Parliamentમાં આજથી વિશેષ સત્રનો થશે પ્રારંભ, પીએમ મોદી આજે કરી શકે છે સંબોધન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-18 10:25:51

આજથી સંસદના વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. નવા સંસદ ભવન ખાતે પાંચ દિવસીય સત્રની શરૂઆત આજથી  થવાની છે. 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. અનેક વિશેષ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રની વિશેષતા એ છે કે નવા સંસદ ભવનમાં આ સત્ર મળવાનું છે. જૂના સંસદ ભવનનો આજે અંતિમ દિવસ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 11 વાગ્યે પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે.

વિશેષ સત્રને લઈ વિપક્ષે સરકારને લખી હતી ચિઠ્ઠી 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. અનેક મુદ્દાઓને લઈ આ વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે. આ વિશેષ સત્રને લઈ કેન્દ્ર સરકાર અને વિપક્ષ બંને દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિશેષ સત્ર બોલાવવા પાછળનો હેતુ શું છે તે જાણવા માટે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તે બાદ વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેની જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. ચાર વિષયો પર ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામમાં આવી હતી.


સંસદમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

સંસદમાં સત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન ખાતે તિરંગો ફરકાવ્યો હતો. આજથી આ વિશેષ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જે બિલ પર આ વિશેષ સત્ર દરમિયાન ચર્ચા કરવામાં આવશે તેની વાત કરીએ તો મુખ્ય ચૂંટણી અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023, એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023, પ્રેસ અને રજૂસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ બિલ 2023 તેમજ પોસ્ટ ઓફિસ બિલ 2023 અંગે ચર્ચા થઈ શકે છે.    


   


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે