ધ્રોલ-જોડિયા-જામનગર રૂટની બસમાં સર્જાયો અકસ્માત, કાચ તૂટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા


  • Published By :
  • Published Date : 2023-04-20 16:30:13

રાજ્યમાં દરરોજ હજારો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. દરેક સીટી બસમાં એક સૂત્ર લખ્યું હોય છે. "સલામત સવારી એસટી અમારી" ત્યારે આ સુત્રને બેઈજ્જતી કરતી એક ઘટના ધ્રોલમાં સામે આવી છે. જેમાં એસ ટી બસનો પાછળ કાચ તૂટ્યો અને બે વિદ્યાર્થીઓ નીચે ખાબક્યા હતા. ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાં આ અકસ્માત સર્જાયો હતો.


બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા


સ્થાનિક સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ ઘટના ધ્રોલની છે જ્યાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી એસટી બસમાંથી નીચે ખાબક્યા હતા. બસના 125 લોકો સવાર હતા ત્યારે બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિધાર્થી એસ ટી બસમાંથી નીચે ખાબકતા બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. વિધાર્થીઓને સારવાર અર્થે જી જીમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ઘાયલ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ


બંને વિદ્યાર્થી પિગળ દુષ્યંતસિંહ પ્રતાપ સિંહ (ઉ.વ 20) અને જાડેજા હરદિપસિહ પબુભા (ઉ.વ 18) જામનગરની કોલેજમાં અભ્યાસ કરતા હતા અને જામનગર આવી રહ્યા હતા. તે દરમિયાન જામનગરના ગુલાબ નગરમાં દેવિકા પાન પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસનો પાછળનો કાચ તૂટી જતા બે વિદ્યાર્થી નીચે ખાબક્યા હતા ત્યારે બંને વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા થતા હાલ જામનગરની ગુરુ ગોવિદ સિંઘ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધ્રોલ જોડિયા જામનગર રૂટની માત્ર એક બસ આવતી હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વિસ્તારના જોડીયા, કુનાડ, હડિયાણા, રામપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એપ-ડાઉન કરે છે 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.