મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને આપ્યો મોટો ઝટકો, ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત, જાણો નવો પ્લાન


  • Published By :
  • Published Date : 2023-10-11 14:20:05

મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે અને તેની ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી Spotify દ્વારા ભારતીય યુઝર્સને ઘણી મફત સેવાઓ ઓફર કરવામાં આવી હતી, જેમાં, ખાસ ઓર્ડરથી લઈને રિપીટ કરવા, ટ્રેકને પોઝ કરવાનો ઓપ્સન આપવામાં આવતો હતો. ઉલ્લેખનિય છે કે એપ્રિલ 2023 સુધીમાં કંપની ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મ્યુઝિક પ્લેટફોર્મ બની ગયું છે. તેનો બજાર હિસ્સો લગભગ 26 ટકા છે.


મફત સેવા બંધ કરવામાં આવશે


હવે Spotify દ્વારા ભારતીય યુઝર્સ માટે આ ફ્રી સુવિધા બંધ કરવામાં આવી રહી છે. આ માટે ભારતીય યુઝર્સે Spotifyની પ્રીમિયમ સર્વિસ લેવી પડશે. જો તમે અત્યાર સુધી ફ્રી Spotify સેવાનો ઉપયોગ કરતા હતા, તો તમને ગીતને પોઝ કરવાનો વિકલ્પ મળશે નહીં. ઉપરાંત તમે પહેલાનાં ગીતો એક્સેસ કરી શકશો નહીં.


આ છે સબ્સ્ક્રિપ્શન પ્લાન   


Spotify પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ભારતમાં દરરોજ 7 રૂપિયાથી શરૂ થાય છે. તે એડ ફ્રી મ્યુઝિક સ્ટ્રીમિંગની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, વધુમાં વધુ 30 ગીતો ડાઉનલોડ કરી શકાય છે. Spotifyનું માસિક સબ્સ્ક્રિપ્શન 119 રૂપિયા છે. આમાં 5 ડિવાઇસમાં વધુમાં વધુ 10,000 ગીતો ડાઉનલોડ કરી શકાય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.