અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે વિદ્યાર્થીનીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 08:26:06

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે ત્રણ વિદ્યાર્થિનીઓને કર્યા હતા અસભ્ય મેસેજ
વિદ્યાર્થિનીઓને મેસેજ કરીને એકલા મળવા માટે બોલાવી હતી, ફોટા પણ મંગાવ્યા હતા
ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરી તપાસ હાથ ધરી

loyola school sports teacher arrested

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે ત્રણ વિદ્યાર્થીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યા હતા. જે બાદ વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. એ પછી ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. ત્યારે હવે પોલીસને આરોપી ટીચરને આ ગંદી હરકત બદલ ઝડપી પાડ્યો છે.


અમદાવાદઃ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો. સ્કૂલના જ સ્પોર્ટ્સ ટીચર રવિરાજ ચૌહાણે ત્રણ વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યો હતો અને મળવા માટે બોલાવી હતી. જે બાદ વિદ્યાર્થિનીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. એ પછી આ સ્પોર્ટ્સ ટિચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં પોલીસે આરોપી સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વિદ્યાર્થિનીઓને કર્યા હતા અસભ્ય મેસેજ

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટિચર રવિરાજ ચૌહાણની નીચ હરકત સામે આવી હતી. સ્પોર્ટ્સ ટિચરે ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. સાથે જ તેઓને મળવા માટે એકલા બોલાવી હતી. ટિચરે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. આ સિવાય કેટલીક અસભ્ય વાતચીતો પણ કરી હતી. ટિચરનો આવો મેસેજ મળતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી. તેઓએ તરત આ વાતની જાણ પ્રિન્સિપલને કરી હતી. ત્યારે પ્રન્સિપાલે તપાસની ખાતરી આપી હતી.


સ્પોર્ટ્સ ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યો

એ સમયે સ્કૂલના ફાધર ફ્રાન્સિસ મેકવાને જણાવ્યું હતું કે, સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જેથી સ્કૂલ દ્વારા એ દિશામા તપાસ કરવામાં આવશે. શિક્ષકને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. જો કે, સ્કૂલનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી આગળ કાર્યવાહી થઈ શકી નહોતી. બીજી તરફ, એવું પણ જાણવા મળ્યું છે કે, જે ટિચર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તેઓ ભૂતકાળમાં પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ ટિચર પર કાર્યવાહી કરવામાં આવી હતી અને પછી ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.


પોલીસે સ્પોર્ટ્સ ટીચરની કરી ધરપકડ

જો કે, ટીચર દ્વારા જ વિદ્યાર્થિનીઓને મેસેજ કરવાની વાત સ્કૂલમાં ફેલાઈ ગઈ હતી. જેથી સ્કૂલનો આ મુદ્દો ચર્ચામાં જોવા મળ્યો હતો. એ પછી આરોપી ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આરોપી ટીચર વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ હતી. સાથે જ આરોપી ટીચરે સેશન્સ કોર્ટમાં જામીનની અરજી પણ કરી હતી. એ પછી તે ફરાર થઈ ગયો હતો. ત્યારે આખરે હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી ટીચરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"