ધારાસભ્ય આવે તો ઊભા થઈ જવાનું, BJPના ધારાસભ્યની દાદાગીરી


  • Published By :
  • Published Date : 2022-11-12 18:16:44

લોકશાહીના દેશમાં જ્યારે ચુંટણીઑ આવતી હોય છે ત્યારે આપણે બધાને આપણું પ્રતિનિધિત્વ કરી શકે તેવા નેતાને ચૂંટવાંનો મોકો મળતો હોય છે આવનાર સમયમાં ગુજરાતમાં તમે પણ તમારા ધારાસભ્ય નક્કી કરવાના છો જેની વચ્ચે હાલમાં ઉત્તર પ્રદેશનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ધારાસભ્ય જાહેરમાં અધિકારીઓને તતડાવી રહ્યા છે કે, ‘ધારાસભ્ય અનિલ સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’

 

ઉન્નવ જિલ્લાની પૂર્વા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અનિલસિહે અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ‘ધારાસભ્ય અનિલ સિહ આવે ત્યારે ઊભા થઈ જવાનું’ જો મારા આવ્યા પછી ઊભા થયા નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ તેમણે ખુરશીને લઈને પણ હોહાપો કર્યો કે ધારાસભ્યની ખુરશી ઊંચી હોવી જોઈએ. તમારી ખુરશી કોઈ સભામાં ધારાસભ્યની ખુરશી કરતાં ઊંચી લેશો તો તેમને ઉથલાવી દઇશું 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .