે."



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.