શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગરમાં બાળપણની શાળાની લીધી મુલાકાત, સંસ્મરણો વાગોળ્યા


  • Published By :
  • Published Date : 2023-08-20 18:03:25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ જિલ્લાનો શૈક્ષણિક પ્રવાસ કરી રહ્યા છે. આ જ અનુક્રમે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ કર્યો  હતો. તેમણે તેમના આ કાર્યક્રમ અંતર્ગત બાળપણમાં તેઓ જે શાળામાં ભણ્યા હતા તે ઘરશાળાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગુરૂજનો અને આચાર્યને મળી તેમનું સન્માન કરી જૂની યાદો વાગોળી હતી. 


ઘડતરમાં શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો


આ તકે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'મારા બાળ ઘડતરમાં આ શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો રહ્યો છે. બાળપણમાં જે શાળામાં ભણ્યા હોઈએ ત્યાં વર્ષો પછી ફરી જવાનું થાય ત્યારે તેનો આનંદ અવર્ણીય હોય છે. ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ઘરશાળામાં જઈને ભૂતકાળ જાણે કે ફરી જીવંત થઈ ગયો. આ શાળામાં અભ્યાસ દરમિયાન કરેલ વિવિધ સામાજિક પ્રવૃતિઓ અને સેવાકીય કાર્યોની યાદો તાજી થઈ.'

 

સંસ્મરણો વાગોળ્યા


આ મુલાકાત અંગે પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે 'મારા પૂજ્ય ગુરૂજનો અને આચાર્યને મળી સન્માન કરી જૂની યાદો તાજા કરવાનો અવસર મળ્યો. સહાધ્યાયી મિત્રોને મળીને જુના સંસ્મરણો વાગોળ્યા હતા, શાળા પરિવાર સાથે વાર્તાલાપ કરવાનો અનુભવ પણ ખુબજ ભાવપૂર્ણ રહ્યો. શાળામાં ભણાવતા શિક્ષકોને જીવનના ઘડતર અંગે તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યે કઈ રીતે વર્તન કરી શકાય તેં અંગે સમજણ આપી. જનકલ્યાણ અને રાજ્યની સેવા કરવાનું દાયિત્વ શ્રેષ્ઠ રીતે નિષ્ઠાપૂર્વક નિભાવી શકું તેવા સંસ્કાર ઘડતર બદલ હું આ ઘરશાળા સંસ્થાનો સદાય ઋણી રહીશ.'






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.