SSY: કેન્દ્ર સરકારની ન્યૂ યર ગિફ્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર વધાર્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 23:04:25

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.20 ટકા અને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પરના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. અન્ય તમામ નાની યોજનાઓ માટેના દરો પહેલા જેવા જ યથાવત રહેશે.


SSYનો દર  8.2 ટકા થયો


નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર વ્યાજ દર હાલના આઠ ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટ પરનો દર વર્તમાન સાત ટકાથી વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે.


અન્ય સ્કિમના દર આ પ્રમાણે છે

 

જો કે, PPF પર વ્યાજ દર 7.1 ટકા જેટલો જ રાખવામાં આવ્યો છે અને બચત થાપણો પર વ્યાજ દર ચાર ટકા રાખવામાં આવ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દર સમાન હતા. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે. તેની સંપૂર્ણ અવધિ 115 મહિના છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2024 સુધી 7.7 ટકા પર યથાવત રહ્યો છે. માસિક આવક યોજનાના વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રોકાણકારો માટે તે 7.4 ટકા રહેશે. સરકાર દર ક્વાર્ટરમાં મુખ્યત્વે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ફેરફાર કરતી રહે છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે