SpiceJetની મોટી છટણીની તૈયારી! એરલાઇન 1,400 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2024-02-16 18:56:07

એવિયેશન સેક્ટરની દિગ્ગજ કંપની સ્પાઈસજેટ (SpiceJet) પર રોકડની તંગીની અસર વધુ ઘેરી બનતી જણાય છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કર્મચારીઓના પગારમાં ઘણા મહિનાઓ સુધી વિલંબ થયા બાદ હવે એરલાઇન કંપનીમાં મોટી છટણી (Layoff) થવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના કુલ વર્કફોર્સમાં લગભગ 15 ટકા કાપ મૂકવાની તૈયારી કરી છે.


15% વર્કફોર્સમાં કાપ મૂકવાનો નિર્ણય


પહેલાથી જ રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટે ખર્ચમાં ઘટાડો કરવાના હેતુંથી છટણીનો આ નિર્ણય લીધો છે. હાલમાં, લગભગ 9,000 કર્મચારીઓ એરલાઇનમાં કામ કરી રહ્યા છે અને તેમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ આંકડો લગભગ 1400 કર્મચારીઓનો છે. ETના રિપોર્ટ મુજબ, બજેટ એરલાઈને છટણી (Spicejet Layoff)ની કથિત પુષ્ટિ કરી છે અને આ પગલું ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.


છટણીની તૈયારીઓ શા માટે?

 

નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સે કંપનીમાં રોકાણકારોનો રસ જાળવી રાખવા અને રોકડની અછતને દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2,200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે. એરલાઈને જણાવ્યું હતું કે ફંડિંગ પ્રોજેક્ટ્સ ટ્રેક પર છે અને ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .