તૈયારીઓ શરૂ કરી દેજો, જુનિયર ક્લાર્કની અને તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ જાહેર


  • Published By :
  • Published Date : 2022-11-03 12:56:12

સરકારે ભરતીની પરીક્ષા તારીખો કરી જાહેર 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી છે.આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કાર્ય બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાની તારીખ રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે. જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીની રોજ યોજાશે તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી રહી છે જોકે આ ભરતીની વિદ્યાર્થીઓ કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા 


હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યો 

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે. 


ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં નારાજગી ?

હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનું વેતન વધતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં અંદરખાને નારાજગી હોય તેવા સમાચારો મળી રહ્યા છે  આ જવાનોને આપણે TRB જવાન તરીકે ઓળખીયે છીએ.ટ્રાફિક નિયમન માટે અને ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે તેમની નિમણુંક કરવામાં આવતી હોય છે.હાલ TRB જવાનનો પગાર પ્રતિ દિવસ 300 રૂપિયા આપવામાં આવે છે પણ રવિવારની રજા કાપતા તેઓને 7,800 દર મહિને પગાર મળે છે.જેથી આ TRBના જવાનો પણ વેતન વધે તેવી સરકાર પાસે આશા રાખી રહ્યા છે 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.