મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને આપ્યો મોટો ઝટકો, ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત, જાણો નવો પ્લાન


  • Published By :
  • Published Date : 2023-10-11 14:20:05

મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે અને તેની ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી Spotify દ્વારા ભારતીય યુઝર્સને ઘણી મફત સેવાઓ ઓફર કરવામાં આવી હતી, જેમાં, ખાસ ઓર્ડરથી લઈને રિપીટ કરવા, ટ્રેકને પોઝ કરવાનો ઓપ્સન આપવામાં આવતો હતો. ઉલ્લેખનિય છે કે એપ્રિલ 2023 સુધીમાં કંપની ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મ્યુઝિક પ્લેટફોર્મ બની ગયું છે. તેનો બજાર હિસ્સો લગભગ 26 ટકા છે.


મફત સેવા બંધ કરવામાં આવશે


હવે Spotify દ્વારા ભારતીય યુઝર્સ માટે આ ફ્રી સુવિધા બંધ કરવામાં આવી રહી છે. આ માટે ભારતીય યુઝર્સે Spotifyની પ્રીમિયમ સર્વિસ લેવી પડશે. જો તમે અત્યાર સુધી ફ્રી Spotify સેવાનો ઉપયોગ કરતા હતા, તો તમને ગીતને પોઝ કરવાનો વિકલ્પ મળશે નહીં. ઉપરાંત તમે પહેલાનાં ગીતો એક્સેસ કરી શકશો નહીં.


આ છે સબ્સ્ક્રિપ્શન પ્લાન   


Spotify પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ભારતમાં દરરોજ 7 રૂપિયાથી શરૂ થાય છે. તે એડ ફ્રી મ્યુઝિક સ્ટ્રીમિંગની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, વધુમાં વધુ 30 ગીતો ડાઉનલોડ કરી શકાય છે. Spotifyનું માસિક સબ્સ્ક્રિપ્શન 119 રૂપિયા છે. આમાં 5 ડિવાઇસમાં વધુમાં વધુ 10,000 ગીતો ડાઉનલોડ કરી શકાય છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .