SpiceJetની મોટી છટણીની તૈયારી! એરલાઇન 1,400 કર્મચારીઓની કરશે હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2024-02-16 18:56:07

એવિયેશન સેક્ટરની દિગ્ગજ કંપની સ્પાઈસજેટ (SpiceJet) પર રોકડની તંગીની અસર વધુ ઘેરી બનતી જણાય છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કર્મચારીઓના પગારમાં ઘણા મહિનાઓ સુધી વિલંબ થયા બાદ હવે એરલાઇન કંપનીમાં મોટી છટણી (Layoff) થવા જઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તેના કુલ વર્કફોર્સમાં લગભગ 15 ટકા કાપ મૂકવાની તૈયારી કરી છે.


15% વર્કફોર્સમાં કાપ મૂકવાનો નિર્ણય


પહેલાથી જ રોકડની તંગીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટે ખર્ચમાં ઘટાડો કરવાના હેતુંથી છટણીનો આ નિર્ણય લીધો છે. હાલમાં, લગભગ 9,000 કર્મચારીઓ એરલાઇનમાં કામ કરી રહ્યા છે અને તેમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ આંકડો લગભગ 1400 કર્મચારીઓનો છે. ETના રિપોર્ટ મુજબ, બજેટ એરલાઈને છટણી (Spicejet Layoff)ની કથિત પુષ્ટિ કરી છે અને આ પગલું ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.


છટણીની તૈયારીઓ શા માટે?

 

નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સે કંપનીમાં રોકાણકારોનો રસ જાળવી રાખવા અને રોકડની અછતને દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, કંપની કેટલાક રોકાણકારો પાસેથી રૂ. 2,200 કરોડની મૂડી મેળવવાની પ્રક્રિયામાં છે. એરલાઈને જણાવ્યું હતું કે ફંડિંગ પ્રોજેક્ટ્સ ટ્રેક પર છે અને ટૂંક સમયમાં જાહેરાતની અપેક્ષા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.