હવે એસ.ટી વિભાગના કર્મચારીઓનો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:44:23

ગુજરાતમાં આંદોલનનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક સરકાર આંદોલનોનો સામનો કરી રહી છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા લોકો સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હવે એસ.ટી બસ વિભાગના કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગણીને રજૂ કરવા એસ.ટી વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો હતો.  


એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગ પર 

એક બાદ એક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. આરોગ્ય કર્મીઓ હોય, શિક્ષક હોય કે પછી ખેડૂત હોય બધાએ સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. ત્યારે હવે એસ.ટી વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે. પડતર માગણીને લઈ એસ.ટી બસના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ નોંધાવાના છે. એસ.ટી કર્મચારીઓ તમામ ડેપો, વર્કશોપમાં કાળી પટ્ટી પહેરી પોતાની માગ સરકાર સુધી પહોચાડવાનો પ્રયાસ કરવાના છે.  


કર્મચારીઓએ ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી 

જો સરકાર એસ.ટી કર્મચારીઓની માગણીઓને નહીં સ્વીકારે તો, એસ.ટી વિભાગના કર્મચારીઓ 22 સપ્ટેમ્બરથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે. તમામ કર્મચારીઓ 22 સપ્ટેમ્બરની મધરાતથી આંદોલન પર ઉતરશે. એસ.ટી કર્મચારીઓ આંદોલન પર ઉતરશે તો એસ.ટી બસ સેવા ખોરવાઈ જશે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .