પ્રેમ લગ્ન બાબતે SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલની ચીમકી


  • Published By :
  • Published Date : 2023-10-05 15:57:05

ગુજરાતમાં પ્રેમ લગ્ન સુધારા મામલે સરકાર કાયદામાં સુધારો લાવે નહિ તો કરીશું આદોલન તેવું નિવેદન SPG અધ્યક્ષ લાલજી પટેલે આપ્યુ છે

પ્રેમ લગ્નને લઇ અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા હોવાના આક્ષેપ SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલે કર્યા છે જો કે આ મુદ્દે તેમને સરકારમાં પત્ર લખી રજૂઆત કરી છે ત્યારે આવનાર ૧૦ તારીખે સુરત ખાતે સર્વ સમાજની એક મીટીંગ બોલાવમાં જઈ રહ્યા છે અને હિંદુ લગ્ન કાયદામાંમાં સુધારો લાવે અને પ્રેમ લગ્ન નોધણી સમય માતા અથવા પિતાની સહી ફરીજીયાત અથવા તો લગ્ન નોધણી તેનાજ ગામમાં કરવામાં આવે તેવી રજૂઆત સરકારને કરવામાં આવશે જો કે સરકાર આ મુદ્દે કોઈ સુધારો નહિ કરે તો આવનાર સમયમાં દરેક ગામમાં આ મુદ્દે સરકાર સામે આંદોલન કરવામાં આવશે

રાજ્માં મોટા પ્રમાણમાં લગ્ન નોંધણીમાં ગેરરીતિ થઈ હોવાનો સરદાર પટેલ સેવા દળ ના રાષ્ટીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ખુલાસો કર્યો છે.સરદાર પટેલ સેવા દળ દ્વારા લાંબા સમયથી લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર કરવા લડત ચલાવાઈ રહી છે.આ માટે સુરત ખાતે આગામી 10 ઓક્ટોબર ના રોજ સર્વે સમાજના પ્રતિનિધિઓની બેઠક બોલવાઈ છે.લાલજી પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન નોંધણી દરમિયાન નિયમ નો ભંગ થતો હોવાનો ખુલાસો કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.સરદાર પટેલ સેવા દળ દ્વારા જાહેર કરેલી વિગત અનુસાર રાજ્યમાં 4130 લગ્ન બોગસ થયા છે.જેના ડેટા જાહેર કરવામાં આવ્યા છે.સમોનાના બનાસકાંઠા ખાતે 159 બોગસ લગ્ન થયા છે.તો બાલુન્દ્રા બનાસકાંઠા ખાતે 70 બોગસ લગ્ન થયા હોવાનો લાલજી પટેલે આક્ષેપ કર્યો છે.વડીયા અમરેલી ખાતે 1639 બોગસ લગ્ન થયા હોવાની વિગત જાહેર કરાઈ છે.લસુન્દ્રા ખેડા ખાતે 460 બોગસ લગ્ન થયા છે.તો રેલ,વલ્લી,ખાખસર,જિનજ આણંદ ખાતે 1802 બોગસ લગ્ન થયા હોવાનું લાલજી પટેલે નિવેદન આપ્યું છે.આ લગ્નમાં લગ્ન વિધિ જ નથી થઈ છતાં નોંધણી થઈ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.તો કેટલાક કિસ્સામાં એકના એક સાક્ષી અનેક લગ્નમાં જોવા મળ્યા છે



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી