તૈયારીઓ શરૂ કરી દેજો, જુનિયર ક્લાર્કની અને તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ જાહેર


  • Published By :
  • Published Date : 2022-11-03 12:56:12

સરકારે ભરતીની પરીક્ષા તારીખો કરી જાહેર 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી છે.આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કાર્ય બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાની તારીખ રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે. જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીની રોજ યોજાશે તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી રહી છે જોકે આ ભરતીની વિદ્યાર્થીઓ કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા 


હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યો 

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે. 


ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં નારાજગી ?

હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનું વેતન વધતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં અંદરખાને નારાજગી હોય તેવા સમાચારો મળી રહ્યા છે  આ જવાનોને આપણે TRB જવાન તરીકે ઓળખીયે છીએ.ટ્રાફિક નિયમન માટે અને ટ્રાફિક પોલીસને મદદ કરવા માટે તેમની નિમણુંક કરવામાં આવતી હોય છે.હાલ TRB જવાનનો પગાર પ્રતિ દિવસ 300 રૂપિયા આપવામાં આવે છે પણ રવિવારની રજા કાપતા તેઓને 7,800 દર મહિને પગાર મળે છે.જેથી આ TRBના જવાનો પણ વેતન વધે તેવી સરકાર પાસે આશા રાખી રહ્યા છે 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.