લો બોલો કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! અતીકની કબર પર નેતાએ રાખ્યો રાષ્ટ્રધ્વજ અને ભારત રત્નની કરી માગ કરતો વીડિયો થયો વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-20 17:24:24

થોડા સમય પહેલા અતીક અહેમદની હત્યા કરી દેવામાં આવી હતી. માફિયાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને પ્રયાગરાજના કાઉન્સિલર ઉમેદવાર રજ્જૂ ભૈયા ઉર્ફે રાજકુમારે અતીક અહેમદને ભારત રત્ન આપવામાં આવે તેવી માગ કરી છે. તે સિવાય વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાજકુમાર અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર વીડિયો વાયરલ થયા બાદ રાજકુમારની અટકાયત કરી લેવામાં આવી હતી.અને મળતી માહિતી અનુસાર પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

          

અતીકની કબર પર નેતાએ તિરંગો ચઢાવ્યો!

કડક પોલીસ સુરક્ષા વચ્ચે ઉત્તરપ્રદેશના માફિયા ગણતા અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી. અતીકની હત્યા થઈ તેના થોડા દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અતીકની હત્યા બાદ તેની લાશને કબરમાં દફનાવવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેતા અતીક અહેમદને ભારત રત્ન આપવો જોઈએ તેવી રજૂઆત કરી રહ્યા છે. તે ઉપરાંત અતીકની કબર પર નેતાએ તિરંગો પણ રાખ્યો હતો.    

     

અતીક અહેમદ માટે ભારત રત્નની કરી માગ!

અતીક અહેમદની હત્યા થઈ તે બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે અતીક અહેમદનું યોગી સરકારે મર્ડર કર્યું છે. અતીક અહેમદ સાંસદ હતા. તેમને રાજકીય સન્માન સાથે દફનાવવા જોઈએ. જે બાદ તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કબરની સામે ઉભા છે અને અતીકને ભારત રત્નની માગ કરી છે. જેમાંથી એક પર તિરંગો બીછાવીને અતીક અહેમદના નારા પણ લગાવ્યા હતા. જે નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોંગ્રેસ પાર્ટીના જૂના નેતા હતા.  


વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ થઈ કાર્યવાહી!

પ્રયાગરાજની શહેર કોંગ્રેસ કમિટીએ પોતાના લેટર હેડ પર કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસે વોર્ડ નંબર 43થી કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર સિંહ રજ્જુને કાઢી મૂક્યા છે. આ અંગેની માહિતી આપતા શહેર કોંગ્રસ કમિટીના અધ્યક્ષ પ્રદિપ મિશ્રાએ જણાવ્યું કે માફિયા અતીક અહેમદને લઈને આપવામાં આવેલા નિવદેનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કરવા બદલ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.    



ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.