શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ભાવનગરમાં બાળપણની શાળાની લીધી મુલાકાત, સંસ્મરણો વાગોળ્યા


  • Published By :
  • Published Date : 2023-08-20 18:03:25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ જિલ્લાનો શૈક્ષણિક પ્રવાસ કરી રહ્યા છે. આ જ અનુક્રમે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ કર્યો  હતો. તેમણે તેમના આ કાર્યક્રમ અંતર્ગત બાળપણમાં તેઓ જે શાળામાં ભણ્યા હતા તે ઘરશાળાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગુરૂજનો અને આચાર્યને મળી તેમનું સન્માન કરી જૂની યાદો વાગોળી હતી. 


ઘડતરમાં શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો


આ તકે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'મારા બાળ ઘડતરમાં આ શાળામાં મળેલા સંસ્કારનો મોટો ફાળો રહ્યો છે. બાળપણમાં જે શાળામાં ભણ્યા હોઈએ ત્યાં વર્ષો પછી ફરી જવાનું થાય ત્યારે તેનો આનંદ અવર્ણીય હોય છે. ભાવનગર જિલ્લાના શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ઘરશાળામાં જઈને ભૂતકાળ જાણે કે ફરી જીવંત થઈ ગયો. આ શાળામાં અભ્યાસ દરમિયાન કરેલ વિવિધ સામાજિક પ્રવૃતિઓ અને સેવાકીય કાર્યોની યાદો તાજી થઈ.'

 

સંસ્મરણો વાગોળ્યા


આ મુલાકાત અંગે પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે 'મારા પૂજ્ય ગુરૂજનો અને આચાર્યને મળી સન્માન કરી જૂની યાદો તાજા કરવાનો અવસર મળ્યો. સહાધ્યાયી મિત્રોને મળીને જુના સંસ્મરણો વાગોળ્યા હતા, શાળા પરિવાર સાથે વાર્તાલાપ કરવાનો અનુભવ પણ ખુબજ ભાવપૂર્ણ રહ્યો. શાળામાં ભણાવતા શિક્ષકોને જીવનના ઘડતર અંગે તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યે કઈ રીતે વર્તન કરી શકાય તેં અંગે સમજણ આપી. જનકલ્યાણ અને રાજ્યની સેવા કરવાનું દાયિત્વ શ્રેષ્ઠ રીતે નિષ્ઠાપૂર્વક નિભાવી શકું તેવા સંસ્કાર ઘડતર બદલ હું આ ઘરશાળા સંસ્થાનો સદાય ઋણી રહીશ.'






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.