હવે એસ.ટી વિભાગના કર્મચારીઓ ઉતર્યા મેદાનમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:30:58

ચૂંટણી નજીક આવતા પોતાની માગણીઓ સરકાર સુધી પહોચાડવા આંદોલનકારીઓ મેદાનમાં ઉતર્યા છે. આરોગ્યકર્મી, પૂર્વ સૈનિકો, ખેડૂતો તેમજ આંગણવાળી બહેનો બાદ એસ.ટી કર્મચારીઓ પોતાની માગણી સાથે મેદાનમાં ઉતરી શકે છે. પોતાની 20 પડતર મુદ્દાઓને લઈ એસ.ટી નિગમના કર્મચારીઓ 22 સપ્ટેમ્બર મધરાતથી માસ સીએલ પર ઉતરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં  

રાજ્યમાં એક બાદ એક આંદોલનના સૂર સંભળાઈ રહ્યા છે. અનેક લોકો સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. આરોગ્ય કર્મી, ખેડૂત બાદ એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ કરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કર્મચારીઓ એસ.ટી બસ સેવા બંધ કરી આંદોલન કરવાના મૂડમાં છે.મળતી માહિતી મૂજબ પોતાની 20 પડતર માગણી સાથે 22 સપ્ટેમ્બરથી કર્મચારીઓ આંદોલન કરતા નજરે પડી શકે છે. જ્યાં સુધી પોતાની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહી ષકે છે. જેને કારણે એસ.ટી બસના પૈડા થમી શકે છે.

ST bus confiscated under prohibition law

શું છે એસ.ટી કર્મચારીઓની માગણી

પોતાની 20 માગણી સાથે એસ.ટી કર્મચારી હડતાળ કરવાની છે જેમાંથી ડ્રાઈવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવામાં આવે, ભાડા ભથ્થામાં ત્વરિત વધારો કરવાની માગ, વર્ગ 4 ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી બોનસ નથી મળ્યું તે આપવામાં આવે, સહિતની અનેક માગ સાથે આંદોલન કરી શકે છે.  

સરકારની ચિંતામાં સતત વધારો

પોતાની મતબેંકને જાળવી રાખવા તેમજ આંદોલન શાંત કરવા સરકાર આ સમયે બધાની પડતર માગણી સાંભળશે તે હેતુથી લોકો આંદોલન કરી રહ્યા છે. આ સમય રાજનીતિ પણ ગરમાઈ રહી છે. આંદોલનનો લાભ અનેક રાજકીય પાર્ટીઓ ઉઠાવી રહી છે. ત્યારે વાસ્તવિક્તામાં તેમની માગણી સ્વીકારાશે કે નહીં તે જોવાનું રહેશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.