અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે વિદ્યાર્થીનીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 08:26:06

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે ત્રણ વિદ્યાર્થિનીઓને કર્યા હતા અસભ્ય મેસેજ
વિદ્યાર્થિનીઓને મેસેજ કરીને એકલા મળવા માટે બોલાવી હતી, ફોટા પણ મંગાવ્યા હતા
ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરી તપાસ હાથ ધરી

loyola school sports teacher arrested

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે ત્રણ વિદ્યાર્થીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યા હતા. જે બાદ વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. એ પછી ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. ત્યારે હવે પોલીસને આરોપી ટીચરને આ ગંદી હરકત બદલ ઝડપી પાડ્યો છે.


અમદાવાદઃ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો. સ્કૂલના જ સ્પોર્ટ્સ ટીચર રવિરાજ ચૌહાણે ત્રણ વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર અસભ્ય મેસેજ કર્યો હતો અને મળવા માટે બોલાવી હતી. જે બાદ વિદ્યાર્થિનીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. એ પછી આ સ્પોર્ટ્સ ટિચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં પોલીસે આરોપી સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વિદ્યાર્થિનીઓને કર્યા હતા અસભ્ય મેસેજ

મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટિચર રવિરાજ ચૌહાણની નીચ હરકત સામે આવી હતી. સ્પોર્ટ્સ ટિચરે ત્રણ જેટલી વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. સાથે જ તેઓને મળવા માટે એકલા બોલાવી હતી. ટિચરે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. આ સિવાય કેટલીક અસભ્ય વાતચીતો પણ કરી હતી. ટિચરનો આવો મેસેજ મળતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી. તેઓએ તરત આ વાતની જાણ પ્રિન્સિપલને કરી હતી. ત્યારે પ્રન્સિપાલે તપાસની ખાતરી આપી હતી.


સ્પોર્ટ્સ ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યો

એ સમયે સ્કૂલના ફાધર ફ્રાન્સિસ મેકવાને જણાવ્યું હતું કે, સ્કૂલની ત્રણ વિદ્યાર્થિનીઓ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે. જેથી સ્કૂલ દ્વારા એ દિશામા તપાસ કરવામાં આવશે. શિક્ષકને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. જો કે, સ્કૂલનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી આગળ કાર્યવાહી થઈ શકી નહોતી. બીજી તરફ, એવું પણ જાણવા મળ્યું છે કે, જે ટિચર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે તેઓ ભૂતકાળમાં પણ ચર્ચામાં રહી ચૂક્યા છે. એ સમયે પણ ટિચર પર કાર્યવાહી કરવામાં આવી હતી અને પછી ફરજ પર લઈ લેવામાં આવ્યા હતા.


પોલીસે સ્પોર્ટ્સ ટીચરની કરી ધરપકડ

જો કે, ટીચર દ્વારા જ વિદ્યાર્થિનીઓને મેસેજ કરવાની વાત સ્કૂલમાં ફેલાઈ ગઈ હતી. જેથી સ્કૂલનો આ મુદ્દો ચર્ચામાં જોવા મળ્યો હતો. એ પછી આરોપી ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આરોપી ટીચર વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ હતી. સાથે જ આરોપી ટીચરે સેશન્સ કોર્ટમાં જામીનની અરજી પણ કરી હતી. એ પછી તે ફરાર થઈ ગયો હતો. ત્યારે આખરે હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી ટીચરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.