આજથી સંસદમાં થયો વિશેષ સત્રનો પ્રારંભ, PM Modiએ પોતાના સંબોધનમાં આ મુદ્દાઓ અંગે કરી વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 12:39:20

સંસદમાં આજથી વિશેષ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ત્યારે સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે જી-20ની વાત કરી હતી.  તે સિવાય ભારતની શક્તિ વિશે પણ તેમણે વાત કરી હતી. 

  

જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને યાદ કરી! 

જૂના સંસદમાં આજે વિશેષ સત્રનો પ્રારંભ થયો છે. આજે આ સંસદમાં સત્રમાં મળનારું અંતિમ સત્ર છે. આવતી કાલથી નવા સંસદમાં સત્ર યોજાશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને વાગોળી હતી. સંસદ ભવન અનેક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે આગળ વધવાની આ તક છે. પ્રેરણાદાયક વસ્તુઓને યાદ કરવાનો સમય છે. સંસદમાં પાડેલો પરસેવો મારા દેશનો છે. પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને અહીંથી રજા લઈ રહ્યા છીએ. 


સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક છે - પીએમ મોદી 

સંસદ ભવનને લઈ પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ. આઝાદી બાદ આ ઈમારતને સંસદ ભવન તરીકે માન્યતા મળી. વધુમાં તેમણે કહ્યું કે સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક પણ છે. જ્યારે આપણે આ ઘર છોડી રહ્યા છીએ, ત્યારે આપણું મન ઘણી બધી લાગણીઓ અને ઘણી યાદોથી ભરાઈ ગયું છે. ઘરમાં કેટલાક મીઠા અને ખાટા અનુભવો થયા. થોડી બોલાચાલી પણ થઈ હતી. આપણા બધાની યાદો સામાન્ય છે, આનો ગર્વ પણ આપણા સૌને સહિયારો છે. પોતાના સંબોધનમાં તેમણે જી-20નો પણ ઉલ્લેખ કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.