Breaking: UPમાં સપા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઈનલ, આજે સાંજે સીટોની વહેંચણીની થશે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-02-21 14:47:12

ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનને લઈને મોટા સમાચાર આવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. બંને પાર્ટીઓ આજે સાંજ સુધીમાં સીટ શેયરિંગની જાહેરાત કરી શકે છે. આ બાબતને અખિલેશ યાદવે પણ કંમ્ફર્મ કરી છે, તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ વચ્ચે કોઈ વિવાદ નથી. ટૂંક સમયમાં જ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. અંત ભલા તો સબ ભલા. તેમણે વધુમાં કહ્યું  કે સમાજવાદી પાર્ટીના પ્રયાસ રહેશે કે લોકોને સાથે જોડવામાં આવે. સમય આવતા તેમને જવાબદારી સોંપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં સીટોની વહેંચણી અંગેની જાહેરાત થઈ શકે છે.   


સપાએ કરી છે 17 લોકસભા સીટોની ઓફર 


રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે સમાજવાદી પાર્ટી કોંગ્રેસને માત્ર 17 લોકસભા સીટોની ઓફર કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં 20 સીટો પર ઉમેદવારો ઉતારવા માંગે છે. હાલમાં કોંગ્રેસ પાસે યુપીમાં રાયબરેલીની એકમાત્ર લોકસભા બેઠક છે.


કોંગ્રેસે સપા માંગી આ 20 સીટ 


કોંગ્રેસ દ્વારા UPની 20 લોકસભા સીટોની યાદી સપાને આપવામાં આવી હતી. સપાએ અમેઠી, રાયબરેલી, વારાણસી, અમરોહા, બાગપત, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, હાથરસ, ઝાંસી, બારાબંકી, કાનપુર, સીતાપુર, કૈસરગંજ અને મહારાજગંજ સીટો ઓફર કરી હતી. પરંતુ, પશ્ચિમ યુપીની 3 બેઠકો પર પેચ ફસાયા છે. આ અંગે બંને પક્ષો વચ્ચે મતભેદ ચાલુ રહ્યો હતો.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.