Parliamentમાં આજથી વિશેષ સત્રનો થશે પ્રારંભ, પીએમ મોદી આજે કરી શકે છે સંબોધન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-18 10:25:51

આજથી સંસદના વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. નવા સંસદ ભવન ખાતે પાંચ દિવસીય સત્રની શરૂઆત આજથી  થવાની છે. 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. અનેક વિશેષ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રની વિશેષતા એ છે કે નવા સંસદ ભવનમાં આ સત્ર મળવાનું છે. જૂના સંસદ ભવનનો આજે અંતિમ દિવસ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 11 વાગ્યે પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે.

વિશેષ સત્રને લઈ વિપક્ષે સરકારને લખી હતી ચિઠ્ઠી 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. અનેક મુદ્દાઓને લઈ આ વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે. આ વિશેષ સત્રને લઈ કેન્દ્ર સરકાર અને વિપક્ષ બંને દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિશેષ સત્ર બોલાવવા પાછળનો હેતુ શું છે તે જાણવા માટે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તે બાદ વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેની જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. ચાર વિષયો પર ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામમાં આવી હતી.


સંસદમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

સંસદમાં સત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન ખાતે તિરંગો ફરકાવ્યો હતો. આજથી આ વિશેષ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જે બિલ પર આ વિશેષ સત્ર દરમિયાન ચર્ચા કરવામાં આવશે તેની વાત કરીએ તો મુખ્ય ચૂંટણી અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023, એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023, પ્રેસ અને રજૂસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ બિલ 2023 તેમજ પોસ્ટ ઓફિસ બિલ 2023 અંગે ચર્ચા થઈ શકે છે.    


   


રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.