SSY: કેન્દ્ર સરકારની ન્યૂ યર ગિફ્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર વધાર્યો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-29 23:04:25

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.20 ટકા અને ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પરના વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. અન્ય તમામ નાની યોજનાઓ માટેના દરો પહેલા જેવા જ યથાવત રહેશે.


SSYનો દર  8.2 ટકા થયો


નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર વ્યાજ દર હાલના આઠ ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝિટ પરનો દર વર્તમાન સાત ટકાથી વધારીને 7.1 ટકા કરવામાં આવ્યો છે.


અન્ય સ્કિમના દર આ પ્રમાણે છે

 

જો કે, PPF પર વ્યાજ દર 7.1 ટકા જેટલો જ રાખવામાં આવ્યો છે અને બચત થાપણો પર વ્યાજ દર ચાર ટકા રાખવામાં આવ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં દર સમાન હતા. કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે. તેની સંપૂર્ણ અવધિ 115 મહિના છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2024 સુધી 7.7 ટકા પર યથાવત રહ્યો છે. માસિક આવક યોજનાના વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રોકાણકારો માટે તે 7.4 ટકા રહેશે. સરકાર દર ક્વાર્ટરમાં મુખ્યત્વે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં ફેરફાર કરતી રહે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.