Vadodaraમાં SRP જવાને સર્વિસ ગનથી કરી આત્મહત્યા, જાણો આ પગલા બાદ પરિવારજનોએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-16 18:20:59

વડોદરા શહેરમાં એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાને ફરજ દરમિયાન આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આત્મહત્યા કરી લેવાને કારણે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એસઆરપી જવાન તરીકે છેલ્લા ઘણા સમયથી તે ફરજ નિભાવતા હતા. આ મામલે જણાવ્યું હતું કે એસઆરપી જવાન ઘણા સમયથી બીમાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું માનવામાં આવી રહ્યા છે. એસઆરપી જવાનના મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પોતાની સર્વિસ ગનથી જવાને ભર્યું આ પગલું  

આત્મહત્યા કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. નાની નાની બાબતોને મન પર ધ્યાન રાખી લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. સ્ટ્રેસ હોવાને કારણે, ડ્યુટી પર પ્રેશર હોવાને કારણે પણ અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે વડોદરામાં એક એસઆરપી જવાને પોતાનું જીવન આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે. પોતાની સર્વિસ જનથી તેમણે આત્મહત્યા કરી લીધી છે. 


ગંભીર બિમારીને કારણે ટૂંકાવ્યું છે જીવન 

મળતી માહિતી અનુસાર જે એસઆરપી જવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના વતની છે. એસઆરપી જવાન તરીકે તે વડોદરાના લાલબાગ ખાતે ફરજ નિભાવતા હતા અને તેમણે પોતાના સર્વિસ ગનથી આત્મહત્યા કરી લીધી છે. એસઆરપી જવાનના આ પગલાને કારણે પરિવારમાં તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહત્વનું છે કે ફતેપુરા ગામના પ્રવીણાભાઈના ત્રણ સંતાનો છે. છેલ્લા 28 વર્ષથી તેઓ એસઆરપીમાં ફરજ નિભાવી રહ્યા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ ગંભીર બિમારીનો શિકાર હતા જેને કારણે તેમણે આ પગલું ભર્યું હોય તેવું અનુમાન છે. મહત્વનું છે કે આવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.