BCCIમાં સૌરવ ગાંગુલી અને જય શાહ પદ રહેશે યથાવત, બંધારણ સુધારાને સુપ્રીમની મંજૂરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 19:17:28

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે.  બુધવારે સુપ્રીમ કોર્ટે BCCIના સંવિધાનમાં સંશોધન સાથે સંકળાયેલી અરજી પર મોટો નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ વધુ 3 વર્ષ સુધી યથાવત રાખવાનો ચુકાદો સંભળાવ્યો છે.એટલે કે હવે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ  તેમના હોદ્દા પર રહી શકશે.


ગાંગુલી અને જય શાહના કાર્યકાળ અંગે  BCCIએ અરજી કરી હતી


કાર્યકાળ અંગે BCCIએ કોર્ટમાં અરજી કરી હતી કે તેમના અધિકારીઓએ સતત 2 કાર્યકાળ સુધી કાર્યરત રહેવું હોય તો એની અનુમતિ આપી દેવી જોઈએ. આ કાર્યકાળ સ્ટેટ એસોસિએશન સાથે સંકળાયેલો પણ હોઈ શકે છે. તેવામાં હવે આ અપિલને સુપ્રિમ કોર્ટે સ્વીકારી લીધી છે. હવે જો કોઈ અધિકારી BCCIમાં એક પદ પર સતત 2 કાર્યકાળ પૂરા કરે છે, ત્યારે એને 3 વર્ષનો કૂલિંગ પીરિયડ રાખવાનો હોય છે. જ્યારે સ્ટેટ એસોસિએશનમાં આ કૂલિંગ પીરિયડ 2 વર્ષનો હોય છે.



કૂલિંગ ઓફ પીરિયડની જરૂર નથી-સુપ્રીમ કોર્ટ


સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે BCCIના એક કાર્યકાળ પછી કૂલિંગ ઓફ પીરિયડની જરૂર નથી. પરંતુ બે કાર્યકાળ પછી આવું કરવું પડશે. સુપ્રિમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટપણે સામે આવ્યું છે કે સૌરવ ગાંગુલી અને જય શાહ આગામી ત્રણ વર્ષ સુધી પોતાના પદ પર કાયમ રહેશે.


ગાંગુલી અને જય શાહ 2025 સુધી પોતાના પદ પર રહેશે


સૌરવ ગાંગુલીએ 23 ઓક્ટોબર 2019ના દિવસે BCCI અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. જ્યારે જય શાહ 24 ઓક્ટોબર 2019ના દિવસે BCCIના સેક્રેટરી બન્યા હતા. તેવામાં બંનેનો કાર્યકાળ આગામી મહિના એટલે કે ઓક્ટોબર 2022માં પૂરો થવા જઈ રહ્યો હતો. આ કારણ હતું કે BCCI દ્વારા સુપ્રિમ કોર્ટમાં આ કેસમાં દાખલ અરજી પર સુનાવણી કરવા અપિલ કરવામાં આવી હતી. સુપ્રીમના ચૂકાદા બાદ ગાંગુલી અને જય શાહ હવે 2025 સુધી પોતાના પદ પર કાર્યરત રહી શકશે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો માત્ર બોર્ડ અધ્યક્ષ અને બોર્ડ સચિવ માટે જ નથી પરંતુ BCCI અને સ્ટેટ એસોસિએશનના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને લાગુ પડશે.



કૂલિંગ પીરિયડ શું છે?


BCCIના બંધારણમાં 2018માં લાગૂ કરાયેલા નિયમ પ્રમાણે અધિકારીઓને 3 વર્ષનો કૂલિંગ પીરિયડ ફરજિયાત પાળવો પડે છે. BCCIની અરજી પ્રમાણે હવે આ સમયગાળો 2 ટર્મ સુધીનો કરાયો છે. એટલે કે 6 વર્ષ સુધી કાર્ય કર્યા પછી કોઈ પણ અધિકારી આપમેળે ચૂંટણી રેસમાંથી બહાર થઈ જાય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.