કાલથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ, એક્ઝામ સેન્ટર્સ પર વિદ્યાર્થીઓ-વાલીઓ ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2023-03-13 16:44:27

સમગ્ર રાજ્યમાં આવતી કાલ મંગળવારે એટલે કે 14 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. શિક્ષણ બોર્ડે પણ આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સંપુર્ણ તૈયારીઓ પુરી કરી છે. બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે, આ તમામ સ્ટ્રોંગ રૂમ CCTV કેમેરાથી સુસજ્જ છે. તે જ પ્રકારે ત્યાં 24 કલાક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


વિદ્યાર્થીઓ સીટ નંબર જોવા ઉમટ્યા 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ આજે પરીક્ષા કેન્દ્રો પર ઉમટ્યા હતા. એક દિવસ અગાઉ  પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ બેઠક વ્યવસ્થા અને બેઠક ક્રમાંક જોયો હતો. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં સરળતા રહે તે માટે પરીક્ષાના એક દિવસ પહેલા જ વાલીઓ અને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લે તે હિતાવહ માનવામાં આવે છે.


જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


આવતી કાલથી SSC અને HSCની પરીક્ષાઓનો આરંભ થઇ રહ્યો છે. આ વર્ષે ધો. 10‌માં 9.56 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. આ માટે બોર્ડ દ્વારા રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો, જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 અને વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.


ઇલેકટ્રોનિક ગેઝેટ પર પ્રતિબંધ


પેપર લીકની ઘટનાઓ બાદ તમામ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કુલોમાં ઇલેકટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી તમામ સ્કુલોને સજ્જ કરી દેવામાં આવી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પરિક્ષા કેન્દ્ર પર પોતાની હોલ ટીકીટ ભુલી જાય તો પણ તેવા વિદ્યાર્થીઓની સ્કુલમાં સંપર્ક કરીને મોબાઇલ પર ટિકિટ મંગાવીને પરીક્ષામાં બેસવા દેવામા આવશે.  


157 કેદીઓ પણ આપશે પરીક્ષા 


વિદ્યાર્થીઓની સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 59 કેદીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપશે. જેમાં 37 જેટલા કેદીઓ ધોરણ 10ની જ્યારે 22 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપવાના છે. જેને લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ પર એક્ઝામ સેન્ટર બનાવવામાં આવ્યા છે. તે જ પ્રકારે માત્ર અમદાવાદ જ નહિ રાજ્યના વડોરા, સુરત અને રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવે છે. વડોદરામાં ધોરણ 10માં 13 અને ધોરણ 12માં 6 કેદીઓ, રાજકોટમાં ધોરણ 10માં 30 અને ધોરણ 12માં 11 કેદીઓ આ ઉપરાંત સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધોરણ 10માં 21 અને ધોરણ 12માં 17 કેદીઓ એમ કુલ મળી 101 કેદીઓ ધોરણ 10 અને 56 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.