SpiceJetની મોટી છટણીની તૈયારી! એરલાઇન 1,400 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2024-02-16 18:56:07

એવિયેશન સેક્ટરની દિગ્ગજ કંપની સ્પાઈસજેટ (SpiceJet) પર રોકડની તંગીની અસર વધુ ઘેરી બનતી જણાય છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કર્મચારીઓના પગારમાં ઘણા મહિનાઓ સુધી વિલંબ થયા બાદ હવે એરલાઇન કંપનીમાં મોટી છટણી (Layoff) થવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના કુલ વર્કફોર્સમાં લગભગ 15 ટકા કાપ મૂકવાની તૈયારી કરી છે.


15% વર્કફોર્સમાં કાપ મૂકવાનો નિર્ણય


પહેલાથી જ રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટે ખર્ચમાં ઘટાડો કરવાના હેતુંથી છટણીનો આ નિર્ણય લીધો છે. હાલમાં, લગભગ 9,000 કર્મચારીઓ એરલાઇનમાં કામ કરી રહ્યા છે અને તેમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ આંકડો લગભગ 1400 કર્મચારીઓનો છે. ETના રિપોર્ટ મુજબ, બજેટ એરલાઈને છટણી (Spicejet Layoff)ની કથિત પુષ્ટિ કરી છે અને આ પગલું ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.


છટણીની તૈયારીઓ શા માટે?

 

નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સે કંપનીમાં રોકાણકારોનો રસ જાળવી રાખવા અને રોકડની અછતને દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2,200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે. એરલાઈને જણાવ્યું હતું કે ફંડિંગ પ્રોજેક્ટ્સ ટ્રેક પર છે અને ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.