SSY: કેન્દ્ર સરકારની ન્યૂ યર ગિફ્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર વધાર્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 23:04:25

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.20 ટકા અને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પરના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. અન્ય તમામ નાની યોજનાઓ માટેના દરો પહેલા જેવા જ યથાવત રહેશે.


SSYનો દર  8.2 ટકા થયો


નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર વ્યાજ દર હાલના આઠ ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટ પરનો દર વર્તમાન સાત ટકાથી વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે.


અન્ય સ્કિમના દર આ પ્રમાણે છે

 

જો કે, PPF પર વ્યાજ દર 7.1 ટકા જેટલો જ રાખવામાં આવ્યો છે અને બચત થાપણો પર વ્યાજ દર ચાર ટકા રાખવામાં આવ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દર સમાન હતા. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે. તેની સંપૂર્ણ અવધિ 115 મહિના છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2024 સુધી 7.7 ટકા પર યથાવત રહ્યો છે. માસિક આવક યોજનાના વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રોકાણકારો માટે તે 7.4 ટકા રહેશે. સરકાર દર ક્વાર્ટરમાં મુખ્યત્વે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ફેરફાર કરતી રહે છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.