મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને આપ્યો મોટો ઝટકો, ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત, જાણો નવો પ્લાન


  • Published By :
  • Published Date : 2023-10-11 14:20:05

મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Spotifyએ ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે અને તેની ફ્રી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી Spotify દ્વારા ભારતીય યુઝર્સને ઘણી મફત સેવાઓ ઓફર કરવામાં આવી હતી, જેમાં, ખાસ ઓર્ડરથી લઈને રિપીટ કરવા, ટ્રેકને પોઝ કરવાનો ઓપ્સન આપવામાં આવતો હતો. ઉલ્લેખનિય છે કે એપ્રિલ 2023 સુધીમાં કંપની ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મ્યુઝિક પ્લેટફોર્મ બની ગયું છે. તેનો બજાર હિસ્સો લગભગ 26 ટકા છે.


મફત સેવા બંધ કરવામાં આવશે


હવે Spotify દ્વારા ભારતીય યુઝર્સ માટે આ ફ્રી સુવિધા બંધ કરવામાં આવી રહી છે. આ માટે ભારતીય યુઝર્સે Spotifyની પ્રીમિયમ સર્વિસ લેવી પડશે. જો તમે અત્યાર સુધી ફ્રી Spotify સેવાનો ઉપયોગ કરતા હતા, તો તમને ગીતને પોઝ કરવાનો વિકલ્પ મળશે નહીં. ઉપરાંત તમે પહેલાનાં ગીતો એક્સેસ કરી શકશો નહીં.


આ છે સબ્સ્ક્રિપ્શન પ્લાન   


Spotify પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ભારતમાં દરરોજ 7 રૂપિયાથી શરૂ થાય છે. તે એડ ફ્રી મ્યુઝિક સ્ટ્રીમિંગની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, વધુમાં વધુ 30 ગીતો ડાઉનલોડ કરી શકાય છે. Spotifyનું માસિક સબ્સ્ક્રિપ્શન 119 રૂપિયા છે. આમાં 5 ડિવાઇસમાં વધુમાં વધુ 10,000 ગીતો ડાઉનલોડ કરી શકાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.