લો બોલો કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! અતીકની કબર પર નેતાએ રાખ્યો રાષ્ટ્રધ્વજ અને ભારત રત્નની કરી માગ કરતો વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-20 17:24:24

થોડા સમય પહેલા અતીક અહેમદની હત્યા કરી દેવામાં આવી હતી. માફિયાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને પ્રયાગરાજના કાઉન્સિલર ઉમેદવાર રજ્જૂ ભૈયા ઉર્ફે રાજકુમારે અતીક અહેમદને ભારત રત્ન આપવામાં આવે તેવી માગ કરી છે. તે સિવાય વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાજકુમાર અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર વીડિયો વાયરલ થયા બાદ રાજકુમારની અટકાયત કરી લેવામાં આવી હતી.અને મળતી માહિતી અનુસાર પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

          

અતીકની કબર પર નેતાએ તિરંગો ચઢાવ્યો!

કડક પોલીસ સુરક્ષા વચ્ચે ઉત્તરપ્રદેશના માફિયા ગણતા અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી. અતીકની હત્યા થઈ તેના થોડા દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અતીકની હત્યા બાદ તેની લાશને કબરમાં દફનાવવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેતા અતીક અહેમદને ભારત રત્ન આપવો જોઈએ તેવી રજૂઆત કરી રહ્યા છે. તે ઉપરાંત અતીકની કબર પર નેતાએ તિરંગો પણ રાખ્યો હતો.    

     

અતીક અહેમદ માટે ભારત રત્નની કરી માગ!

અતીક અહેમદની હત્યા થઈ તે બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે અતીક અહેમદનું યોગી સરકારે મર્ડર કર્યું છે. અતીક અહેમદ સાંસદ હતા. તેમને રાજકીય સન્માન સાથે દફનાવવા જોઈએ. જે બાદ તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કબરની સામે ઉભા છે અને અતીકને ભારત રત્નની માગ કરી છે. જેમાંથી એક પર તિરંગો બીછાવીને અતીક અહેમદના નારા પણ લગાવ્યા હતા. જે નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોંગ્રેસ પાર્ટીના જૂના નેતા હતા.  


વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ થઈ કાર્યવાહી!

પ્રયાગરાજની શહેર કોંગ્રેસ કમિટીએ પોતાના લેટર હેડ પર કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસે વોર્ડ નંબર 43થી કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર સિંહ રજ્જુને કાઢી મૂક્યા છે. આ અંગેની માહિતી આપતા શહેર કોંગ્રસ કમિટીના અધ્યક્ષ પ્રદિપ મિશ્રાએ જણાવ્યું કે માફિયા અતીક અહેમદને લઈને આપવામાં આવેલા નિવદેનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કરવા બદલ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.