આજથી સંસદમાં થયો વિશેષ સત્રનો પ્રારંભ, PM Modiએ પોતાના સંબોધનમાં આ મુદ્દાઓ અંગે કરી વાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-18 12:39:20

સંસદમાં આજથી વિશેષ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ત્યારે સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે જી-20ની વાત કરી હતી.  તે સિવાય ભારતની શક્તિ વિશે પણ તેમણે વાત કરી હતી. 

  

જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને યાદ કરી! 

જૂના સંસદમાં આજે વિશેષ સત્રનો પ્રારંભ થયો છે. આજે આ સંસદમાં સત્રમાં મળનારું અંતિમ સત્ર છે. આવતી કાલથી નવા સંસદમાં સત્ર યોજાશે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જૂના સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને વાગોળી હતી. સંસદ ભવન અનેક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે આગળ વધવાની આ તક છે. પ્રેરણાદાયક વસ્તુઓને યાદ કરવાનો સમય છે. સંસદમાં પાડેલો પરસેવો મારા દેશનો છે. પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને અહીંથી રજા લઈ રહ્યા છીએ. 


સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક છે - પીએમ મોદી 

સંસદ ભવનને લઈ પીએમ મોદીએ કહ્યું કે આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ. આઝાદી બાદ આ ઈમારતને સંસદ ભવન તરીકે માન્યતા મળી. વધુમાં તેમણે કહ્યું કે સદનની વિદાય ખૂબ જ ભાવનાત્મક પણ છે. જ્યારે આપણે આ ઘર છોડી રહ્યા છીએ, ત્યારે આપણું મન ઘણી બધી લાગણીઓ અને ઘણી યાદોથી ભરાઈ ગયું છે. ઘરમાં કેટલાક મીઠા અને ખાટા અનુભવો થયા. થોડી બોલાચાલી પણ થઈ હતી. આપણા બધાની યાદો સામાન્ય છે, આનો ગર્વ પણ આપણા સૌને સહિયારો છે. પોતાના સંબોધનમાં તેમણે જી-20નો પણ ઉલ્લેખ કર્યો હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.