Parliamentમાં આજથી વિશેષ સત્રનો થશે પ્રારંભ, પીએમ મોદી આજે કરી શકે છે સંબોધન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-18 10:25:51

આજથી સંસદના વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. નવા સંસદ ભવન ખાતે પાંચ દિવસીય સત્રની શરૂઆત આજથી  થવાની છે. 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી આ વિશેષ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. અનેક વિશેષ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રની વિશેષતા એ છે કે નવા સંસદ ભવનમાં આ સત્ર મળવાનું છે. જૂના સંસદ ભવનનો આજે અંતિમ દિવસ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 11 વાગ્યે પીએમ મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે.

વિશેષ સત્રને લઈ વિપક્ષે સરકારને લખી હતી ચિઠ્ઠી 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થવાનો છે. અનેક મુદ્દાઓને લઈ આ વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે. આ વિશેષ સત્રને લઈ કેન્દ્ર સરકાર અને વિપક્ષ બંને દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વિશેષ સત્ર બોલાવવા પાછળનો હેતુ શું છે તે જાણવા માટે સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. તે બાદ વિશેષ સત્રમાં કયા મુદ્દે ચર્ચા થશે તેની જાણકારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. ચાર વિષયો પર ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામમાં આવી હતી.


સંસદમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

સંસદમાં સત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવન ખાતે તિરંગો ફરકાવ્યો હતો. આજથી આ વિશેષ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જે બિલ પર આ વિશેષ સત્ર દરમિયાન ચર્ચા કરવામાં આવશે તેની વાત કરીએ તો મુખ્ય ચૂંટણી અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023, એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023, પ્રેસ અને રજૂસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ બિલ 2023 તેમજ પોસ્ટ ઓફિસ બિલ 2023 અંગે ચર્ચા થઈ શકે છે.    


   


રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .