પ્રેમ લગ્ન બાબતે SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલની ચીમકી


  • Published By :
  • Published Date : 2023-10-05 15:57:05

ગુજરાતમાં પ્રેમ લગ્ન સુધારા મામલે સરકાર કાયદામાં સુધારો લાવે નહિ તો કરીશું આદોલન તેવું નિવેદન SPG અધ્યક્ષ લાલજી પટેલે આપ્યુ છે

પ્રેમ લગ્નને લઇ અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા હોવાના આક્ષેપ SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલે કર્યા છે જો કે આ મુદ્દે તેમને સરકારમાં પત્ર લખી રજૂઆત કરી છે ત્યારે આવનાર ૧૦ તારીખે સુરત ખાતે સર્વ સમાજની એક મીટીંગ બોલાવમાં જઈ રહ્યા છે અને હિંદુ લગ્ન કાયદામાંમાં સુધારો લાવે અને પ્રેમ લગ્ન નોધણી સમય માતા અથવા પિતાની સહી ફરીજીયાત અથવા તો લગ્ન નોધણી તેનાજ ગામમાં કરવામાં આવે તેવી રજૂઆત સરકારને કરવામાં આવશે જો કે સરકાર આ મુદ્દે કોઈ સુધારો નહિ કરે તો આવનાર સમયમાં દરેક ગામમાં આ મુદ્દે સરકાર સામે આંદોલન કરવામાં આવશે

રાજ્માં મોટા પ્રમાણમાં લગ્ન નોંધણીમાં ગેરરીતિ થઈ હોવાનો સરદાર પટેલ સેવા દળ ના રાષ્ટીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ખુલાસો કર્યો છે.સરદાર પટેલ સેવા દળ દ્વારા લાંબા સમયથી લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર કરવા લડત ચલાવાઈ રહી છે.આ માટે સુરત ખાતે આગામી 10 ઓક્ટોબર ના રોજ સર્વે સમાજના પ્રતિનિધિઓની બેઠક બોલવાઈ છે.લાલજી પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન નોંધણી દરમિયાન નિયમ નો ભંગ થતો હોવાનો ખુલાસો કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.સરદાર પટેલ સેવા દળ દ્વારા જાહેર કરેલી વિગત અનુસાર રાજ્યમાં 4130 લગ્ન બોગસ થયા છે.જેના ડેટા જાહેર કરવામાં આવ્યા છે.સમોનાના બનાસકાંઠા ખાતે 159 બોગસ લગ્ન થયા છે.તો બાલુન્દ્રા બનાસકાંઠા ખાતે 70 બોગસ લગ્ન થયા હોવાનો લાલજી પટેલે આક્ષેપ કર્યો છે.વડીયા અમરેલી ખાતે 1639 બોગસ લગ્ન થયા હોવાની વિગત જાહેર કરાઈ છે.લસુન્દ્રા ખેડા ખાતે 460 બોગસ લગ્ન થયા છે.તો રેલ,વલ્લી,ખાખસર,જિનજ આણંદ ખાતે 1802 બોગસ લગ્ન થયા હોવાનું લાલજી પટેલે નિવેદન આપ્યું છે.આ લગ્નમાં લગ્ન વિધિ જ નથી થઈ છતાં નોંધણી થઈ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.તો કેટલાક કિસ્સામાં એકના એક સાક્ષી અનેક લગ્નમાં જોવા મળ્યા છે



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.