લો બોલો કોંગ્રેસના નેતા ભૂલ્યા ભાન! અતીકની કબર પર નેતાએ રાખ્યો રાષ્ટ્રધ્વજ અને ભારત રત્નની કરી માગ કરતો વીડિયો થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-20 17:24:24

થોડા સમય પહેલા અતીક અહેમદની હત્યા કરી દેવામાં આવી હતી. માફિયાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને પ્રયાગરાજના કાઉન્સિલર ઉમેદવાર રજ્જૂ ભૈયા ઉર્ફે રાજકુમારે અતીક અહેમદને ભારત રત્ન આપવામાં આવે તેવી માગ કરી છે. તે સિવાય વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રાજકુમાર અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર વીડિયો વાયરલ થયા બાદ રાજકુમારની અટકાયત કરી લેવામાં આવી હતી.અને મળતી માહિતી અનુસાર પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

          

અતીકની કબર પર નેતાએ તિરંગો ચઢાવ્યો!

કડક પોલીસ સુરક્ષા વચ્ચે ઉત્તરપ્રદેશના માફિયા ગણતા અતીક અહેમદની હત્યા કરવામાં આવી હતી. અતીકની હત્યા થઈ તેના થોડા દિવસ પહેલા તેના પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અતીકની હત્યા બાદ તેની લાશને કબરમાં દફનાવવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેતા અતીક અહેમદને ભારત રત્ન આપવો જોઈએ તેવી રજૂઆત કરી રહ્યા છે. તે ઉપરાંત અતીકની કબર પર નેતાએ તિરંગો પણ રાખ્યો હતો.    

     

અતીક અહેમદ માટે ભારત રત્નની કરી માગ!

અતીક અહેમદની હત્યા થઈ તે બાદ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે અતીક અહેમદનું યોગી સરકારે મર્ડર કર્યું છે. અતીક અહેમદ સાંસદ હતા. તેમને રાજકીય સન્માન સાથે દફનાવવા જોઈએ. જે બાદ તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કબરની સામે ઉભા છે અને અતીકને ભારત રત્નની માગ કરી છે. જેમાંથી એક પર તિરંગો બીછાવીને અતીક અહેમદના નારા પણ લગાવ્યા હતા. જે નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોંગ્રેસ પાર્ટીના જૂના નેતા હતા.  


વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના નેતા વિરૂદ્ધ થઈ કાર્યવાહી!

પ્રયાગરાજની શહેર કોંગ્રેસ કમિટીએ પોતાના લેટર હેડ પર કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસે વોર્ડ નંબર 43થી કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર સિંહ રજ્જુને કાઢી મૂક્યા છે. આ અંગેની માહિતી આપતા શહેર કોંગ્રસ કમિટીના અધ્યક્ષ પ્રદિપ મિશ્રાએ જણાવ્યું કે માફિયા અતીક અહેમદને લઈને આપવામાં આવેલા નિવદેનને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કરવા બદલ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.