પડતર માંગણીઓ મુદ્દે ST નિગમના ત્રણ સંગઠનોની ચિમકી, 22 સપ્ટેમ્બરથી પૈડા થંભી જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 16:44:24

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર કર્મચારી આંદોલનના ચક્રવ્યૂહમાં ફસાઈ છે. દરરોજ એક પછી એક કર્મચારી સંગઠન હડતાળની જાહેરાત કરી રહ્યું છે અને હવે એસટી નિગમના સંગઠને સરકાર સામે બાયો ચઢાવી છે. એસટી નિગમના ત્રણ સંગઠન પોતાની 13 અલગ અલગ માંગણીઓના ઉકેલ લાવવા મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.


ત્રણેય એસટી સંગઠનોની માંગણીઓ શું છે?


ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ પેમાં વધારો અમલી કરવો

મોંઘવારી ભથ્થા પેટે 17 ટકાની ચુકવણી કરાઈ નથી

વર્ષ 1997 બાદ ભથ્થામાં કોઈ સુધાર નહિ

એસટીના કર્મચારીઓને સાતમા પગા પંચનો લાભ

હક્ક રજાની રોકડમાં ચુકવણીની પણ સરકાર સામે માગ

રોજમદાર,બદલી કામદાર અને વર્ગ 4ના કામદારોને એક્સગ્રેસીયા બોનસનો લાભ મળે


એસટી કર્મીઓની હડતાળને રોકવા માટે સરકાર હવે શું પગલા ભરે છે તે જોવાનું છે, જો કે સરકાર એસ ટી કર્મીઓની હડતાળ રોકવામાં નિષ્ફળ રહી તો ચોક્કસપણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. સરકારના વાંકે સામાન્ય લોકોને તેની સજા ભોગવવી પડે તેવી સ્થિતી સર્જાઈ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે