મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને આપ્યો મોટો ઝટકો, ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત, જાણો નવો પ્લાન


  • Published By :
  • Published Date : 2023-10-11 14:20:05

મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે અને તેની ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી Spotify દ્વારા ભારતીય યુઝર્સને ઘણી મફત સેવાઓ ઓફર કરવામાં આવી હતી, જેમાં, ખાસ ઓર્ડરથી લઈને રિપીટ કરવા, ટ્રેકને પોઝ કરવાનો ઓપ્સન આપવામાં આવતો હતો. ઉલ્લેખનિય છે કે એપ્રિલ 2023 સુધીમાં કંપની ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મ્યુઝિક પ્લેટફોર્મ બની ગયું છે. તેનો બજાર હિસ્સો લગભગ 26 ટકા છે.


મફત સેવા બંધ કરવામાં આવશે


હવે Spotify દ્વારા ભારતીય યુઝર્સ માટે આ ફ્રી સુવિધા બંધ કરવામાં આવી રહી છે. આ માટે ભારતીય યુઝર્સે Spotifyની પ્રીમિયમ સર્વિસ લેવી પડશે. જો તમે અત્યાર સુધી ફ્રી Spotify સેવાનો ઉપયોગ કરતા હતા, તો તમને ગીતને પોઝ કરવાનો વિકલ્પ મળશે નહીં. ઉપરાંત તમે પહેલાનાં ગીતો એક્સેસ કરી શકશો નહીં.


આ છે સબ્સ્ક્રિપ્શન પ્લાન   


Spotify પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ભારતમાં દરરોજ 7 રૂપિયાથી શરૂ થાય છે. તે એડ ફ્રી મ્યુઝિક સ્ટ્રીમિંગની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, વધુમાં વધુ 30 ગીતો ડાઉનલોડ કરી શકાય છે. Spotifyનું માસિક સબ્સ્ક્રિપ્શન 119 રૂપિયા છે. આમાં 5 ડિવાઇસમાં વધુમાં વધુ 10,000 ગીતો ડાઉનલોડ કરી શકાય છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.