Vadodaraમાં SRP જવાને સર્વિસ ગનથી કરી આત્મહત્યા, જાણો આ પગલા બાદ પરિવારજનોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-16 18:20:59

વડોદરા શહેરમાં એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાને ફરજ દરમિયાન આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આત્મહત્યા કરી લેવાને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એસઆરપી જવાન તરીકે છેલ્લા ઘણા સમયથી તે ફરજ નિભાવતા હતા. આ મામલે જણાવ્યું હતું કે એસઆરપી જવાન ઘણા સમયથી બીમાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યા છે. એસઆરપી જવાનના મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પોતાની સર્વિસ ગનથી જવાને ભર્યું આ પગલું  

આત્મહત્યા કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની નાની બાબતોને મન પર ધ્યાન રાખી લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. સ્ટ્રેસ હોવાને કારણે, ડ્યુટી પર પ્રેશર હોવાને કારણે પણ અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે વડોદરામાં એક એસઆરપી જવાને પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે. પોતાની સર્વિસ જનથી તેમણે આત્મહત્યા કરી લીધી છે. 


ગંભીર બિમારીને કારણે ટૂંકાવ્યું છે જીવન 

મળતી માહિતી અનુસાર જે એસઆરપી જવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના વતની છે. એસઆરપી જવાન તરીકે તે વડોદરાના લાલબાગ ખાતે ફરજ નિભાવતા હતા અને તેમણે પોતાના સર્વિસ ગનથી આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આ પગલાને કારણે પરિવારમાં તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે ફતેપુરા ગામના પ્રવીણાભાઈના ત્રણ સંતાનો છે. છેલ્લા 28 વર્ષથી તેઓ એસઆરપીમાં ફરજ નિભાવી રહ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ ગંભીર બિમારીનો શિકાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું અનુમાન છે. મહત્વનું છે કે આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.