ધારાસભ્ય આવે તો ઊભા થઈ જવાનું, BJPના ધારાસભ્યની દાદાગીરી


  • Published By :
  • Published Date : 2022-11-12 18:16:44

લોકશાહીના દેશમાં જ્યારે ચુંટણીઑ આવતી હોય છે ત્યારે આપણે બધાને આપણું પ્રતિનિધિત્વ કરી શકે તેવા નેતાને ચૂંટવાંનો મોકો મળતો હોય છે આવનાર સમયમાં ગુજરાતમાં તમે પણ તમારા ધારાસભ્ય નક્કી કરવાના છો જેની વચ્ચે હાલમાં ઉત્તર પ્રદેશનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ધારાસભ્ય જાહેરમાં અધિકારીઓને તતડાવી રહ્યા છે કે, ‘ધારાસભ્ય અનિલ સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’

 

ઉન્નવ જિલ્લાની પૂર્વા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અનિલસિહે અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ‘ધારાસભ્ય અનિલ સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’ જો મારા આવ્યા પછી ઊભા થયા નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ તેમણે ખુરશીને લઈને પણ હોહાપો કર્યો કે ધારાસભ્યની ખુરશી ઊંચી હોવી જોઈએ. તમારી ખુરશી કોઈ સભામાં ધારાસભ્યની ખુરશી કરતાં ઊંચી લેશો તો તેમને ઉથલાવી દઇશું 



ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં ચકચાર મચાવનારા બિલ્ડર પુત્રના કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં બિલ્ડરના પુત્રએ માત્ર લગ્નના ૧૨ થી ૧૩ દિવસની અંદર પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને આ યુવકની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. તો હવે પોલીસે આરોપીઓની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.