આજથી સંસદમાં થયો વિશેષ સત્રનો પ્રારંભ, PM Modiએ પોતાના સંબોધનમાં આ મુદ્દાઓ અંગે કરી વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 12:39:20

સંસદમાં આજથી વિશેષ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ત્યારે સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે જી-20ની વાત કરી હતી.  તે સિવાય ભારતની શક્તિ વિશે પણ તેમણે વાત કરી હતી. 

  

જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને યાદ કરી! 

જૂના સંસદમાં આજે વિશેષ સત્રનો પ્રારંભ થયો છે. આજે આ સંસદમાં સત્રમાં મળનારું અંતિમ સત્ર છે. આવતી કાલથી નવા સંસદમાં સત્ર યોજાશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને વાગોળી હતી. સંસદ ભવન અનેક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે આગળ વધવાની આ તક છે. પ્રેરણાદાયક વસ્તુઓને યાદ કરવાનો સમય છે. સંસદમાં પાડેલો પરસેવો મારા દેશનો છે. પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને અહીંથી રજા લઈ રહ્યા છીએ. 


સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક છે - પીએમ મોદી 

સંસદ ભવનને લઈ પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ. આઝાદી બાદ આ ઈમારતને સંસદ ભવન તરીકે માન્યતા મળી. વધુમાં તેમણે કહ્યું કે સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક પણ છે. જ્યારે આપણે આ ઘર છોડી રહ્યા છીએ, ત્યારે આપણું મન ઘણી બધી લાગણીઓ અને ઘણી યાદોથી ભરાઈ ગયું છે. ઘરમાં કેટલાક મીઠા અને ખાટા અનુભવો થયા. થોડી બોલાચાલી પણ થઈ હતી. આપણા બધાની યાદો સામાન્ય છે, આનો ગર્વ પણ આપણા સૌને સહિયારો છે. પોતાના સંબોધનમાં તેમણે જી-20નો પણ ઉલ્લેખ કર્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે