હવે એસ.ટી વિભાગના કર્મચારીઓ ઉતર્યા મેદાનમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:30:58

ચૂંટણી નજીક આવતા પોતાની માગણીઓ સરકાર સુધી પહોચાડવા આંદોલનકારીઓ મેદાનમાં ઉતર્યા છે. આરોગ્યકર્મી, પૂર્વ સૈનિકો, ખેડૂતો તેમજ આંગણવાળી બહેનો બાદ એસ.ટી કર્મચારીઓ પોતાની માગણી સાથે મેદાનમાં ઉતરી શકે છે. પોતાની 20 પડતર મુદ્દાઓને લઈ એસ.ટી નિગમના કર્મચારીઓ 22 સપ્ટેમ્બર મધરાતથી માસ સીએલ પર ઉતરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં  

રાજ્યમાં એક બાદ એક આંદોલનના સૂર સંભળાઈ રહ્યા છે. અનેક લોકો સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. આરોગ્ય કર્મી, ખેડૂત બાદ એસ.ટી વિભાગના કર્મચારીઓ હડતાળ કરી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કર્મચારીઓ એસ.ટી બસ સેવા બંધ કરી આંદોલન કરવાના મૂડમાં છે.મળતી માહિતી મૂજબ પોતાની 20 પડતર માગણી સાથે 22 સપ્ટેમ્બરથી કર્મચારીઓ આંદોલન કરતા નજરે પડી શકે છે. જ્યાં સુધી પોતાની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહી ષકે છે. જેને કારણે એસ.ટી બસના પૈડા થમી શકે છે.

ST bus confiscated under prohibition law

શું છે એસ.ટી કર્મચારીઓની માગણી

પોતાની 20 માગણી સાથે એસ.ટી કર્મચારી હડતાળ કરવાની છે જેમાંથી ડ્રાઈવર અને કંડક્ટરને 1900 ગ્રેડ પે આપવામાં આવે, ભાડા ભથ્થામાં ત્વરિત વધારો કરવાની માગ, વર્ગ 4 ના કર્મચારીઓને છેલ્લા 2 વર્ષથી બોનસ નથી મળ્યું તે આપવામાં આવે, સહિતની અનેક માગ સાથે આંદોલન કરી શકે છે.  

સરકારની ચિંતામાં સતત વધારો

પોતાની મતબેંકને જાળવી રાખવા તેમજ આંદોલન શાંત કરવા સરકાર આ સમયે બધાની પડતર માગણી સાંભળશે તે હેતુથી લોકો આંદોલન કરી રહ્યા છે. આ સમય રાજનીતિ પણ ગરમાઈ રહી છે. આંદોલનનો લાભ અનેક રાજકીય પાર્ટીઓ ઉઠાવી રહી છે. ત્યારે વાસ્તવિક્તામાં તેમની માગણી સ્વીકારાશે કે નહીં તે જોવાનું રહેશે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .