Vadodaraમાં SRP જવાને સર્વિસ ગનથી કરી આત્મહત્યા, જાણો આ પગલા બાદ પરિવારજનોએ શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-16 18:20:59

વડોદરા શહેરમાં એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાને ફરજ દરમિયાન આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આત્મહત્યા કરી લેવાને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એસઆરપી જવાન તરીકે છેલ્લા ઘણા સમયથી તે ફરજ નિભાવતા હતા. આ મામલે જણાવ્યું હતું કે એસઆરપી જવાન ઘણા સમયથી બીમાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યા છે. એસઆરપી જવાનના મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પોતાની સર્વિસ ગનથી જવાને ભર્યું આ પગલું  

આત્મહત્યા કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની નાની બાબતોને મન પર ધ્યાન રાખી લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. સ્ટ્રેસ હોવાને કારણે, ડ્યુટી પર પ્રેશર હોવાને કારણે પણ અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે વડોદરામાં એક એસઆરપી જવાને પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે. પોતાની સર્વિસ જનથી તેમણે આત્મહત્યા કરી લીધી છે. 


ગંભીર બિમારીને કારણે ટૂંકાવ્યું છે જીવન 

મળતી માહિતી અનુસાર જે એસઆરપી જવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના વતની છે. એસઆરપી જવાન તરીકે તે વડોદરાના લાલબાગ ખાતે ફરજ નિભાવતા હતા અને તેમણે પોતાના સર્વિસ ગનથી આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આ પગલાને કારણે પરિવારમાં તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે ફતેપુરા ગામના પ્રવીણાભાઈના ત્રણ સંતાનો છે. છેલ્લા 28 વર્ષથી તેઓ એસઆરપીમાં ફરજ નિભાવી રહ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ ગંભીર બિમારીનો શિકાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું અનુમાન છે. મહત્વનું છે કે આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.     




લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..