સરકાર સામે SPGએ ફરી માથું ઉચક્યું, પાટીદાર આંદોલનની આપી ચીમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:54:33

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ રહ્યા છે. ત્યારે વિવિધ સરકારી સંગઠનોની સાથે-સાથે જ્ઞાતી સંગઠનોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. ઘણા લાબા સમયથી સુષુપ્ત રહેલું  SPG હવે ફરી સક્રિય થયું છે. SPG સમાજના પ્રશ્નોને લઈ સંગઠનો મેદાને ઉતર્યું છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પહેલા પોતાની 2 પડતર માંગણીઓ સાથે સરકાર મોરચો માંડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. SPG એ પોતાની માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. 


SPGની માંગણી શું છે?



SPG અધ્યક્ષ લાલજી પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના વસ્ત્રાલ ખાતે SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ચૂંટણી પહેલા પોતાની 2 પડતર માંગણીઓ સાથે સરકાર મોરચો માંડવાનો નિર્ણય લેવાયો છે. પાટીદાર સમાજના પ્રશ્નો મામલે લાલજી પટેલે કહ્યું કે, અમારા બે જ મુદ્દા છે. પાટીદાર આંદોલન દરમિયાન યુવાનો પર જે કેસ થયા હતા તે પરત લેવામાં આવે. 14 યુવાનો શહિદ થાય તેમના પરિવારને સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવાની માંગ છે. 


આંદોલન જ આખરી હથિયાર


SPGની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આચારસંહિતા લાગે તે પહેલા અમારા સમાજના મુદ્દાઓ ક્લિયર કરવામાં નહીં આવે તો અમારા 52 સભ્યોની ટીમ નક્કી કરશે કે આવનારા સમયમાં અમારી શું રણનીતિ હશે. ગુજરાતમાં 7 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલી ગયા અને 2 પ્રદેશ પ્રમુખ બદલી ગયા અને બધાએ એક જ વાત કરી કે વહેલી તકે નિર્ણય આવશે. તેમણે સવાલ કર્યો કે બે મુદ્દા ક્લિયર કરવામાં 7 વર્ષ કેમ થયા. સરકાર અમને વારંવાર લોલીપોપ જ આપે છે. મોટા ગજાના લોકો સરકારને મળે ત્યારે કહે કે થોડા દિવસમાં મુદ્દાઓ પતિ જશે તો 7 વર્ષ થોડા લાગે. લાગે છે કે ગુજરાત  સરકારથી કશું થવાનું નથી. હવે વડાપ્રધાન સિવાય કોઈ વિકલ્પ નથી. અમે વડાપ્રધાનનો પણ સમય માંગ્યો છે. આવનાર સમયમાં વડાપ્રધાનને મળી અને રજૂઆત કરવાના છીએ. જો ત્યાં પણ નિકાલ નહીં આવે તો અમારા પાસે આંદોલન ઓપ્શન છે. અને તેના સિવાય કોઈ છૂટકો નથી.


હાર્દિક પટેલ વાતો કરવામાં માહેર, પરિણામ લાવવામાં પાંગળો


SPG નેતા લાલજી પટેલે સમાજ સાથે દગો કરનારા નેતાઓનો પણ ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે જેટલા પણ આંદોલનકારીઓ ભાજપમાં કે અન્ય પાર્ટીમાં જોડાયા ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર એટલું જ કહે છે કે સમાજની વાત માટે જ હું પાર્ટીમાં જોડાયો છું. હું સમાજને વફાદાર છું. થોડા જ દિવસોમાં હું આ મુદ્દાનો ઉકેલ લાવી આપીશ. હાર્દિકે પણ આવી જ રીતે વાયદો આપ્યો હતો અને તે પણ ખોટો પડ્યો છે. આજે તેણે સમાજનો વિશ્વાસ પણ ગુમાવી દીધો છે અને આગામી સમયમાં આવી રીતે કોઈપણ વ્યક્તિ પાર્ટીમાં જશે તો લેખિતમાં માગીશું બાકી અમે બધા હવે હાર્દિકનો પણ વિરોધ કરીશું. ભાજપમાં જોડાયાનાં 2 મહીના છતા સમાજનાં પ્રશ્નો ઉકેલવામાં હાર્દિક નિષ્ફળ રહ્યો છે. તે માત્ર વાતો કરવામાં માહેર, પરિણામ લાવવામાં પાંગળો સાબિત થયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે