મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી લથડી, મેદાંતાના ICU વોર્ડમાં દાખલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:21:07

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના 82 વર્ષીય નેતા મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી એકવાર લથડી છે. મુલાયમ સિંહ યાદવને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને ડોક્ટરો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે. 


અખિલેશ યાદવ  દિલ્હી જવા રવાના


મુલાયમ સિંહના પુત્ર અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પિતાની નદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ તાત્કાલિક લખનઉથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મુલાયમ સિંહ યાદવ અવારનાવર સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓનો સામનો કરતા રહે છે. આ પહેલા પણ મુલાયમ સિંહ યાદવને પેશાબની નશમાં સંક્રમણ બાદ લખનઉ સ્થિત મેદાંતા હોસ્પિયલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઘણા દિવસો સુધી તેમની સારવાર ચાલી હતી.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.