Narendra Modi Stadium તેમજ હોટલ બહાર દર્શકોનો જમાવડો, ક્રિકેટરોની એક ઝલક જોવા લોકો ઉભા રહે છે કલાકો!


  • Published By :
  • Published Date : 2023-11-18 18:05:00

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ભલે કાલે યોજાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ખેલાડીઓ ક્રિકેટની તૈયારીઓ કરી રહી છે. બંને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે. મેચ શરૂ થાય તે પહેલા આજે અડાલજની વાવ ખેલાડીઓ પહોંચ્યા હતા. ક્રિકેટ ફેન્સમાં પણ મેચને લઈ અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટને જોવાનો તો ક્રેઝ દર્શકોમાં છે પરંતુ ક્રિકેટરનોને જોવાનો પણ ઉત્સાહ છે. ક્રિકેટ સ્ટેડિયમમાં તો ભીડ દેખાઈ રહી છે, પરંતુ ક્રિકેટરો જે હોટલમાં રોકાયા છે તે હોટલની બહાર પણ દર્શકોનું ટોળું તેમને જોવા માટે ઉમટ્યું છે.

મેચને પગલે હોટેલના ભાવમાં થયો વધારો

અમદાવાદના એરપોર્ટ પર ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરંપરાગત રીતે ખેલાડીઓની આગતા-સ્વાગતા કરવામાં આવી. ભારતીય ખેલાડીઓ આઈટીસી નર્મદા હોટલમાં રોકાયા છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે. ક્રિકેટ જોવાનો ક્રેઝ તો લોકોમાં હોય છે પરંતુ તેનાથી વધારે ક્રેઝ ક્રિકેટરને જોવાનો હોય છે. અમદાવાદમાં ક્રિકેટને કારણે હોટેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. હોટલના રૂમની કિંમત એકાએક વધી ગઈ. રિક્ષાના ભાડામાં પણ વધારો થયો છે. ટિકિટના ભાવની તો વાત જ ન પૂછાય. બ્લેકમાં બહુ મોંઘા ભાવે ટિકિટો વેચાઈ રહી છે તેવા સમાચાર અનેક વખત સામે આવ્યા છે. અમારી ટીમ જ્યારે સ્ટેડિયમમાં સ્ટોરી કવર કરવા ગઈ ત્યારે ત્યાં ઉભેલા લોકો ટિકિટ માટે ગમે તેટલા રુપિયા આપવા તૈયાર હતા. એક વ્યક્તિએ કીધું કે 50 હજારથી વધારે પણ ચૂકવવા તૈયાર છે. 



ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે લોકો જોવે છે કલાકો રાહ!   

ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે તેમના ફેન્સ ભલે ગમે તેટલા કલાક કેમ ન ઉભું રહેવું પડે પરંતુ તે લોકો એક ઝલક માટે તરસી રહ્યા છે. ક્રિકેટરો જ્યાં રોકાયા છે ત્યાં પણ ફેન્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. ક્રિકેટરોને જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહાર ગામથી, બીજા દેશોથી મેચને જોવા માટે લોકો આવી રહ્યા છે. ત્યારે તમે પણ કમેન્ટમાં જણાવો આ વર્લ્ડ કપ ફાઈનલની મેચ કોણ જીતશે?




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.