ધારાસભ્ય આવે તો ઊભા થઈ જવાનું, BJPના ધારાસભ્યની દાદાગીરી


  • Published By :
  • Published Date : 2022-11-12 18:16:44

લોકશાહીના દેશમાં જ્યારે ચુંટણીઑ આવતી હોય છે ત્યારે આપણે બધાને આપણું પ્રતિનિધિત્વ કરી શકે તેવા નેતાને ચૂંટવાંનો મોકો મળતો હોય છે આવનાર સમયમાં ગુજરાતમાં તમે પણ તમારા ધારાસભ્ય નક્કી કરવાના છો જેની વચ્ચે હાલમાં ઉત્તર પ્રદેશનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ધારાસભ્ય જાહેરમાં અધિકારીઓને તતડાવી રહ્યા છે કે, ‘ધારાસભ્ય અનિલ સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’

 

ઉન્નવ જિલ્લાની પૂર્વા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અનિલસિહે અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ‘ધારાસભ્ય અનિલ સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’ જો મારા આવ્યા પછી ઊભા થયા નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ તેમણે ખુરશીને લઈને પણ હોહાપો કર્યો કે ધારાસભ્યની ખુરશી ઊંચી હોવી જોઈએ. તમારી ખુરશી કોઈ સભામાં ધારાસભ્યની ખુરશી કરતાં ઊંચી લેશો તો તેમને ઉથલાવી દઇશું 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.